છ પ્રકારની બિમારીઓમાં મખાણા રામબાણ ઈલાજ.
રોજ સવારે ચાર મખાણા ખાવાથી 6 પ્રકારની બિમારીમાં રાહત પ્રાપ્ત કરી શકાય છે.
આમ પણ ડ્રાયફ્રૂટ્સ આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે .અને દરેક ડ્રાયફ્રૂટ્સમાંથી વિવિધ પ્રકારના લાભ મેળવી શકાય છે. મખાણા એક એવું ડ્રાયફ્રુટ છે જેને નાસ્તામાં નિયમિત ઉપયોગમાં લઇ શકાય છે. એટલું જ નહીં કેટલીક મહત્વની બીમારીઓમાં પણ મખાણા દવા તરીકે ઉપયોગી છે.
ડાયાબિટીસ
જે ડાયાબીટિસની સમસ્યાથી પીડાતા હોય તેઓ સવારે ખાલી પેટે 4 મખાણા ખાય તો તેમનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. મખાણા શરીરમાં ઇન્સ્યુલિન બનાવવામાં મદદરૂપ છે. રોજના નાસ્તામાં મખાણાને સ્થાન આપવામાં આવે તો શુગર ની સમસ્યા માં રાહત મળે છે.
હૃદય રોગ
હૃદયની બીમારીઓમાં પણ મખાણા ઉપયોગી છે. મખાણા ચરબીનું સારી રીતે પાચન કરી જાણે છે અને લોહીને પણ પાતળું રાખવામાં મદદ કરે છે. મખાણા લોહીમાં જમા થયેલું કોલેસ્ટ્રોલ દૂર કરે છે માટે હૃદય રોગના દર્દી એ પણ સવારે ખાલી પેટે મખાણા ખાવાની ટેવ પાડવી જોઈએ.
ડિપ્રેશન
મખાણામાં રહેલા પોષક તત્વો તણાવને દૂર કરી માનસિક તંદુરસ્તી જાળવવામાં ફાયદાકારક છે. મખાણાનું સેવન ડીપ્રેશન દૂર કરે છે. મખાણા ખાવાથી અનિદ્રાથી પીડાતા લોકોને પણ રાહત થાય છે. રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ સાથે મખાણા ખાવામાં આવે તો સારી ઊંઘ પ્રાપ્ત થાય છે.
સાંધાના રોગ
સાંધાના દુખાવામાં ,આર્થરાઈટિસના પેશન્ટ માટે પણ મખાણા ઉપયોગી છે. શરીરમાં કેલ્શિયમની ખામી સાંધાના દર્દ માટે જવાબદાર હોય છે. મખાણા માં રહેલું કેલ્શિયમ તેમજ અન્ય પોષક તત્વો શરીરને નીરોગી રાખે છે અને સાંધામાં ગ્રીસ પુરૂ પાડી સાંધા મજબૂત કરે છે.
પાચન સંબંધિત સમસ્યા.
આહારની અનિયમિતતા અને આહારમાં ફાસ્ટ ફૂડને વધુ પડતું સ્થાન પાચનતંત્રને ડિસ્ટર્બ કરે છે.મખાણા માં રહેલાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પાચન તંત્ર તથા શરીરને સ્વસ્થ અને નિરોગી રાખે છે. મખાણા કબજિયાત ને પણ દૂર કરે છે, ભૂખ લગાડે છે , ખોરાકને સુપાચ્ય બનાવે છે અને પેટની સમસ્યામાં પણ રાહત આપે છે.
કિડની
કીડનીના અનિયમિત ફંકશન ને કારણે ઘણી બધી શારીરિક સમસ્યા સર્જાઇ શકે છે. ઘણા લોકોને બહુ નાની ઉંમરમાં જ કિડની ખરાબ થઈ જતી હોય છે. ડાયાબીટીસની તકલીફ પણ કિડની માટે પ્રભાવક પરિબળ બની રહે છે. રોજ મખાણા ખાવાથી કિડની સારી રીતે સાફ થાય છે જેનાથી કિડનીની તકલીફોમાં રાહત મળી શકે છે. મખાણા લોહીને પણ પ્યોર કરવાનું કામ કરે છે.
બસ તો આમાં ખાવાના ફાયદા જાણી લીધા પછી રોજ સવારના નાસ્તામાં મખાણાને સ્થાન આપી સારું આરોગ્ય પ્રાપ્ત કરવું આપણા હાથમાં છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ