અત્યાર સુધી આખી દુનિયામાં નોવેલ કોરોના વાઇરસથી ૧૪ લોકોના મૃત્યુના મામલાઓ સામે આવ્યા છે.
નોવેલ કોરોના વાઇરસ(middle east respiratory)થી મરનાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ચીનનો પણ છે. ચીનના વુંઆન પ્રાંતમાં ૫ જાન્યુઆરીના રોજ નોવેલ કોરોના વાઇરસથી એક વ્યક્તિની મૃત્યુ થઈ હતી.
આ વાઇરસ એટલી ઝડપથી ફેલાવન કારણે ભારત સરકારે દિલ્લી, મુંબઈ અને કોલકતા એરપોર્ટ પર ચીનથી આવવાવાળા પ્રવાસીઓની સાવધાની માટે થર્મલ સ્કેનર દ્વારા તપાસ કરવાનો નિર્દેશ અપાયા છે. આ સાથેજ ચીન જવા વાળા અને ચીનથી આવતા પ્રવાસીઓ માટે પરામર્શ જાહેર કરાયો છે.
ચાલો જાણીએ શું છે. નોવેલ કોરોના વાઇરસ અને તે કેવી રીતે ફેલાઈ રહ્યો છે.
કોરોના વાઇરસ શું છે?
ડબલ્યુએચઑ મુજબ કોરોના વાઇરસ સી-ફૂડથી જોડાયેલો છે. કોરોના વાઇરસ વિષાણુઓન પરિવારના છે અને આનાથી લોકો બીમાર પડી રહ્યા છે.
આ વાઇરસ ઊંટ, બિલાડી અને ચામચીડિયા સહિત કેટલાક પશુઓમાં પણ પ્રવેશ કરી રહી છે. દુર્લભ સ્થિતિમાં પશુ મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે. આ વાઇરસનું માનવ થી માનવનું સંક્રમણ વૈશ્વિક સ્તરે ખૂબ ઓછું છે.
કોરોના વાઇરસના લક્ષણો:
કોરોના વાઇરસના દર્દીઓને સામાન્ય રીતે શરદી,ખાંસી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતના લક્ષણો જોવા મળે છે. ત્યારપછી આ લક્ષણો નીમોનિયા અને કિડનીને નુકસાન પહોંચાડે છે.
કોરોના વાઇરસથી બચાવ:
આ વાઇરસ જ્યાં ફેલાઈ રહ્યો છે સૌપ્રથમ ત્યાં જવાથી બચવું. જો આપ એવી જગ્યાની આજુબાજુ છો તો આ વાઇરસથી બચવા માટે નીચે આપેલ ઉપાયો અપનાવી શકો છો…
ઘરને સાફ રાખવું અને બહારથી આવતી વસ્તુઓને પણ સાફ કરીને જ ઘરમાં લાવવી.
૧.આપના હાથને સારી રીતે સાબુથી ધોવા. જો સાબુ ના હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકો છો.
૨. નાક અને મોંને ઢાંકીને રાખવા.
૩. બીમાર લોકોથી થોડું અંતર બનાવી રાખવું. કોરોના વાઇરસથી પીડિત વ્યક્તિએ વાપરેલા વાસણો વાપરવા નહિ અને યાદવ પણ નહિ. આમ કરવાથી દર્દી અને આપ બંને સુરક્ષિત રહેશો.
૪. ઘરને સાફ રાખવું અને બહારથી આવતી વસ્તુઓને પણ સાફ કરીને જ ઘરમાં લાવવી.
૫. નોન વેજ ખાસ કરીને સી-ફૂડ ખાવાથી બચવું, કેમકે કોરોના વાઇરસ સી-ફૂડ જ ફેલાવે છે.
કોરોના વાઇરસનો ઉપચાર:
અત્યાર સુધી કોરોના વાઇરસથી છુટકારો મેળવવા માટે કોઈ વેક્સિન બની નથી. આ વાઇરસના ઉપચાર માટે વેક્સિન બનાવવાનું કામ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ