પ્રેમના સંબંધોને વધુ મજબૂત કરવા જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો અજમાવો તમે પણ

સુખી દાંપત્ય જીવનનો આધાર પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને પ્રેમ પર હોય છે. જો પતિ-પત્ની વચ્ચે વિશ્વાસ હોય તો દાંપત્યજીવનમાં કોઈ જ સમસ્યા આવતી નથી. પરંતુ જો બંને વચ્ચે વિશ્વાસની ખામી હોય તો સંબંધમાં સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જો દાંપત્યજીવનમાં મધુરતા ન હોય તો કેટલાક લોકોનું મન ઘરની બહાર ભટકવા લાગે છે. આવી સ્થિતીમાં પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ઓછો થઈ જાય છે અને ક્લેશ વધી જાય છે.

દાંપત્યજીવન જો બરાબર ન હોય તો તેની અસર પરિવાર માળા પર પણ પડે છે. ઘરમાં માતા-પિતા, સંતાનોને પણ કંકાશનું વાતાવરણ વિચલિત કરી શકે છે. તેમાં પણ જો પતિ-પત્ની વચ્ચે લડાઈ ઝઘડા રોજ થવા લાગે તો સંબંધ તુટતાં પણ સમય નથી લાગતો. ઘરમાં જ્યારે આવી સ્થિતી સર્જાય ત્યારે જ તેનો ઉપાય પણ કરી દેવો જોઈએ. આવી સ્થિતીનું સમાધાન જ્યોતિષ શાસ્ત્ર અને અન્ય ગ્રંથોમાં આપવામાં આવ્યું છે. આ સમાધાન કેટલાક સરળ ઉપાય છે. આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે અને ક્લેશ દૂર થઈ જાય છે.

image source

– દરેક માસની પૂનમની તિથી પર ઘરમાં ખીર બનાવવી. ખીર બનાવી તેને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને ધરાવવી અને પછી તે પ્રસાદ પતિ-પત્નીએ સાથે ગ્રહણ કરવો.

– પતિ વારંવાર ક્રોધ કરતો હોય તો પત્નીએ દરરોજ શિવ મંદિરમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરી અને લાલ ગુલાબના ફૂલ ચઢાવવા.

image source

– પતિનું મન બહાર ભટકતું હોય તો પત્નીએ આ ઉપાય કરવો. ઉપાયમાં કરેણના પીળા ફૂલને પાણીમાં વાટી અને તેનું તિલક પતિના કપાળ પર કરવું.

– દાંપત્યજીવનમાં સર્જાયેલી સમસ્યાઓને શીર્ઘ દૂર કરવી હોય તો પત્નીએ રોજ શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ. શિવ-પાર્વતીજીના આશીર્વાદથી દાંપત્યજીવનની સમસ્યાઓ ઝડપથી દૂર થશે અને પરસ્પર પ્રેમ પણ વધશે.

image source

– પતિ-પત્ની બંનેએ દર ગુરુવારે ભગવાન વિષ્ણુના મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ. દર્શન કરવા જતી વખતે પીળા વસ્ત્ર પહેરવા અને ભગવાનને પીળી મીઠાઈ ધરાવવી.

– જે સ્ત્રીને પતિનો પ્રેમ ન મળતો હોય તેણે રોજ કેળાના વૃક્ષને જળ ચઢાવવું અને ગુરુવારના દિવસે તેના મૂળમાંથી એક ટુકડો તોડી અને ઘરે લાવવો. આ ટુકડાને લાલ દોરાની મદદથી પતિના હાથ પર બાંધી દેવો. પતિનો પ્રેમ મળવા લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ