ઘરને સુંદર બનાવવા માટે લોકો અનેક પ્રકારના ઈન્ડોર અને આઉટડોર પ્લાન્ટનો ઉપયોગ કરે છે. આ છોડ ન ફક્ત આપણને પ્રદૂષણથી બચાવે છે પણ સાથે સારા પ્રમાણમાં ઓક્સીજન પણ આપે છે. અનેક છોડ દવાની જેમ કામ કરે છે. કોરોના કાળમાં ઘરમાં છોડ લગાવવાનો રિવાજ વધી રહ્યો છે. જ્યારે લોકો વાસ્તુદોષથી બચવા માટે ઘરમાં પણ વિશેષ પ્રકારના છોડ લગાવે છે. વાસ્તુ શાસ્ત્રમાં એક ખાસ છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરની સુંદરતાને વધારે છે. સાથે ઘરના લોકોની તરક્કીમાં પણ તેમની મદદ કરે છે. આ છોડનું નામ છે મની પ્લાન્ટ, ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી અનેક પ્રકારના વાસ્તુ દોષ ખતમ કરે છે.
વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટના છોડનું ખાસ મહત્વ ગણાવાયું છે. કહેવાય છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. ખાસ કરીને લોકો મની પ્લાન્ટને પોતાના ઘરમાં કોઈ પણ સ્થાને રાખે છે પરંતુ આ ખોટું છે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને માટેના ખાસ નિયમો ગણાવાયા છે. કહેવાય છે કે જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરીએ તો તમારી કિસ્મત ચમકી શકે છે. તો જાણો મની પ્લાન્ટના આ નિયમો વિશે.
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને ઘરના અગ્નિ દિશામાં રાખવાનું શુભ માનવામાં આવે છે. આ માટે ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો આવે છે.
માન્યતા છે કે મની પ્લાન્ટને ઘરના દક્ષિણ -પૂર્વ દિશામાં રાખવાનું શુભ હોય છે. આ દિશા ભગવાન ગણેશની દિશા માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટને રાખવાથી ઘરના સભ્યોનું ભાગ્ય ચમકે છે અને આર્થિક લાભ પણ થાય છે.
વાસ્તુ શાસ્ત્રના અનુસાર મની પ્લાન્ટને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ભૂલથી પણ ન રાખશો. આમ કરવાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે. તમને જણાવી દઈએ કે આ દિશાના પ્રતિનિધિત્વ ગુર એટલે કે બૃહસ્પતિ કરે છે. શુક્ર અને બૃહસ્પતિ એકમેકના વિરોધી છે. આ કારણે ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન લગાવો તે જ યોગ્ય છે.
ઘરની પૂર્વ અને પશ્ચિમ દિશામાં મની પ્લાન્ટ ક્યારેય લગાવવો નહીં. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરના સભ્યોમાં માનસિક તણાવની સ્થિતિ જન્મે છે. આ કારણે તેમનામાં મતભેદની સંભાવના પણ વધતી જોવા મળે છે.
ઘરમાં મની પ્લાન્ટ લગાવતી સમયે ધ્યાન રાખો કે મની પ્લાન્ટની બેલ જમીનને અડે નહીં. એ એક અશુભ સંકેત છે. તેનાથી તમારા આર્થિક જીવનને નુકસાન થઈ શકે છે. અને સાથે ઘરની સુખ અને સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે.
જો તમે મની પ્લાન્ટને કોઈ દોરડા કે ડંડાની મદદથી ઉપરની તરફ બાંધો છો તો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે ને તમારી કિસ્મત પલટાઈ શકે છે. મની પ્લાન્ટને પાણી આપતી સમયે તેમાં થોડું દૂધ મિક્સ કરી લો. તેનાથી ઘરમાં રૂપિયાની ખામી રહેશે નહીં. યાદ રાખો કે રવિવારે મની પ્લાન્ટમાં પાણી ન ચઢાવશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong