પતિ-પત્ની વચ્ચે બહુ થાય છે ઝઘડા? તો અજમાવો આ ઉપાયો, પડી જશે ફરક

પતિ અને પત્ની વચ્ચે જો થઈ રહ્યા હોય ઝગડા, તો અપનાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ.

પતિ અને પત્ની વચ્ચે સતત ઝગડા થતા હોય અને એ ઝગડાનો કોઈ અંત જ ન આવતો હોય તો તમે તમારા ઘરના વાસ્તુ પર પણ ખાસ ધ્યાન આપો. જો તમારા ઘરના વાસ્તુમાં કઈક ગડબડ છે તો એ તમારા ઝગડાનું કારણ બની શકે છે. હા એ સાચી વાત છે. જો પતિ અને પત્ની વચ્ચે હંમેશા અણબનાવ રહેતો હોય, રોજ ઝગડા ને કકળાટ થતો હોય, એકબીજાના વિચારો ન મળતા હોય, તો ઘરના વાસ્તુ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પતિ અને પત્ની વચ્ચે થતા હોય ઝગડા તો ક્યાં વાસ્તુ ઉપાય કરવા જોઈએ એ આજે અમે તમને જણાવીશું. તો ચાલો જાણી લઈએ.

image source

જાણીતા વાસ્તુ એક્સપર્ટ અને ટેરો કાર્ડ રીડરના કહેવા અનુસાર, દિશાઓની વૈવાહિક જીવન પર ગાઢ અસર થાય છે. જો ઘરમાં પતિ અને પત્નીના ફોટા ખોટી દિશામાં રાખ્યા હોય, બેડરૂમમાં અરીસો ખોટી દિશામાં રાખ્યો હોય, લગ્નનો આલ્બમ ખોટી દિશામાં રાખ્યો હોય, કપલનો બેડ ખોટી દિશામાં હોય…

image source

આવી નાની નાની ભૂલો પણ પતિ અને પત્નીના ઝગડાનું કારણ બની જાય છે. ક્યારેક હંમેશા પ્રેમથી રહેનાર કપલ અચાનક જ ઝગડવા લાગે છે, અરસપરસ એમના વિચારો નથી મળતા હોય, જો આવું તમારી સાથે પણ થઈ રહ્યું હોય તો સૌથી પહેલા પોતાના ઘરના વાસ્તુને ચેક કરો. જો ઘરમાં કોઈ વસ્તુ ખોટી દિશામાં મૂકી હોય તો એને સાચી જગ્યાએ મૂકી દો. આવું કરવાથી તમારા સંબંધોમાં ફરીથી પહેલા જેવો પ્રેમ પરત ફરે છે.

image source

પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટેની 7 વાસ્તુ ટિપ્સ.

1) નવ દંપતિનો બેડરૂમ જો ઉત્તર દિશામાં હોય તો એ શુભ હોય છે. આવું કરવાથી એમની વચ્ચે પ્રેમ વધે છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

2) વાસ્તુ અનુસાર દક્ષિણ પશ્ચિમ દિશાવાળા બેડરૂમ શુભ ફળદાયક હોય છે.

image source

3) બેડરૂમ માટે પિંક કલરનો પેઇન્ટ પસંદ કરો, પિંક કલર પ્રેમને વધારે છે.

4) બેડરૂમમાં પિંક કે પછી લવેન્ડર કલરના પડદા અને બલ્બ લગાવો..

5) પ્રેમ વધારવા માટે ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં કાચ કે સીરામીક પોટમાં નાના નાના પથ્થર કે ક્રિસ્ટલ નાખીને લાલ રંગની મીણબત્તીઓ સળગાવો. એનાથી સકારાત્મક ઊર્જા મળશે.

image source

6) વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની તસવીર લગાવવી જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. વાંસળી વગાડતા કૃષ્ણ અને તેને પ્રેમથી સાંભળતી રાધાની તસવીર સવારે જોવાથી દંપતિ વચ્ચેનો તાલમેલ વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે

7) દંપતિ વચ્ચે પ્રેમ વધે તે માટે બેડરૂમમાં પોપટની જોડીની તસવીર રાખવી જોઈએ. પોપટની જોડી પણ કામદેવ અને રતિનું રૂપ મનાઈ છે. તે સૌભાગ્ય પણ લાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ