વાસ્તુ ટીપ્સઃ પૈસાની તંગી દૂર કરવા માટે આ રીતે વાપરો મોરપીંછ…

રાજા જેવો ઠાઠ આપતું મોરપીંછ

આપણા વહાલા કૃષ્ણ અને કૃષ્ણને અતિ વ્હાલું મોરપીંછ. આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણે મોરપીંછને મસ્તક પર ધારણ કર્યું. મોરનું પીછું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે .કહેવાય છે કે મોરનું પીછું સફળતાના દ્વાર ખોલી આપે છે.હિન્દુ ધર્મમાં જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રનું પણ વિશેષ સ્થાન છે .જ્યોતિષશાસ્ત્ર ગ્રહો અને નક્ષત્રોને આધારે ભવિષ્યમાં બનનારી ઘટનાઓની આગોતરી જાણકારી આપી ચેતવે છે, જ્યારે વાસ્તુશાસ્ત્ર ઘર, ઘર નું સ્થાન ,દિશાઓને આધારે નાના-નાના ફેરફાર દ્વારા ઘરમાં સુખ શાંતિ અને સફળતા પ્રદાન કરતી હકારાત્મક ઉર્જાનું દિશા સૂચન કરે છે.

image source

આ બંને શાસ્ત્રમાં કેટલા શુભ ચિન્હો અને શુભ ચીજ વસ્તુઓ વિશે જાણકારી આપવામાં આવી છે ,જેના દ્વારા માનવી તેના જીવનમાં ઇચ્છે તો સુખ શાંતિનો અનુભવ કરી શકે છે.

વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ શુભ ચીજોમાં ,શુભ સંકેતમા મોરપીછ નો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ઘરમાં મોરનું પીછું રાખવાથી નકારાત્મક તત્વો ઘરથી દૂર રહે છે એટલું જ નહીં સફળતા ઘરનું આંગણું ખખડાવે છે.

image source

શું તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં ધનની વર્ષા થાય અને ઘરના સુખ શાંતિ હંમેશા રહે તો ઘરમાં યોગ્ય દિશામાં મોરનું પીછું રાખવું જોઈએ.

image source

કૃષ્ણ પ્રિય મોરપીંછ કાર્યમાં આવતા વિઘ્નોને દૂર કરી સફળતાના દ્વાર ખોલી આપે છે .પરંતુ મોરપીંછ માટેની પહેલી શરત એ છે કે તેને ઘરમાં યોગ્ય દિશામાં રાખવો જોઈએ. કોઈપણ કાર્યની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ માટે મોરપીંછ બેડરૂમમાં પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ.

image source

ઘરની આર્થિક સમસ્યાના નિવારણ માટે ઓફિસ અથવા ઘરની તિજોરીમાં દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપીછ રાખવામાં આવે તો નાણાંકીય લાભની પ્રાપ્તિ થાય છે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પણ તિજોરીમાં મોરપીછ મૂકવાથી પરત ફરે છે તેમજ ધનલાભના અન્ય રસ્તા પણ ખુલ્લા થાય છે.

image source

ઘરમાં મોરપીંછ રાખવાથી ઉત્પન્ન થતી હકારાત્મક ઉર્જા ને કારણે ઘર તેમજ ઘરમાં વસતા લોકો ,અને આસપાસના વાતાવરણ પર પણ તેનો સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન થાય છે. મોરપીછના પ્રભાવને કારણે શત્રુ પણ મિત્ર બની જાય છે તેમજ કુટુંબમાં થયેલા મન ભેદ પણ નાશ પામી પારિવારિક સંબંધોમાં પણ મોરપીંછ ને કારણે સુધારો થાય છે.

image source

ઘરના વાસ્તુદોષનો નાશ કરવા માં મોરપીંછ મહત્વનો ભાગ ભજવે છે. ઘરના મુખ્ય દ્વાર પર મોરપીંછ લગાવવામાં આવે તો ઘરમાં વાસ્તુદોષ હોય તે દૂર થાય છે. ઘરના દ્વાર પર મોરપીંછ સાથે ગણેશજીની પ્રતિમા મૂકવાથી પણ વિશેષ લાભ થાય છે.

image source

ઘરના બાળકોનું ધ્યાન અભ્યાસમાં મન ન લાગતું હોય તો પણ તેમના અભ્યાસ ની જગ્યા પર મોરપીંછ મૂકવાથી બાળકોને અભ્યાસ પરત્વે રૂચી કેળવાય છે તેમજ અભ્યાસમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે.

image source

કૃષ્ણએ ધારણ કરેલું મોરપીંછ ઘરમાં ધન-ધાન્ય તેમજ સ્નેહનું વાહક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ