આદિત્ય નારાણયના લગ્નની તૈયારીઓ થઈ શરૂ, જોઇ લો તિલક સેરેમનીનો ધમાકેદાર VIDEO તમે પણ

પહેલી ડિસેમ્બરના રોજ સિંગર, હોસ્ટ તથા એન્કર એવા આદિત્ય નારાયણ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ બંને મુંબઈના એક મંદિરમાં લગ્ન કરશે અને આ લગ્નમાં માત્ર પરિવારના લોકો જ સામેલ થશે. લગ્ન પહેલાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની તિલક સેરેમની યોજાઈ હતી. રવિવાર એટલે કે 29 નવેમ્બરના રોજ આ તિલક સેરેમની આદિત્યના ઘરે જ યોજાઈ હતી.

image source

આદિત્ય અને શ્વેતાની તિલક સેરેમનીમાં આદિત્યે ડાર્ક ગ્રીન રંગનો પ્રિન્ટેડ ટ્રેડિશનલ કુર્તો પહેર્યો હતો અને શ્વેતાએ આછા નારંગની રંગનો લહેંગો પહેર્યો હતો. એની સાથે શ્વેતાએ ગોલ્ડન રંગની ચોકર જવેલરી પણ પહેરી હતી. સાથે જ વાળને ખુલ્લા રાખવાને બદલે અંબોડો વાળીને એમાં ગજરો લગાવ્યો હતો. જેમાં શ્વેતા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પહેલી ડિસેમ્બરે થશે આદિત્ય અને શ્વેતાના લગ્ન

image source

આદિત્ય તથા શ્વેતા પહેલી ડિસેમ્બરના રોજ મુંબઈના એક મંદિરમાં રીત-રિવાજ સાથે લગ્ન કરશે. કોરોના ગાઈડલાઇન્સના કારણે મર્યાદિત મહેમાનોની જ પરવાનગીની વાતને ધ્યાનમાં રાખીને લગ્નમાં માત્ર 50 લોકોને સામેલ કરવામાં આવશે.

ફાઈવ સ્ટાર હોટલમાં થશે 2જી ડિસેમ્બરે ગ્રાન્ડ રિસેપ્શન

આદિત્ય નારાયણના પિતા અને ગાયક ઉદિત નારાયણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આદિત્ય અને શ્વેતાના લગ્ન બાદ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે. અને આ રીસેપ્શનમાં અમિતાભ બચ્ચન તથા PM નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

4 નવેમ્બરે યોજાઈ હતી રોકા સેરેમની

તમને જણાવી દઈએ ક ચાર નવેમ્બરના રોજ આદિત્યએ શ્વેતા સાથેના પોતે લગ્ન કરવાના છે એ વાત જાહેર કરી હતી. ત્યાર બાદ બંનેની રોકા સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં માત્ર બંનેના પરિવારો જ સામેલ થયા હતા.
શ્વેતા અને આદિત્યના તિલક સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તિલક સેરેમનીમાં બધા જ લોકો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. એક વીડિયોમાં આદિત્ય અને શ્વેતા સ્ટેજ પર બેઠેલા દેખાઈ રહ્યા છે તો ઉદિત નારાયણ અને પત્ની દીપા એમની પાસે ઉભેલા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલે વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ શાપિતમાં એકસાથે કામ કર્યું હતું અને અહીંયાંથી જ એમની રિલેશનશિપ શરૂ થઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે શાપિતના સેટ પર જ્યારે એમને શ્વેતાને સાથે લંચ કરવાની વાત કરી હતી તો અભિનેત્રીએ એમની ઓફર નકારી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ