જલ્સા કરોને જેંતીલાલ

નીતા અંબાણી – ફક્ત પોતાના નામથી જ નહિ પોતાના કામથી પણ ઓળખાય છે…

મુકેશ અંબાણીના અંગત-જાહેર-ધંધાકીય જીવન વિષે તો આપણે ઘણું બધું જાણી લીધું છે. અને સાથે સાથે આપણે તેમના કુટુંબ એટલે કે તેમની માતા,પત્ની, બાળકો વિષે પણ થોડું ઘણું જાણતા થયા છીએ. પણ તમે એ તો માનતા જ હશો કે બિઝનેસ મેન પતિની સાથે સાથે તેમની પત્ની એટલે કે નીતા અંબાણી પણ એક બિઝનેસ વુમન છે, એક સોશ્યલિસ્ટ છે એક મોટી સેલિબ્રિટી છે. તેણીએ પણ પોતાના પતિથી અલગ એક આગવી ઓળખ ઉભી કરી છે. તો ચાલો જાણીએ આજે નીતા અંબાણીનું કેટલુંક અંગત-અંગત.

તમારામાંથી ઘણા બધાને એ ખ્યાલ હશે જ કે તેણી એક એજ્યુકેશનીસ્ટ છે એટલે કે શૈક્ષણિક સંસ્થાની એક આખી શ્રેણી ચલાવી રહી છે. પણ તમને કદાચ તે પાછળની હકીકતોની જાણ નહીં હોય. નીતા અંબાણીના દાદા કોલકાતામાં એક ફ્રેન્ચ પ્રોફેસર હતા જો કે તેણી ક્યારેય તેમને મળી નહોતી. પણ તેણીએ પોતાના લગ્ન બાદ ભણાવવાનું શરૂ કર્યું.

મુકેશ અંબાણી તે વખતે પાતાળગંગા પ્લાન્ટ સ્થાપી રહ્યા હતા અને તે વખતે તે બન્નેએ ત્યાં એક ગ્રામીણ શાળા ખોલવાનું નક્કી કર્યું હતું. તેણીને બળકો હંમેશથી વાહલા છે અને જ્યારે તેમણે તે શાળાની શરૂઆત કરી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેણી ખરેખર શીક્ષણમાં રસ ધરાવે છે અને પોતાના બાકી જીવનમાં પણ તેણી તે જ કરવા માગે છે.

તેણીએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું હતું.

તેણી તે વખતે કાયદાનું શીક્ષણ લઈ રહી હતી, અને તે જ વખતે તેમના સસરા એટલે કે ધીરુભાઈ અંબાણી બીમાર પડ્યા અને તેણીએ પોતાનો અભ્યાસ છોડી દીધો. પાતાળગંગા શાળા બાદ તેમણે જામનગર શાળા સ્થાપી અને ત્યાર બાદ તો તે ક્રિયા આગળ વધથી જ રહી. અને છેવટે તેમને વિચાર આવ્યો કે તેમણે મુંબઈમાં પણ એક ઉચ્ચ ગુણવત્તાની શાળા સ્થાપવી જોઈએ.

આજે ઘણા બધા લોકો પોતાના બાળકોને વિદેશ સારા અભ્યાસ માટે મોકલતા હોય છે. અને ત્યારે તેમણે ધીરુભાઈ અંબાણી શાળાની શરૂઆત કરી. શીક્ષણમાં નીસ્પક્ષતા હોવી ખુબ જરૂરી છે. કોઈ પણ દેશ શીક્ષણ વગર આગળ વધી શકે નહીં.

આપણને સારી કોલેજો તેમજ સારા શીક્ષકોની જરૂર છે. આપણે શીક્ષકોને સશક્ત બનાવવા છે. તેણી પોતાની શીક્ષણ સંસ્થાના શીક્ષકોને જણાવે છે કે તેણીને આજે પોતે કયો પાઠ શીખી હતી તે યાદ નથી પણ તેણીએ પોતાના શીક્ષકો સાથે કેવો સમય પસાર કરેલો અને તે દ્વારા તે કેવી રીતે ઘડાઈ હતી તે તેણીને ચોક્કસ યાદ છે.

તેણી શાળામાં એડમિશન પિરિયડ દરમિયાન સંસ્થામાં જ રહે છે. તેણી તે દરમિયાન પોતાનો ફોન પણ ઓફ રાખે છે. અને તેણીની જો મરજી ચાલતી હોય તો તેણી તે દરેકને એડમિશન આપી દે જે ત્યાં એડમીશન માટે આવતું હોય છે પણ તે શક્ય નથી.

તેણી આજે દીકરી, પત્ની, માતા, ક્રીકેટ ટીમ ઓનર, એજ્યુકેશનીસ્ટ… વિગેરે કેટલાએ ભાગ પોતાના જીવનમાં નીભાવી રહી છે. પણ ખાસ વાત એ છે કે તે પોતાના આ દરેક રોલને સારી રીતે નીભાવી જાણે છે. પણ તેને માતાનો રોલ સૌથી વધારે પ્રિય છે. અને તેને તે પ્રાથમીકતા પણ આપે છે. તેણીના લગ્નના આંઠ વર્ષ બાદ તેણીને બાળકો થયા જે તેના માટે એક મોટું સ્વપ્ન પુરું થવા જેવું હતું. અને તે માટે આજે તેણી ઘણીવાર પોતાની જાતને ચુંટલી પણ ખણી લે છે કે તે ખરેખ હકીકત જ છે ને !

તેણી એક હંમેશા બાળકો માટે હાજર રહેતી માતા છે. તેણીને ખબર હોય છે કે જે-તે ક્ષણે તેના બાળકો શું કરે છે, શું ખાય છે, ક્યાં જાય છે. તેઓ હંમેશા એક બીજા સાથે જોડાયેલા રહે છે.

તેણી પોતાના બાળકોને હંમેશા જમીન સાથે જોડાયેલા રાખે છે. બન્ને પતિ-પત્ની મુકેશ અને નીતા એક મધ્યમવર્ગના સંયુક્ત કુટુંબમાંથી આવે છે. તેમાં ઘણો પ્રેમ, આત્મિયતા, હુંફ અને એકબીજા માટેની સમજ હોય છે, પણ તેમણે પણ કંઈક તો ગુમાવવું જ પડતું હોય છે. તેમના બાળકોને પણ તેણી તે જ મુલ્યો સાથે ઉછેરવા માગે છે. બાળકોએ મુકેશ અંબાણીના માતા પિતા તેમજ નીતાના માતાપિતાને પણ જોયેલા છે તેમની સાથે પણ રહેલા છે.

નીતાના માતાપિતા સાન્ટાક્રૂઝમાં રહેતા હતા અને તેણી બાળકોને ચર્ચગેટ લઈ જતી અને ત્યાંથી લોકલ ટ્રેઇનમાં તેમને પોતાના માતાપિતાને ત્યાં લઈ જતી. તેણીના માતા અમદાવાદના છે, અને તેણી પણ નીતાના બાળકોને ગુજરાત મેઇલ ટ્રેઇનમાં અમદાવાદ લઈ આવતા હતા. એટલે કે તેઓ પણ લોકલ ટ્રાન્સપોર્ટમાં સફર કરતા હતા. તેનું માનવું છે કે બાળકોને હંમેશા જમીન સાથે જોડાયેલા જ રાખવા જોઈએ.

તેણીએ તેમને જાહેર જીવનથી દૂર રાખ્યા છે. તેણીને પોતાના બાળકોના ફોટોઝ શેયર કરવા નથી ગમતા.તેણીનું માનવું છે કે તેઓ જ્યારે સમાજમાં પોતાના તરફથી કોઈ ફાળો આપે ત્યારે જ તેમણે જાહેરમાં આવવું જોઈએ. તે તેમને કશું જ તૈયાર આપવા નથી માગતી. અમારા કુટુંબનું નામ એ એક જાતની લીગસી છે તેને કમાવા માટે તેમણે કામ કરવું પડશે

તેણી તેઓની મિત્ર છે પણ છેવટે તો તેણી માતા જ છે. અને આ પાતળી રેખા તેમના બાળકો સારી રીતે જાણે છે. તેઓ પુરતી સ્વતંત્રતા લઈ શકે છે પણ તેનો ફાયદો ક્યારેય નથી ઉઠાવતા.

તેમને એક ઇન્ટર્વ્યુમાં પુછવામાં આવ્યું હતું કે તેમના બાળકોને ક્યારેક કોઈ સમસ્યા હોય ત્યારે તેઓ કોની પાસે જાય છે. ત્યારે તેણી જણાવે છે કે તે તેમની સમસ્યા અને સ્થીતી પર આધાર રાખે છે. જો તેમને આઈપીએલ દરમિયાન કોઈ સમસ્યા હોય તો તેમને ખબર છે કે ત્યારે શું કરવું અને તે વખતે તેઓ તેમના પિતા પાસે જાય છે.

તેણીનું ડેઈલી રૂટીન ક્યારેય સરખુ નથી હોતું.

તે પછી આઈપીએલ હોય કે ન હોય. જો કે તેણી રોજ સવારે 7 વાગે ઉઠી જાય છે. તેણીના મોટા બાળકો યુએસમાં છે – ઇશા યેલેમાં છે અને આકાશ બ્રાઉનમાં છે – પણ અનંત અહીં જ છે અને તેણીને તેની આસપાસ રહેવું ગમે છે. તેણીના દીવસની શરૂઆત તેની ડાન્સ પ્રેક્ટિસથી થાય છે.

અને ત્યાર બાદ તે પોતાનું કામ શરુ કરે છે, પછી તે શાળા હોય, આઈપીએલ હોય ઓફિસ હોય કે પછી હોસ્પિટલ હોય. તેણીની એક હરતીફરતી ઓફિસ છે જેનું કોઈ જ ઠેકાણુ નક્કી નથી હોતું. જ્યારે તેણી શાળાએ હોય ત્યારે બધું ત્યાં હોય છે. જો તેણી આઈપીએલમાં હોય ત્યારે બધું જ કામ સ્ટેડિયમમાંથી થાય છે અથવા તો ક્રીકેટર્સ જ્યાં રોકાયા હોય ત્યાંથી થાય છે. અને જો તેણી હોસ્ટિપલમાં હોય તો બધી જ મીટીંગ્સ ત્યાં થાય છે. તેણીનું કોઈ જ ચોક્કસ ઠેકાણું નથી હોતું.

તેણી પોતાની જાતને રીલેક્સ કરવા માટે સ્વિમિંગ, ડાન્સીંગ અને બાળકો સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેણી ઇચ્છે છે કે તેમની દીકરી પણ નૃત્યમાં રસ લે પણ તેણીને તેમાં જરા પણ રસ નથી. ઇશા જ્યારે 5 વર્ષની હતી ત્યારે ડાન્સ ક્લાસમાંથી છુટ્યા બાદ પોતાનો ક્લાસરૂમ નહોતો શોધી શકી અને ત્યાર બાદ તેણે ક્યારેય ડાન્સ ક્લાસ જવાનો વિચાર નથી કર્યો.

પણ નીતા માટે નૃત્ય એક ધ્યાન સમાન છે. તેણી માટે તે ભગવાન સાથેનું એક કનેક્શન છે. તેણી પોતાની જાતને નસીબદાર માને છે કે તેણીને આ પ્રકારનું એક પેશન છે અને તે તેને આગળ વધવા પ્રેર્યા કરે છે. તેનાથી તે પુનઃજીવંત થાય છે. તેણીનું માનવું છે કે દરેક સ્ત્રી માટે એ મહત્ત્વનું છે કે તેણી પાસે કોઈ એવી પ્રવૃત્તિ હોય જે તેને પોતાની આંતરીક જાત સાથે જોડે.

ઘણા લોકો તેણીને પર્ફેક્શનીસ્ટ કહે છે. પણ તેણી પોતાના વિષે તેવું નથી અનુભવતી. તેણી હંમેશા પોતાનું ઉત્તમ આપવા તત્પર રહે છે. હજુ પણ તેણીની ડોક્ટર મિત્ર ફિરોઝા તેણીને કહે છે કે બધી જ વાતમાં ઇવન્વોલ્વ ન થા.

તેણી હોસ્પિટલની દરેકે દરેક બાબતમાં ઇન્વોલ્વ રહે છે, કયું મશીન ઓર્ડર કરવામાં આવ્યું છે, તે કઈ કંપનીનું છે, કયા ડોક્ટર આવવાના છે વિગેરે વિગેરે. તેણી ક્યારેય પરિણામ માટે કામ નથી કરતી પણ તેણીને આપવામાં આવેલા કામમાં તે સંપુર્ણ ઓતપ્રોત થઈ જાય છે. તેણીનું એવું માનવું છે કે જો તમે જે કામ કરી રહ્યા હોવ તે બાબતે પેશનેટ હોવ તો તમે તમારું 100 ટકા આપી શકો છો. જો તેણીને કોઈ બાબત આકર્ષિત ન કરતી હોય તો તેણી તે બાબતે નિરસ રહે છે.

તેણી પોતાની આઈપીએલ ટીમ વિષે કંઈક આમ જણાવે છે. તેણી જણાવે છે કે મુકેશે ટીમ ખરીદી, અને લગભગ બે વર્ષ સુધી તેમની ટીમ તળીયાની ટીમ રહી. તે વખતે તેણીનું ક્રીકેટનું જ્ઞાન શૂન્ય હતું, તેણીને તેમાં કોઈ જ રસ નહોતો.

તેણીની ટીમ ખુબ જ ખરાબ પર્ફોમ કરી રહી હતી. ત્યાર બાદ તેણીએ તેને ગંભીરતાથી લેવાનું નક્કી કર્યું. લગભગ એક વર્ષ એટલે કે 365 દિવસ તેણી ક્રિકેટને જ જીવી. તેણીએ દરેકે દરેક મેચ જોઈ, પછી તે સ્થાનીક હોય, નેશનલ હોય ઇન્ટરનેશનલ હોય, કે પછી કોઈ ક્લબો વચ્ચે રમાતી હોય તેણીએ ટીવી પર આવતી દરેકે દરેક મેચ જોઈ તેણીનું એક માત્ર લક્ષ હતું શીખવું.

આઈપીએલ 2 દરમિયાન જ્યારે તેણી સાઉથ આફ્રિકા ગઈ. ત્યારે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે રમી રહી હતી અને તે હારવી અશક્ય હતી. તેની ટીમે 6 બોલમાં 9 રન કરવાના હતા. તેણીએ વિચાર્યું કે તેની ટીમ જીતી જશે, પણ તેઓ હારી ગયા. ત્યારે તેણીએ પોતાની જાતને કહ્યું, ‘મારે આ રમત શીખવી જ પડશે.’ ત્યારે તેણીએ પોતાની ટીમ સાથે ટ્રાવેલ કરવાનું નક્કી કર્યું, કેમ્પ રાખ્યા, ટીમ સાથે મીટીંગ કરી અને પછી તેણીનું ક્રીકેટ પ્રત્યેનું પેશન ઉજાગર થયું.

તેણી પોતાના કામ પ્રત્યે કંઈક આમ જણાવે છે. તેણી કહે છે કે તે જ્યારે કોઈ પ્રોજેક્ટ શરૂ થાય છે ત્યારે તે તે માટે 24 કલાક અવેલેબલ રહે છે પણ એક વાર પ્રોજેક્ટ એસ્ટાબ્લીશ થઈ ગયા બાદ તેણી તેને આગળ વધવા દે છે. તેણીને દરેક બાબત કન્ટ્રોલ કરવી નથી ગમતી. તેણી ઇચ્છે છે કે બધા જ તેમાં ઇન્વોલ્વ થાય અને એક ટીમ તરીકે કામ કરે. પણ તેણી સીસ્ટમ્સ અને પ્રોસેસ એટલે કે તંત્રો અને પ્રક્રિયા બાબતે ખુબ જ ચીકણી છે. તેણી એવું પણ માને છે કે લોકોને સશક્ત બનાવવા જોઈએ. તેણી જુના બાબુની જેમ કામ કરવામાં નથી માનતી. તેણીની કામ કરવાની શૈલી દરેકના સરખા જ યોગદાનવાળી છે.

તેણી જણાવે છે કે જ્યારે ક્યારેય તેણીને સલાહની જરૂર પડે છે ત્યારે તેણી મુકેશ તરફ જ નજર કરે છે. તે તેમના મેન્ટોર, ફિલોસોફર, બધું જ છે. પણ હાલના દિવસોમાં તેણી તે માટે ઇશા અને આકાશ તરફ પણ નજર કરે છે. તેઓ હવે 20ના થવાના છે અને વસ્તુઓ બાબતે યુવાન લોકોનો દ્રષ્ટિકોણ મેળવવો પણ સારો છે.

તેઓ તેમના કરતાં તદ્દ્ન જુદી જ રીતે જુએ છે અને તેમના વિચારો જાણવા તેમને ગમે છે. તેમની દુનિયા ખુબ જ ઉર્જાક્ષમ, હકારાત્મક અને એકદમ નાવિન્ય ઉર્જા વાળી છે. તેણી બાળકોના બાળપણને યાદ કરતા જણાવે છે કે જ્યારે તેમના બાળકો છઠ્ઠા-સાતમામાં અભ્યાસ કરતા હતા ત્યારે તે શાળાનું ટાઇમટેબલનું પ્લાનીંગ કરતી. સામાન્યરીતે તેઓ દરેક વિષયને એક કલાક આપતા. ત્યારે ઇશા અને આકાશે આવીને કહ્યું હતું, “મમ્મી, અમે છેલ્લી 20 મીનીટમાં સુઈ જઈએ છીએ, માટે કશું જ 40 મીનીટથી વધારે ન હોવું જોઈએ ત્યાં સુધીમાં અમારું ધ્યાન બે ધ્યાન થઈ જાય છે.” તેણી તેમની સાથે સહમત થઈ. હવે દરેક વિષયને 40 મીનીટ ફાળવવામાં આવી છે અને નાના બાળકો માટે 30 મિનિટ રાખવામાં આવી છે.

તેણી મિડિયા વિષે જણાવે છે કે તેણે ક્યારેય તે વિષે નહોતું વિચાર્યું. તેણીનું એવું માનવું છે કે તેણીના કામથી મિડિયા તેની તરફ આકર્ષાય છે. તેણીના લગ્નના પ્રથમ 20 વર્ષ દરમિયાન તો તેવું કશું જ નહોતું થયું, કારણ કે તે વખતે તેણી શાળાઓ, હોસ્પિટલ કે આઈપીએલ સાથે જોડાયેલી નહોતી. તેણી હંમેશા સ્પષ્ટ હતી કે તેણીએ ક્યારેય વાત કરવાની આવી તો તે માત્ર તેના કામની જ વાતો હશે. તેણીના માનવા પ્રમાણે તેના કામથી જ તેણીને આ લાઈમલાઈટ મળી છે. તે પહેલાં લગભઘ 17 વર્ષ સુધી તેણી માત્ર મુકેશની વાઈફ હતી અને તેણીએ તે બધાથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. તેણીનું જીવન ખુબ જ સરળ હતું પણ. તેણી ભાગ્યે જ બહાર જતી હતી. તેણી પોતાનું કામ પુરુ કરતી, ઘરે આવી જતી, બાળકોને સુવડાવી દેતી અને પોતાના પતિની ઓફીસેથી આવવાની અને સાથે જમવાની રાહ જોતી.

એવી પણ વાત સાંભળવા મળી હતી કે ધીરુભાઈ અંબાણીએ તેણીને ફોન કર્યો હતો અને તેણીએ ફોન પછાડીને મુકી દીધો હતો. તેના જવાબમાં તેણી કહે છે. “તે વખતે હું કોલેજમાં હતી અને તેમણે મને એક ડાન્સ પર્ફોમન્સમાં જોઈ હતી. તેમણે મને ફોન કર્યો અને કહ્યું, ‘હું ધીરુભાઈ અંબાણી.’ મેં તરત જ ફોન કટ કરી દીધો. તેમણે ફરી મને ફોન કર્યો ત્યારે મેં ફોન પર કહ્યું, ‘હા તો, હું પણ એલિઝાબેથ ટેલર છું,’ અને ફરી પાછો ફોન કાપી નાખ્યો. ત્રીજીવાર ફોન આવ્યો ત્યારે મારા પપ્પાએ વાત કરી ત્યારે તેમણે મને કહ્યું તે ખરેખર તેઓ જ છે અને મારે તેમની સાથે વ્યવસ્થીત વાત કરી લેવી. અને આમ શરૂઆત થઈ હતી.”

તેણી જણાવે છે કે માત્ર એક જ ડાન્સ પર્ફોમન્સમાં તેમણે મને જોઈ અને મને પોતાની વહુ તરીકે પસંદ કરી લીધી. ખરેખર અદ્ભુત કહેવાય. તેણી જણાવે છે કે તેમણે એકવાર મુકેશને મુંબઈની લોકલ બસમાં પણ સફપ કરવા મજબુર કર્યા હતા. તે બાબતે તેણી જણાવે છે કે. તેમનો સંબંધ નક્કી થયા બાદ તે અને મુકેશ તેમની મર્સીડીઝમાં જ ફરતા હતા. ત્યારે એકવાર તેમણે મુકેશને બેસ્ટમાં સફર કરવા કહ્યું. તે વખતે તેઓ ડબલ ડેકર બસની ઉપરની પ્રથમ સીટ પર બેઠા હતા. તે તેણીનો પ્રિય બસ રૂટ હતો કારણ કે તે જુહુ બીચ થઈને જતો હતો અને તમે ઉપરથી દરિયાકીનારાનું સુંદર દ્રશ્ય જોઈ શકતા હતા. તે દિવસે તેમણે ખુબ મજા કરી હતી.

ઘણા લાંબા સમય સુધી મુકેશ અંબાણી અને નીતા અંબાણી એક ખુબ જ અંગત જીવન જીવતા હતા. તે વિષે તેણી જણાવે છે કે તેણી હંમેશા પોતાના કામ વિષે જ વાત કરતી હતી. અને મુકેશ પોતે શરમાણ તેમજ શાંત સ્વભાવના છે. તેમને તો પોતાના 10-15 મિત્રો સાથે મૂવીઝ જોવા ગમે અને તે વર્ષોથી તેવા જ છે. તેમને પોતાનું અંગત મિત્રવર્તુળ ખુબ ગમે છે, પણ તેણીને જુદા જુદા લોકોને મળવુ ગમે છે. તેણી ઉત્તમ એજ્યુકેશનીસ્ટ, સ્પોર્ટ્સમેન અને હવે તો ડોક્ટર્સને પણ મળે છે તેમ કરી તેણી પોતાની જાતને પુનઃજીવંત અને સમૃદ્ધ બનાવે છે.

છેલ્લા કેટલાએ વર્ષોથી તેણીના વજન તેમજ તેણીના દેખાવ તેમજ પોષાકમાં ખુબ પરિવર્તન આવ્યું છે. તે માટે તે પોતાના દીકરા અનંતને પોતાનો પ્રેરણાસ્રોત માને છે. તે મેદસ્વીતાથી પીડાતો હતો. તેને અસ્થમા હતો. તેણે પોતાનું વજન ઘટાડવું જ પડે તેમ હતું. બાળક પોતાની માતા પાસેથી જ બધું શીખે છે માટે જ જ્યારે તેને ડાયેટ પર મુકવામાં આવ્યો ત્યારે તેણીએ પોતાની જાતને પણ ડાયેટ પર મુકી.

તે જે ખાતો તે જ તેણી ખાતી. તે જ્યારે એક્સરસાઇઝ કરતો ત્યારે તેણી પણ એક્સરસાઇઝ કરતી. જ્યારે તે ચાલવા જતો ત્યારે તેણી પણ ચાલવા જતી. તે રીતે તેણીનું વજન પણ ઘટ્યું. તે તેણીનો પ્રેરણા સ્રોત રહ્યો છે. તેણી જણાવે છે કે ઘણા બાળકો આજે મેદસ્વીતાથી પીડાય છે અને માતા તે બાબત માનતા શરમાય છે. પણ તેણીનું એવું માનવું છે કે તમારે જ તમારા બાળકને વજન ઘટાડવા માટે પ્રેરણા આપવી જોઈએ પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે બાળત તમને જોઈને જ શીખે છે.

તે બન્ને થોડા સમય માટે લોસ એન્જેલસ ગયા હતા જ્યાં બાળ મેદસ્વિતાની હોસ્પિટલ આવી હતી અને તે વખતે પણ તેણીએ દીકરાના રૂટીનને પોતાનું રૂટીન બનાવી લીધું. તેણીનું માનવું છે કે તે દ્વારા જ તેણીમાં આટલું બધું પરિવર્તન આવ્યું છે. પણ તેણી એ શબ્દો પર ભાર મુકે છે “મારું ડ્રેસીંગ જરા પણ બદલાયું નથી”

તેણીનો દીવસ એટલો બીઝી રહે છે કે તેણી માટે એક દિવસની રજા એ કોઈ સ્વપ્ન સમાન વાત છે. તેણીને જ્યારે પણ થોડો સમય મળે ત્યારે તેને કોલાબા ખાતેની યુએસ ક્લબમાં જવું ખુબ ગમે છે.

તેણીને ત્યાં જઈ લાઈટહાઉસ જોવું ગમે છે. તેમના બાળકો જ્યારે નાના હતા ત્યારે તેણી અવારનવાર ત્યાં જતી અને બાળકો સાથે મસ્તી કરતી.
પોતાની રજાઓ વિષે તેણી જણાવે છે કે તેઓ ભાગ્યે જ રજા પર જતા હોય છે પણ જ્યારે પણ જાય છે ત્યારે તેમનો સમય માત્ર કુટુંબ માટે જ હોય છે તે વખતે ફોન્સ બંધ રહે છે.

મિટિંગો નથી હોતી, કોઈ પણ જાતનો વ્યવહાર ચાલુ નથી હોતો. તેઓ વર્ષમાં ચાર-પાંચ સફારી કરે છે. પણ તેણી જ્યારે મુંબઈમાં હોય છે ત્યારે એક દિવસની રજા તે તેણી માટે કોઈ લક્ઝરીથી કમ નથી હોતું.

Exit mobile version