ભગવાન શિવનું જ રૂપ છે નટરાજ,નટરાજ હિંદુ ધર્મમાં એક ખૂબ જ લોકપ્રિય છબી છે.નટરાજ શબ્દનો અર્થ શબ્દ નાટ્ય કે નૃત્ય અને રાજનો અર્થ રાજાથી કાઢવામાં આવ્યો છે તેનો પૂરો અર્થ નૃત્યનાં રાજા છે.આ પ્રકાર,ભગવાન શિવ,નૃત્યનાં દિવ્ય કાર્યનાં માધ્યમથી,નટરાજનાં રૂપમાં,આપણા મનથી અજ્ઞાનતા દૂર કરે છે.
નટરાજનાં રૂપમાં ભગવાન શિવને પહેલીવાર ચોલ કાંસ્યની મૂર્તિનાં ચિત્રિત કરવામાં આવ્યા હતા,જ્યાં તેમને આગની જવાળા પર નાચતા બતાવામાં આવ્યા હતા,જેમા એ ક પગ નીચે અને બિજો હવામાં હતો.બૌનાને અજ્ઞાનતાનુ પ્રતિક માનવામાં આવે છે.ઉપર જમણા હાથમાં એક ડમરૂ પકડેલું દર્શાવે છે કે તે સુજનનો સ્ત્રોત છે.નીચેનાં જમણો હાથ આશિર્વાદ આપવા માટે છે જે સુરક્ષા પ્રદાન કરે છે.
અહીંયા માનવરૂપી મુર્તિરૂપે બીરજમાન છે ભગવાન શિવ, માત્ર દર્શનથી જ મનોકામના થાય છે પૂર્ણ. દેવધીદેવ મહાદેવ (ભગવાન શિવ) ને સર્વોચ્ચ દેવતા તરીકે પૂજાનારા ઉપાસકો માટે તમિલનાડુની ચિદમ્બરમ / નટરાજ મંદિર એક મુખ્ય કેન્દ્ર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે જે મંદિર નગરી ચિદમ્બરમના મધ્યમાં, પોંડિચેરીથી દક્ષિણ તરફ 78 કિલોમીટર દૂર છે અને 235 કિલોમીટર દૂર ચેન્નઈ શહેર છે.
આશરે 50 એકરમાં ફેલાયેલું રહસ્યમય મંદિર, દ્રવિડ વાસ્તુકલાશૈલી દર્શાવે છે. તેની રચના પોતે આકર્ષક અને વિશિષ્ટ છે. મંદિરની આંતરિક રીતે સાજ સજાવટ અને શિલ્પકલા સિવાય ભવ્ય સ્તંભ પણ આ મંદિરની ભવ્યતા દર્શાવે છે.
મંદિરની વિશેષતા : આ મંદિરની એક વિશિષ્ટ વિશેષતાએ છે કે અહીંયા આભૂષણોથી યુક્ત નટરાજની મુર્તિ ભગવાન શિવને ભારતનાટ્યમના નૃત્ય દેવના રૂપમાં રજૂ કરે છે.