શરીરનું મહત્વનું અંગ નાભિ ખૂબ મહત્વનું છે. ઘણીવાર ડોકટર કહી દે છે કે નસ બંધ થઈ ગઈ છે કે કામ નથી કરતી કે બ્લોક થઈ જાય છે. ત્યારે આપણે એક વાત ભૂલી જઈએ છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેને નાભિ સાથે જોડાયેલી નાડથી જ ગર્ભાવસ્થાના નવ મહિના પોષણ મેળવે છે.
જેમ મોટા થઈએ છીએ તેમ ભુલાતું જાય છે કે શરીરની બધી નસોનું જોડાણ નાભિમાં હોય છે. આથી આજે આપને નાભિ વિશે એવાં રહસ્યો જણાવીશું કે જે કરવાથી મોટાભાગના રોગોમાં રાહત મળે છે. જો આપ રોજ રાતે સુતા પહેલા નાભિમાં તેલ લગાવવાથી ક્યાં ફાયદા થાય છે અને ક્યાં તકલીફ હોય તો કયું તેલ લગાવાથી વધુ ફાયદો થશે તે જણાવીશું.
- -નાભિમાં દરરોજ રાઇનું તેલ લગાવવાથી આંખોનું તેજ વધે છે અને ત્વચા મુલાયમ બને છે.
- – નાભિમાં તેલ લગાવવાથી શરીરના કોઈપણ ભાગમાં સોજો આવતો હોય તો તે સમસ્યામાં રાહત મળે છે.
- – નાભિમાં સરસવનું તેલ લગાવવાથી પાચનતંત્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જેમકે અપચો, ફૂડ પોઇઝનિંગ, ઝાડા, વોમિટિંગ જેવું લાગ્યા કરવું.
- – નાભિમાં તેલ લગાવવાથી ઘૂંટણના દુખાવામાં ખૂબ રાહત મળે છે.
- -જો આપને ચહેરા પર ખીલ કે ખીલના ડાઘની સમસ્યા રહેતી હોય તો નાભિમાં સરસવનું તેલ રોજ રાત્રે સૂતા પહેલા લગાવી દેવું.
- – બદામનું તેલ નાભિમાં લગાવવાથી ચહેરાની રંગત વધે છે. ઉપરાંત સ્કિન સ્વસ્થ રહે છે.
- – શરીરને લગતી આવી સમસ્યાઓ માટે પીપરમેન્ટ ઓઇલ, જીંજર ઓઇલ કે અન્ય તેલ મિક્સ કરીને પણ લગાવી શકાય છે.
- – નાભિમાં લીમડાનું તેલ મુકવાથી ચહેરાની અનેક સમસ્યા જેવી કે ખીલ કે ખીલના ડાઘ વગેરે માટે કારગત ઉપાય નીવડે છે.
- – જો લીમડાનું તેલ મળી શકે એમ ના હોય તો લીંબુના રસને તેલ સાથે ભેળવીને નાભિમાં મૂકવું જોઈએ.
- – નાભિ પ્રજનન તંત્ર સાથે સંકળાયેલું છે. આથી નાભિમાં તેલ લગાવવાથી પ્રજનન ક્ષમતા વિકસે છે. આજકાલ પુરૂષોમાં પણ ઘણી ફરિયાદ જોવા મળે છે તો તેમને પણ પોતાની નાભિમાં તેલ લગાવે તો શુક્રાણુના કણની વૃદ્ધિ થાય છે અને રક્ષણ મળે છે.
- – જ્યારે મહિલાઓએ નારિયેળની તેલ કે ઓલિવ ઓઇલ લગાવવાથી હોર્મોન્સ રહે છે અને ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.
- – મોટાભાગે સ્ત્રીઓમાં માસિકધર્મ સમયે પીડાનો અનુભવ થાય છે. આ પીડાને દૂર કરવા માટે કોટન બોલને બ્રાન્ડિમાં પલાળીને નાભિ પર મુકવાથી માસિકધર્મ સમયે થતી પીડામાં રાહત મળે છે.
ધ્યાન રાખવાની વાતો.:
- – નાભિમાં જો રોજ તેલ મુકવાની ઈચ્છા ધરાવો છો તો નાભિને રોજ સ્નાન કરતી વેળાએ વ્યવસ્થિત સાફ કરવી.
- – જો નાભિની રોજ સફાઈ ના થાય તો તેમાં મેલ જામી શકે છે. ત્યારબાદ કોઈપણ તેલની અસર શરીર પર દેખાશે નહિ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ