મિત્રો, સમગ્ર વિશ્વમા કઠોળનો ભરપૂર પ્રમાણમા ઉપયોગ થાય છે. ભારતીય ભોજનમા દાળને વિશેષ સ્થાન આપવામા આવ્યુ છે. એવુ માનવામાં આવે છે કે, દાળ કોઈપણ રીતે લેવી જોઈએ, તે ખુબ જ ફાયદાકારક છે. આજે આપણે જે દાળની વાત કરી રહ્યા છીએ, તે સામાન્ય રીતે ‘લાલ મસૂર’ તરીકે પણ ઓળખાય છે. તે ઉર્જા અને પોષક તત્ત્વોથી ભરેલું છે અને તેના ફાયદા ખૂબ જ વધારે છે.
છેલ્લા અમુક દાયકાઓમા દાળ તેમના વિશેષ ફાયદાઓને કારણે ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. દાળનો એક બાઉલ તમારા શરીરમા આવશ્યક તમામ પોષકતત્વોની માંગને પૂર્ણ કરે છે તેવી સંભાવનાને નકારી શકાય નહીં. આ દાળ દરેકના શરીર અને આરોગ્ય પર વિવિધ ફાયદાકારક અસરો બતાવે છે.
તેને બનાવવી પણ ખૂબ જ સરળ છે. તે તેના સ્વાદને કારણે મોટાભાગની કઠોળથી અલગ માનવામાં આવે છે. તમે તમારા સ્વાદ અનુસાર તેમા વિવિધ મસાલા ઉમેરીને પણ રાંધી શકો છો. એક કપ દાળમા ૨૩૦ ગ્રામ કેલરી, ૧૫ ગ્રામ ડાયેટ ફાઇબર અને લગભગ ૧૭ ગ્રામ પ્રોટીન હોય છે. આયર્ન અને પ્રોટીનથી સમૃદ્ધ આ દાળ શાકાહારી લોકો માટે એક આદર્શ પસંદગી છે. તો ચાલો આજે આ લેખમા આપણે દાળના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે માહિતી મેળવીએ.
ફાયદા :
બ્લડસુગર નિયંત્રણમા રહે :
ડાયેટરી ફાઇબર એ મસૂર દાળમા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તે ગ્લાયકેમિક ઇન્ડેક્સના તળિયે આવે છે, જે નાના આંતરડામાં લોહીના સ્તરને નિયંત્રણમાં રાખે છે અને પાચન દરને ધીમું કરે છે અને આ સિવાય બ્લડસુગરના સ્તરને પણ નિયંત્રણ રાખે છે તેથી, જે લોકોને સુગર, ડાયાબિટીઝ અને ઇન્સ્યુલિનના ઉત્પાદનમા સમસ્યા હોય છે તો તેમણે નિયમિત આ દાળ ખાવી જોઈએ.
વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થાય છે :
આ દાળને મોટાભાગના વજન ઘટાડવાના ભોજનનો ઉત્તમ ભાગ માનવામા આવે છે. જેમા કાર્બોહાઈડ્રેટની યોગ્ય માત્રા છે કે જે સંતોષની લાગણી આપે છે. જ્યારે ચરબી ખૂબ જ ઓછી હોય છે. તેમાં હાજર ઉચ્ચ ફાઇબરનુ પ્રમાણ પાચન પ્રક્રિયાને ધીમુ કરે છે, જે વજન ઘટાડવામા અસરકારક સાબિત થાય છે. તમારી ખાણીપીણીમા દરરોજ એક કપ દાળનુ સેવન કરવાથી વિટામિન, પ્રોટીન અને અન્ય પોષકતત્વો મળે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે :
આ દાળ એન્ટી-ઓકિસડન્ટ પાવરહાઉસ છે, જે કોશિકાઓના ભંગાણને અટકાવે છે. તેમા ઉપલબ્ધ પુષ્કળ પ્રમાણમા પોષકતત્વો તમારી રોગપ્રતિકારક શક્તિને સુધારે છે. તેને વૃદ્ધત્વ વિરોધી ભોજન બનાવે છે. તે તમારા રંગતને યુવાન બનાવી રાખે છે. તેના સેવનની સાથે ત્વચાની સમસ્યાઓથી રાહત મેળવવા માટે દાળનો ઉપયોગ પણ કરવામા આવે છે.
હાડકા મજબુત બને :
આ દાળ એ વિટામિન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા અન્ય પોષકતત્વોનો સમૃદ્ધ સ્રોત છે, જે તંદુરસ્ત દાંત અને હાડકા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. તેને તમારા દૈનિક ભોજનમા ચોક્કસપણે શામેલ કરો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત