અયોગ્ય રીતે પેશાબ કરવાથી નુકશાન પહોંચી શકે છે તમારા સ્વાસ્થ્યને, જાણો શું ધ્યાન રાખવું…

આપણે રોજિંદા ઘણાં કાર્યો કરીએ છીએ જે યોગ્ય રીતે કરવામાં આવતા નથી અને જે આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.તેમનું જ એક કામ પેશાબ કરવો પણ છે.સમય-સમય પર પેશાબ જવું એ સ્વસ્થ વ્યક્તિની નિશાની છે,કારણ કે તે આપણા શરીરની બધી ગંદકી બહાર કાઢવાનું કામ કરે છે.પરંતુ ઘણી વખત એવું થાય છે કે પેશાબ કરતી વખતે આપણે ઘણી બધી અજાણી ભૂલો કરીએ છીએ જેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.ચાલો આપણે પેશાબ કરતી વખતે જે ભૂલો કરી રહ્યા છીએ તેના વિશે જાણીએ જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.

image source

પેશાબ કરવું એ દરેક વ્યક્તિની કુદરતી જરૂરિયાત છે.આમ તો પેશાબ કરવું એ આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.પરંતુ ઘણીવાર જોવા મળે છે કે લોકો પેશાબ કરતી વખતે કેટલીક ભૂલો કરે છે,જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે.તો ચાલો જાણીએ આ ભૂલો વિશે.

image source

કેટલીકવાર એવું જોવા મળે છે કે લોકો પેસાબ રોકી રાખે છે.આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ છે.લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી કિડની પર ખરાબ અસર પડે છે.

image source

જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઇએ છીએ અને આપણને પેશાબ લાગે છે ત્યારે આપણે ગંદા શૌચાલયનો ઉપયોગ કરીએ છે.આ ક્યારેય ન કરવું જોઈએ.ગંદા શૌચાલયમાં જવાથી પેશાબમાં ઇન્ફેક્શનનું જોખમ વધી શકે છે.સૌ પ્રથમ,તમે સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અને જો તમારે કોઈ કારણસર જાહેર શૌચાલયમાં જવું પડે તો,સૌ પ્રથમ શૌચાલયની સીટ પર પાણી નાખો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરો.અત્યારે તો કોરોનાના સમયમાં ઘણા ઉત્પાદનો બજારમાં આવ્યા છે,જેની મદદથી તમે સાર્વજનિક શૌચાલયમાં જઈ શકો છો અને પછી તમે તમારા શૌચાલયની સીટને સૅનેટાઇઝરની મદદથી સ્વચ્છ કરી શકો છો.

image source

તમારા પાણીના સેવનની અસર પણ તમારા પેશાબ પર પડી શકે છે,તેથી દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો.ઘણીવાર તમે જોયું હશે કે ઓછું પાણી પીવાને કારણે પેશાબનો રંગ પીળો અથવા ઘાટો બનવા લાગે છે.જો આ નિયમિતપણે થઈ રહ્યું છે,તો તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લો.કારણ કે આ એક મોટી બીમારીનું સ્વરૂપ લઈ શકે છે.

image source

જો તમારા પેશાબમાંથી ખરાબ વાસ આવતી હોય,તો એ પણ એક બીમારી જ છે.કારણ કે પેશાબમાં ઇન્ફેક્સન, ડીહાઇડ્રેશન,આલ્કોહોલનું સેવન કરવું,તમારા અંદરના ભાગની બરાબર સફાઈ ન કરવાથી પણ પેશાબમાં વાસ આવવાનું કારણ બની શકે છે.તેથી જયારે પણ તમને આ સમસ્યા થાય,ત્યારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ