ઘણીવાર એવું બને છે કે જ્યારે પણ તમે કોઈ નવા મકાન અથવા નવા શહેરમાં જાઓ છો, તમારે આધાર સહિત ઘણા દસ્તાવેજો પર તમારું સરનામું બદલવું પડે છે. તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જાઓ છો. આ સમયે તમે વિચારતા જ હશો કે એવું થાય કે જો આધારકાર્ડ પરની તમારી વિગતો દસ્તાવેજ વિના બદલાઈ જાય અને પરેશાની પૂરી થાય. તો જાણો કે તમે આ પ્રક્રિયા ઓનલાઇન કેવી રીતે પૂર્ણ કરી શકાય છે.
આ ડોક્યુમેન્ટની પડી શકે છે જરૂર
હવે તમે કોઈપણ દસ્તાવેજ વિના તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું અપડેટ કરી શકો છો. અત્યાર સુધી આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે રહેણાંક પુરાવો હોવો જરૂરી હતો. પરંતુ હવે જો તમારી પાસે આવો કોઈ પુરાવો નથી, તો પછી તમે ‘આધાર કાર્ડ વેરિફાયર’ ની મદદથી આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરી શકો છો.
આ છે સરળ ઓનલાઈન પ્રોસેસ
સરનામું અપડેટ કરવા માટે તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર લોગ ઇન કરવું પડશે. આ પછી તમે ‘માય આધાર’ મેનુ પર જઈને Update your Aadhar પર ક્લિક કરો. આ પછી તમારેUpdate Demographics Data Online પર ક્લિક કરવું પડશે અને બધી પ્રક્રિયાને અનુસર્યા પછી તમે એક નવા પેજ પર જશો. આ પેજ પર ‘એડ્રેસ પ્રૂફ દ્વારા એડ્રેસ અપડેટ’ અને ‘સિક્રેટ કોડ વડે અપડેટ એડ્રેસ’ બે વિકલ્પો હશે.
જો તમારી પાસે એડ્રેસ પ્રૂફના જરૂરી માન્ય દસ્તાવેજો હોય તો તમારે પ્રથમ વિકલ્પ પસંદ કરવો પડશે. જ્યારે બીજો વિકલ્પ તે સમયનો છે જ્યારે તમારી પાસે કોઈ દસ્તાવેજ નથી. UIDAI ના જણાવ્યા અનુસાર એડ્રેસ બદલતા પહેલા કોઈએ પહેલાં એડ્રેસ વેરિફિકેશન લેટરને માટે અરજી કરવાની રહેશે. આ માટે https://resident.uidai.gov.in પર જાઓ અને Aadhaar Update Section માં આપેલRequest Aadhaar Validation Letter’ને પસંદ કરો. જ્યારે તમે તેને પસંદ કરો છો ત્યારે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટ (SSUP) ખુલશે.
હવે તમારે તમારા 12 અંકના આધાર નંબર દ્વારા તેમાં એન્ટર થવું પડશે. પછી વેરિફાઈ આધાર નંબર નાંખીને સબમિટ કરો. હવે ચકાસણીકર્તાને મંજૂરી આપવા માટે તેમના નોંધાયેલા મોબાઇલ નંબર પર SMS દ્વારા એક લિંક પ્રાપ્ત થશે. આ લિંક પર ક્લિક કરશો તો તમને બીજો SMS મળશે, જેમાં OTP આવશે. OTP અને કેપ્ચા અહીં ભર્યા બાદ ચકાસણી કરવી પડશે.
આ પછી તમને એસએમએસ દ્વારા સેવા વિનંતી નંબર (SRN) પ્રાપ્ત થશે. હવે તમારે એસઆરએન દ્વારા પ્રવેશ કરવો પડશે અને એકવાર ફરીથી નવું સરનામું તપાસો. જો સરનામું સાચું છે તો સબમિટ બટન પર ક્લિક કરો. આ પછી તમને એક પત્ર મળશે. આ ઉપરાંત એડ્રેસ વેરિફિકેશન લેટરની સાથે ‘સિક્રેટ કોડ’ તેમના સરનામાં પર પોસ્ટ દ્વારા વેરિફાયરને મોકલવામાં આવશે. આ પછી, તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે અને Proceed to Update Address પર ક્લિક કરવું પડશે.
તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો અને સિક્રેટ કોડ દ્વારા સરનામાંને અપડેટ કરવાનો વિકલ્પ પસંદ કરો.’ સિક્રેટ કોડ’ દાખલ કર્યા પછી નવું સરનામું તપાસો અને સબમિટ પર ક્લિક કરો. હવે સ્ક્રીન પર દેખાતા URN ની નોંધ લો. આ નંબર દ્વારા તમે તમારા અપડેટ થયેલા આધારની સ્થિતિ ચકાસી શકો છો.