મોંનાં ચાંદાને ઠીક કરવા માટે રામબાણ ઈલાજ મધ હોય છે, રૂને મંધમાં ડૂબાવીને ચાંદા વાળી જગ્યા પર લગાવવાથી ખૂબ રાહત મળે છે
આ વાતથી તો આપણે સૌ સારી રીતે વાકેફ છીએ કે જ્યારે મોંમાં કે જીભ પર ચાંદ પડી જાય, તો કોઈ સાથે વાતચીત કરવામાં, ત્યાં સુધી કે ખાવા પીવામાં પણ કેટલી તકલીફ થાય છે. મોંનાં ચાંદા દેખાવામાં જેટલા નાના હોય છે, તેટલા જ વધારે કષ્ટદાયી હોય છે અને તેના સિવાય આ પણ છે કે મોંનાં ચાંદાને કારણે ન તો આપણે બરાબર રીતે જમી શકીએ છીએ અને ન તો બરાબર રીતે વાત કરી શકીએ છીએ .
તમને જણાવી દઈએ કે મોંની અંદર ચાંદા થવા ઘણી હદ સુધી તકલીફ દાયક હોય છે અને સામાન્ય રીતે સમસ્યાથી લગભગ દરેક વ્યકિત ક્યારેક ને ક્યારેક ઝઝૂમ્યા જરૂર હશે. જો તમે પણ આ સામન્ય દેખાતી ગંભીર સમસ્યાથી હેરાન છો તો તમને આજ અમે અમુક ખૂબ જ સરળ અને ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદ દ્વારા તમે સરળતાથી આ ઠીક કરી શકો છો.
મોંના ચાંદાની સમસ્યાના આસાન ઉપચાર
૨.મોંના ચાંદાથી છૂટકારો મેળવવા માટે તમે ગ્લિસરીનમાં શેકેલી ફટકડી મેળવીને રૂની મદદથી ચાંદા પર લગાવો અને લાળ ટપકવા દો,આનાથી ચાંદા દૂર થશે.
૪. તેના સિવાય તમને આ પણ જણાવી દઈએ કે ૫૦ ગ્રામ ઘી અગ્નિ પર ગરમ કરો અને તેમાં ૬ ગ્રામ કપૂર ઉમેરીને અગ્નિ પર ઉતારી લો. તે ઘીને મોંમાં લગાવવાથી ચાંદા ખૂબ જલ્દી મટી જાય છે.
૬. તમને એ પણ જણાવી દઇએ કે મોંનાં ચાંદાને ઠીક કરવા માટે રામબાણ ઈલાજ મધ હોય છે, રૂ ને મધમાં ડૂબાડીને ચાંદા વાળી જગ્યા પર લગાવવાથી ખૂબ રાહત મળે છે.
૮. અંજીરનાં પાનમાં ઘણા પ્રકારનાં વિટામીન અને મિનરલ્સ જેમ કે વિટામીન બી૧,વિટામીન બી૨, વિટામીન એ ,કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ બધા પોષક તત્વો એ ક સાથે મળીને અલ્સરની આસપાસનાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે,જેનાથી દુખાવાનો પ્રભાવી રીતે ઈલાજ થાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !