જલ્સા કરોને જેંતીલાલ

પોતાના પર્સમાં ભૂલથી પણ ના રાખો આ પાંચ વસ્તુઓ, નહિંતર પાછળથી રોવાનો વારો આવશે

સામાન્ય રૂપે પર્સ કે પછી વોલેટનો ઉપયોગ પૈસા મુકવા માટે કરવામાં આવે છે. પણ આપણે આપણા પર્સમાં પૈસા સિવાય ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી અન્ય ઘણી વસ્તુઓ પણ મૂકીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણે આપણા પર્સમાં જાણતા અજાણતા અમુક એવી વસ્તુઓ મૂકી દઈએ છીએ જેના કારણે વાસ્તુ દોષ પેદા થાય છે. અને આવી વસ્તુઓના કારણે ધનની બચત થવાને બદલે ખર્ચ વધી જાય છે. વાસ્તુ અનુસાર પર્સમાં અમુક ખાસ વસ્તુઓ હોવાથી ન ફક્ત ધનની હાનિ થાય છે પણ સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. તો ચાલો જાણી લઈએ આ વિશે વિસ્તારપૂર્વક માહિતી.

બિનજરૂરી કાગળિયા.

image source

વાસ્તુ અનુસાર પર્સમાં જુના પડેલા બિનજરૂરી કાગળિયા રાખવાથી પર્સમાં ધન ટકતું નથી અને માતા લક્ષ્મીને પણ આવું નથી ગમતું. માતા લક્ષ્મીને સાફ સફાઈ ગમે છે એટલે પર્સમાં ક્યારેય બેકારના બિનજરૂરી કાગળિયા ન રાખવા.

ફાટેલી નોટ.

image source

વાસ્તુ અનુસાર પર્સમાં રાખેલી નોટો માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે પોતાના પર્સમાં ક્યારેય ફાટેલી નોટો ન રાખવી જોઈએ. આ નોટો તમારા કોઈ જ કામમાં નહિ આવે. એટલે આવી નોટોને તમારા પર્સથી દૂર રાખો એ જ સારું રહેશે. આ તમારા પર્સમાં નકારાત્મકતા વધારે છે..

દેવી દેવતાઓનો ફોટો.

image source

ઘણીવાર જોવામાં આવે છે કે આપણે આપણા પર્સમાં દેવી દેવતાઓનો ફોટો મૂકીએ છીએ. પણ વાસ્તુના નિયમ અનુસાર પર્સમાં એવા ફોટા ન રાખવા જોઈએ. તમે પર્સમાં ભગવાનનું યંત્ર રાખી શકો છો. એનાથી તમારા પર્સમાં ધન આગમન જળવાઈ રહેશે.

મૃત વ્યક્તિઓના ફોટા.

image source

આપના પર્સમાં માતા લક્ષ્મીનું નિવાસસ્થાન માનવામાં આવે છે. એમાં મૃત વ્યક્તિઓના ફોટા રાખવા અશુભ હોય છે. જો તમર તમારા પર્સમાં કોઈ મૃત વ્યક્તિનો ફોટો મુક્યો હોય તો એને તરત જ કાઢી નાંખો. પર્સમાં આવી વસ્તુઓ નકરાત્મકતાને નિયંત્રણ આપે છે.

ઉધારીના કાગળ.

image source

પોતાના પર્સમાં આપણે ઘણી બધી ચિઠ્ઠી, રિશીપટ્સ વગેરે મૂકી દઈએ છીએ. પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ક્યારેય પણ ઉધારના કાગળિયા કે રિશીપટ ન રાખવી જોઈએ. આવા કાગળિયા ઉધારી વધારે છે.

આ વસ્તુઓને પણ રાખો પર્સથી દૂર.

image source

જુના બીલને પોતાના પર્સમાં ન રાખવા જોઈએ. સાથે સાથે પર્સમાં ભૂલથી પણ બ્લેડ કે ચાકુ ન રાખો.વાસ્તુના નિયમ અનુસાર આવી વસ્તુઓ પર્સમાં હોય તો ધનની સમસ્યા વધે છે અને જીવનમાં આર્થિક તકલીફો આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version