નજર દોષ અને તાંત્રિક બાધા દુર કરવાના ઉપાય.
ઘણા બધા લોકોને આપે આ કહેતા સાંભળ્યું હશે કે, નજર લાગી ગઈ છે કે પછી કોઈએ ટોણા- ટોટકા કરી દીધા છે એટલા માટે જીવનમાં બધું યોગ્ય નથી ચાલી રહ્યું. બાળક બીમાર થઈ જાય કે પછી વ્યવસાય, નોકરીમાં મુશ્કેલી આવવા લાગે ત્યારે પણ લોકોની નજરો પર જ પ્રશ્ન ઉઠવા લાગે છે.
એવામાં સમસ્યાઓ માંથી બહાર નીકળવા માટે અને નજર દોષને દુર કરવા માટે લોકો નજર દોષના ઉતાર પણ કર્યા કરે છે. ખરેખરમાં આ બધી વાતો પૂરી રીતે અવૈજ્ઞાનિક છે અને વિજ્ઞાન નજર લાગી જવા પર અને તેને ઉતારા કરવા પર વિશ્વાસ કરતા છે નહી. પરંતુ વિજ્ઞાનથી અલગ લોકોનો પોતાનો વિશ્વાસ છે અને આ જ વિશ્વાસની હેઠળ લોકો સદીઓથી નજર લાગી જવી, તંત્ર મંત્ર કરવામાં માનતા આવી રહ્યા છે અને એના ઉતારા પણ કરે છે. ચાલો જાણીએ લોકો કેવી કેવી રીતે નજર ઉતારા કરતા રહે છે.
નજરના ઉતારા કરવાની આ રીત પણ જાણીએ.
જયારે પણ કોઈના ઉતારા કરવાના હોય તો ઉતારાની વસ્તુને જમણા હાથમાં લઈને નજર દોષથી પીડિત વ્યક્તિના માથાથી લઈને પગની તરફ સાત કે પછી અગિયાર વાર ફેરવવું જોઈએ. માન્યતા એવી છે કે, એનાથી નકારાત્મક ઉર્જાથી પીડિત વ્યક્તિ પરથી દુર થઈ જાય છે. ઉતારાની ક્રિયા કરી લીધા બાદ તે વસ્તુ જેનાથી નજર ઉતારવામાં આવી હોય તેને ચાર રસ્તે, નિર્જન સ્થાને કે પછી પીપળાની નીચે મૂકી દેવું જોઈએ.
નજર ઉતારવાની વસ્તુઓમાં દિવસનું રાખે છે ધ્યાન.
નજર દોષ ઉતારવાની ક્રિયામાં દિવસનું પણ ખુબ ધ્યાન રાખવામાં આવે છે. એવી માન્યતા ચાલી આવી રહી છે કે, રવિવારના દિવસે ઉતારા કરવાના હોવ તો મીઠું કે પછી સુકા ફળથી ભરપુર બરફીથી ઉતારા કરીને બરફી ગાયને ખવડાવી દેવી જોઈએ. મંગળવારના દિવસે મોતીચૂરના લાડવાથી ઉતારા કરીને કુતરાને ખવડાવી દેવા જોઈએ. બુધવારના દિવસે ઈમરતીથી ઉતારા કરીને તેને કુતરાને ખવડાવી દેવી જોઈએ.
આ દિવસોમાં કરવામાં આવે છે અલગ રીતે ઉતારા.
એવું કહેવાય છે કે, જો ગુરુવારના દિવસે ઉતારા કરવાના હોવ તો સાંજના સમયે એક વાસણમાં કે પછી કાગળ પર પાંચ મીઠાઈ રાખીને ઉતારા કરો. ઉતારા કરી લીધા બાદ તેમાં નાની ઈલાયચી રાખો અને ધૂપબત્તી પ્રગટાવીને કોઈ પીપળાના ઝાડની નીચે પશ્ચિમ દિશામાં મુકીને ઘરે પાછા આવી જવું. આપે ધ્યાન રાખવું કે ઘરે પછા ફરતા સમયે પાછળ ફરીને જોવું જોઈએ નહી અને ઘરે આવીને હાથ અને પગ ધોઈ લીધા પછી કુલ્લા કરી લીધા પછી જ અન્ય કોઈ કામ કરો. શુક્રવારના દિવસે ઉતારા કરવાના હોવ તો ઈમરતી કે પછી બુંદીના લાડવાનો પ્રયોગ કરવો જોઈએ અને ઉતારા કરી લીધા બાદ તેને કુતરાને ખવડાવી દેવા જોઈએ. એવી માન્યતા છે કે, આમ કરવાથી નજર લાગી હોય તો પ્રેત બાધા હોય તો રાહત મળી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!