જલ્સા કરોને જેંતીલાલ

આ વખતે લોકોમાં ‘ગો કોરોના ગો’ સ્લોગન લખેલા ગરબાનો અનોખો જ ક્રેઝ, જાણો એવું તો શું છે આ ગરબામાં ખાસ

આ વખતે લોકોમાં ‘ગો કોરોના ગો’ સ્લોગન લખેલા ગરબાનો અનોખો જ ક્રેઝ, જાણો એવું તો શું છે આ ગરબામાં ખાસ

2020માં આપણે ઘણી નવી નવી ઘટનાઓ જોઈ છે અને ભોગવી છે. એમાંની એક એટલે કે આ વખતે મા અંબના નવ દિવસીય નોરતામાં કદાચ ખેલૈયાઓ ગરબા રમી ન શકે પણ માતાની સ્થાપના કરતા ભાવિક ભક્તો તો પોતાના ઘરે અનુષ્ટાન કરશે એટલે જ આ મહમારીમાં એક સ્લોગન લખેલા માટીના ગરબા વાયરલ થઈ રહ્યા છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે નવરાત્રી તો નથી યોજાવાની પણ લોકો ઘેર ઘેર ‘ગો કોરોના ગો’ સૂત્ર લખેલા ગરબાનું સ્થાપન કરી નવરાત્રી મનાવવાની સાથે કોરોના મહામારીમાંથી મુક્તિ આપવા માતાજીને પ્રાર્થના કરશે.

image source

હાલની સ્થિતિ પ્રમાણે અમદાવાદમાં ગો કોરોના ગો નામના ગરબા ધૂમ મચાવી રહ્યા છે. લોકોમાં તેની ડિમાન્ડ પણ ખાસી જોવા મળી રહી છે. તો વળી ગરબા બનાવનારાઓનું કહેવું છે કે, આ પ્રકારનું સૂત્ર રાખવા પાછળનું કારણ માત્ર અને માત્ર એટલું છે કે નવરાત્રીમાં જ્યારે કોઈપણ વ્યક્તિ ગરબા થકી મા આદ્યશક્તિનું પૂજન કરે ત્યારે તે વ્યક્તિ કે સાધકના મનમાં માત્ર ને માત્ર વૈશ્વિક મહામારીમાંથી છુટકારો મળે અને ભગવતી મા અંબા પણ વૈશ્વિક મહામારીમાંથી છુટકારો અપાવે તે હેતુથી આ પ્રકારના ગરબા બનાવવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

image source

આદેશ પ્રમાણે રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.

image source

નવરાત્રીને લઇ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે સરકારો મહત્વની જાહેરાત કરી છે. સરકારે નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઇ શકશે. પરંતુ ગરબાનું આયોજન નહીં કરી શકાય. છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

image source

સરકારે આટલા આદેશ આપ્યાં

image source

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમા છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો 1200થી પણ ઓછા કેસ આવ્યા છે આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1181 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,51,596એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 9 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3569એ પહોંચ્યો છે. જ્યારે 1413 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 87.28 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,250 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version