પત્નીની દગાબાજીથી કંટાળીને પતિએ શું કર્યુ! અહીં જાણો વિગત
કોરોના વાયરસ વિશ્વભરને પાયમાલ કરી રહ્યો છે. લાખો લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. લાખો લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા ત્રીસેક વર્ષોમાં, પત્નીના દુરૂપયોગ અંગે સમુદાયના પ્રતિસાદનું પરિણામ આવ્યું. ઘરેલુ હિંસાની દ્રષ્ટિ અને સ્ત્રી સાથેના વર્તનમાં ધરમૂળથી પરિવર્તન જોવા મળ્યુ છે. ભારતમાં મહિલાઓની સુરક્ષા એ એક અત્યારના સમયનો વિશાળ વિષય છે.
ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓ વિરુદ્ધ છેલ્લા કેટલાક વર્ષોના ગુનાઓ જોઈને આપણે ભારતમાં મહિલાઓ સુરક્ષિત હોવાનું કહી શકતા નથી. મહિલાઓ સામાન્ય રીતે ઘરની બહાર એકલી જતાં ગભરાય છે. તે દેશની એક ખૂબ જ દુ:ખદ વાસ્તવિકતા છે કે મહિલા નાગરિકો હંમેશા ભય સાથે જીવે છે. મહિલાઓની વ્યક્તિગત સલામતી એ દરેક ભારતીય નાગરિક માટે મહત્વનો વિષય રહ્યો છે. તાજેતરમાં જે ગુનાનો મુદ્દો સામે આવ્યો છે તે જાણ્યા પછી, તમારા હોશ ઉડી શકે છે.
છતરપુર જિલ્લાના નૌગાંવમાં પાંચ વર્ષની માસૂમ બાળકીનો રેપ અને હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી છે. આરોપી બાળકીનો પડોશી રાજેશ વિશ્વકર્મા છે. જેના પર પોલિસે ૨૫ હજારના ઇનામની જાહેરાત કરી હતી. પોલીસે જણાવ્યું કે, ૨૮-૨૯ની રાત દરમિયાન રાજેશનો તેની પત્ની સાથે ઝગડો થયો હતો. તેની પત્નીના નાના ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા, જેના કારણે બંને વચ્ચે ઝગડો થયો હતો.
ત્યારબાદ આરોપીએ દારૂ પીધો અને ગાંજાનો નશો પણ કર્યો અને રાત્રે ૯ વાગે ઘરેથી નીકળી પડ્યો. પડોશીના ઘરનો દરવાજો ખુલ્લો જોયો તો તેમાં ઘૂસી ગયો અને સૂતેલી માસૂમને ઉઠાવી ગયો. તેને ગામની બહાર કૂવા કાંઠે લઈ ગયો. છતરપુર એસપી કુમાર સૌરભે પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, નૌગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના બનગાંયમાં માસૂમના રેપ અને હત્યાના આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે.
આરોપી રાજેશ વિશ્વકર્માએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીના પત્નીના તેના સગા નાના ભાઇ સાથે અનૈતિક સંબંધો હતા, જેનાથી તે ગુસ્સે હતો. એસપીએ જણાવ્યું કે, આરોપીએ નશામાં પત્ની સાથે ઝગડો કર્યો અને ઘરેથી નીકળી ગયો. ત્યારબાદ પડોશમાં સૂતી બાળકીને ઉઠાવી કૂવા કાંઠે લઈ ગયો અને રેપ કર્યો. ત્યારબાદ તેને ડર લાગ્યો અને કોઇને ખબર ન પડી જાય એ બીકે બાળકીને કૂવામાં ફેંકી તેની હત્યા કરી નાખી. એસપીએ જણાવ્યું કે, ઘટનાની તપાસ માટે ૧૩ સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી.
પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ટ્વિટ કરી શિવરાજ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે બીજેપી સરકારમાં કાયદા-વ્યવસ્થા પર સવાલ કર્યા હતા. આ કેસમાં એસપી કુમાર સૌરભે નૌગાંવ સ્ટેશન ટીઆઈને સસ્પેન્ડ કરી આરોપી પર ૧૦ હજારના ઇનામની જાહેરાત કરી હતી. ત્યારબાદ સાગર રેંજ આઈજીએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી અને ઇનામની રકમ વધારીને ૨૫ હજાર કરી દીધી. બાળક તેમજ મહિલા સલામતી એ એક મોટો સામાજિક મુદ્દો છે જેનો તાત્કાલિક ધોરણે સૌના પ્રયત્નો દ્વારા હલ કરવાની જરૂર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ