વરુણ ધવન અને નતાશા દલાલે હાથમાં હાથ લઈને સાત ફેરા ફરી લીધા છે અને હવે તેઓ હંમેશ માટે એકબીજાના થઈ ગયા છે. પોતાની વર્ષોની રિલેશનશિપને બન્નેએ 24મી જાન્યુઆરીએ એક નવું નામ આપ્યું છે. મુંબઈના અલીબાગ સ્થિત ધ મેંશન હાઉસમાં બન્નેના લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા છે. કોરોના વાયસરની મહામારીના કારણે ધવન અને દલાલ પરિવારે લગ્નમાં ખૂબ જ ઓછા મહેમાનો બોલાવ્યા હતા, પણ એવા સમાચાર મળી રહ્યા છે કે વરુણ જલદી જ પોતાના લગ્નનું ભવ્ય રિસેપ્શન આપશે.
અલીબાગમાં થેલા વરુણ અને નતાશા દલાલના લગ્ન બાદ હવે મુંબઈમાં રૉયલ રિસેપ્શન થશે. બોમ્બે ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે બોલીવૂડ સેલેબ્સ માટે આ રિસેપ્શન આવતા મહિનાની એટલે કે 2 ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યું છે. વરુણ ધવન અને નતાશા દલાલે રિસેપ્શનમાં બોલીવૂડની બધી જ જાણીતી હસ્તિઓને આમંત્રિત કર્યા છે.
આ પહેલાં સમાચાર મળી રહ્યા છે કે વરુણ ધવન નતાશા દલાલના લગ્નનું રિસેપ્શન 26મી જાન્યુઆરીએ થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ હોવાના કારણે પરિવારે રિસેપ્શનની તારીખને બદલી દીધી છે. વરુણ અને નતાશા કલર કોઓર્ડિનેટેડ આઉટફિટ્સમાં હતા.
લગ્નમાં બન્ને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. વરુણના મહેમાનોમાં તેના નજીકના પરિવારજનો ઉપરાંત કરણ જૌહર, મનીષ મલ્હોત્રા, જોયા મોરાની, કુણાલ કોહલી અને શશાંક ખેતાનનો સમાવેશ થાય છે. આ ઉપરાં પણ કેટલીક હસ્તીઓએ તેના લગ્નમાં હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે પહેલા વરુણ નતાશા ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરવાના હતા, પણ કોવિડના કારણે તેમનો આખો પ્લાન બદલાઈ ગયો. બન્ને પહેલાં વિયેતનામમાં ડેસ્ટિનેસન વેડિંગ કરવા માગતા હતા પણ તેના બદલે તેમને અલીબાગ ખાતે લગ્ન કરવાનો નિર્ણય લીધો. વરુણના પિતા ઇચ્છતા હતા કે લગ્નને લઈને વધારે ધમાલ ન થાય માટે જ તેઓ ડેસ્ટિનેશન વેડિંગના સપોર્ટમાં હતા પણ તે શક્ય ન બન્યું.
ડેવિડ ધવન આ લગ્નને ખૂબ જ પ્રાઇવેટ રાખવા માગે છે. તેવામાં ખબર મળ્યા છે લગ્નમાં કામ કરનારા સ્ટાફને ફોન નહીં વાપરવાની પણ તેમણે અરજ કરી હતી જેથી કોઈ પણ ફોન દ્વાર લગ્નની તસ્વિરો સોશિયલ મિડિયા પર વાયરલ ન કરી શકે.
વરુણ ધવનના તેની ગર્લફ્રેન્ડ અને હવે પત્ની એવી નતાશા દલાલ સાથેના સંબંધોની ચર્ચા વર્ષોથી હતી પણ તે બન્નેએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધોનો સ્વિકાર નહોતો કર્યો. અને વરુણે આ વર્ષની શરૂઆતમાં પોતે લગ્ન કરશે તેવી વાત કરી હતી પણ તે વિષે પણ કોઈ જ સ્પષ્ટતા નહોતી કરી. તે મિડિયાના કારણે પોતાની પત્નીને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત