દિવાળીનો તહેવાર આનંદ કરવાની સાથે ઇશ્વરની કૃપા મેળવવાનો પણ આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી વર્ષભર સુખ-સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે.
જે રીતે જ્યોતિષ શાસ્ત્રમાં કોઇ વસ્તુનો દોષ લાગતો હોય છે, તે જ રીતે જે તે દોષના નિવારણ માટે ઉપાય અને ટુચકા પણ પ્રચલિત છે.
એક માન્યતા અનુસાર, એક રૂપિયાના સિક્કાથી કરવામાં આવતા ટુચકાથી વર્ષ દરમિયાન ઘરમાં સુખ-શાંતિ રહે છે, તથા લક્ષ્મીજીની કૃપા થશે સાથે આર્થિક લાભ પણ થશે તો આવો જાણીએ તે ટુચકા વિશે.
ધનમાં વદ્ધિ થશે
મા લક્ષ્મીની કૃપા મેળવવા એડવી લક્ષ્મીજીને ચડાવેલા સિદૂંરને એક રૂપિયાના સિક્કા પર લગાવો, હવે તેને તિજોરીમાં રાખી દો. નિયમિત રીતે રોજ અગબત્તી કરો. તમારા ધનમાં વૃદ્ધિ થશે તથા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે.
કોઇ ખોટો ખર્ચ નહીં થાય
દિવાળીની રાતે માતા લક્ષ્મીના ચરણોમાં એક રૂપિયાનો સિક્કો રાખો. હવે પૂજા અર્ચના કર્યા બાદ તેને ઘરની છતમાં વચ્ચે રાખો. તે સિક્કા પર એક દીવો મૂકીને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે તે સિક્કાને તિજોરીમાં રાખી દો. આ ટુચકો કરવાથી ઘરમાં કોઇ પ્રકારનો ખોટો ખર્ચ નહીં થાય.
આર્થિક સ્થિતિ સારી થશે
જો તમે તમારી આર્થિક સ્થિતિ વધારે સારી બનાવા ઇચ્છતા હોય તો દિવાળીના દિવસે ઘરની ચાર બાજુએ સરસિયાના તેલના દીવા કરો, તે કોડિયામાં એક રૂપિયાનો સિક્કો પણ રાખો. આ દીવા રામ થાય પછી બીજા દિવસે તે રૂપિયાના સિક્કોને તમારા પર્સમાં રાખો. તમારા ધનમાં વૃદ્ધિ થશે.
ધનની ક્યારેય અછત નહીં સર્જાય
તહેવાર કે શુભ પ્રસંગે આપણાં આંગણે હાજરી આપતા કિન્નર (માસીબા)ને શુકનીયાળ માનવામાં આવે છે. દિવાળીના દિવસે જો કોઇ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો લઇને તિજોરીમાં રાખવામાં આવે તો ક્યારેય ધનની અછત નહીં થાય.
પૈસા તમારી ટકશે
ઘણા લોકો ગમે તેટલી મહેનત કરે તેમ છંતા તેમની પાસે પૈસા ટકતા જ નથી. જો તમારી પણ કંઇક આવી જ સ્થિતિ છે તો તમે પીળા રંગની એક કોડી લો, તેની સાથે એકરૂપિયાનો સિક્કો લઇને આ બંનેને એક રેશમી કાપડમાં બાંધીને રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !