જલ્સા કરોને જેંતીલાલ

ઊંઘમાં મોંમાથી પડતી લાળને જલદી આ રીતે કરી દો બંધ, નહિં તો..

લાળ નીકળવાની તકલીફ, સાવધાન! શું સુતા સમયે આપના મોઢાં માંથી લાળ નીકળે છે? આ ત્રણ ગંભીર બીમારીઓની છે ચેતવણી તરત જ કરો આ કામ.

સુતા સમયે ઘણા બધા લોકોના મોઢાં માંથી લાળ નીકળે છે. આવું ફક્ત બાળકોની સાથે જ નથી થતું ઉપરાંત મોટાઓ સાથે પણ આવું થઈ શકે છે. પ્રશ્ન એ છે કે શું મોઢાં માંથી લાળ નીકળવાના કોઈ સ્વાસ્થ્ય સંબંધી ખતરાના સંકેત છે? શું આ કોઈ બીમારી છે? એક્સપર્ટ માને છે કે મોઢાંમાં વધારે લાળનું ઉત્પાદન થવાથી આવું થાય છે.

image source

એવું કહેવામાં આવે છે કે જો આ સમસ્યા પર ધ્યાન આપવામાં નાં આવે, તો આ વધારે વધી શકે છે. એમાં કોઈ શક નથી કે આપને કોઈ તકલીફ ના હોય, પરંતુ તેનાથી આપની પથારી અને મોઢું ખરાબ જરૂરથી થાય છે. ચાલો જાણીએ મોઢાં માંથી લાળ કેમ નીકળે છે અને તેને કેવી રીતે રોકી શકાય છે.

સુતા સમયે લાળ કેમ નીકળે છે?

સુતા સમયે ચેહરાની માંસપેશીઓ પણ સુઈ જાય છે અને ગળી જવા વાળા મસલ્સને પણ આરામ મળે છે. એટલે સુતા સમયે લાળ જમા થઈ જાય છે એટલા માટે ધીરે ધીરે લાળ ટપકવાની શરુ થઈ જાય છે. જાગતા સમયે લાળ નથી નીકળતી કેમકે જાગતા સમયે લોકો લાળને ગળી જાય છે. સુતા સમયે લાળ વધારે ત્યારે નીકળે છે જયારે કે આપણે પડખું ફરીને સુતા હોઈએ કે પછી પેટના બળે સુઈ રહ્યા હોઈએ. પીઠના બળે સુવાથી લાળ ખુબ જ ઓછી નીકળે છે. કેમકે પીઠના બળે સુવાથી લાળ પોતાની જાતે જ ગળાની નીચે ઉતરી જાય છે. જયારે પડખું ફરીને સુવાથી અને પેટના બળે સુવાથી આવું નથી થઈ શકતું.

સુતા સમયે મોઢાં માંથી લાળ વહેવાના નુકસાન :

ફેફસા પર અસર:

image source

એવું માનવામાં આવે છે કે જે લોકોના મોઢાં માંથી લાળ નીકળે છે તેની સીધી અસર તેમના ફેફસા પર થાય છે. જેના કારણે કોઈ ગંદી વસ્તુ જોઈ લે કે પછી ટ્રેન કે બસમાં મુસાફરી કરતા દરમિયાન તેઓને ઉલટી થાય છે.

શ્વાસ લેવામાં તકલીફ:

સુતા સમયે મોઢાં માંથી લાળ એટલા માટે નીકળે છે , કેમકે આપણે વધારે પાણી પી લઈએ છીએ. આના સિવાય ઘણું વધારે આપણે ખાઈ લઈએ છીએ. પરંતુ ધીરે ધીરે આનાથી શ્વાસની બીમારી વધવા લાગે છે. એટલા માટે આપે સુતા સમયે ખુબ વધારે ખાવા-પીવાથી બચવું જોઈએ.

કેલ્શિયમની ઉણપ:

image source

માનવામાં આવે છે કે જે લોકોના મોઢાં માંથી લાળ નીકળે છે, તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ જરૂરથી મળી આવે છે. જો આપની સાથે પણ આવું જ કઈક થાય છે તો રાહ જોયા વગર ડોક્ટરને મળવું જોઈએ અને યોગ્ય ઉપચાર કરાવવો જોઈએ.

સાઈનસને ચોખ્ખું રાખે છે.:

મોઢાં માંથી લાળ નીકળવાનું મુખ્ય કારણ નાક બંધ થવાનું એક મોટું કારણ છે. નાક બંધ થવાથી વ્યક્તિ મોઢાં દ્વારા શ્વાસ લે છે જેનાથી લાળ નીકળી શકે છે. એટલા માટે આપ ગરમ પાણીથી સ્નાન કરી શકો છો એસેન્શીયલ ઓઈલ અને વિકસ જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.

પેટના બળે સુવું નહી.:

image source

આપે પેટના બળે સુવાથી બચવું જોઈએ. એનાથી આપની લાળ મોઢાં માંથી બહાર આવી શકે છે. એટલા માટે આપે પીઠના બળે સુવું જોઈએ, કેમકે અમ પોઝીશનમાં સુવાથી મોઢાની લાળ મોઢાની અંદર જ રહે છે.

નસકોરાની સમસ્યાનો ઉપચાર જરૂરી છે.

નસકોરાને મેડીકલ ભાષામાં સ્લીપ એપનીયા કહે છે. આમાં વ્યક્તિ યોગ્ય રીતે શ્વાસ નથી લઈ શકતી અને તેનાથી ઊંઘ પ્રભાવિત થાય છે. લાળ નીકળવી સીધી રીતે તેના લક્ષણ હોઈ શકે છે. યાદ રાખવું કે ધુમ્રપાન જેવા કારક શ્વાસથી જોડાયેલ વિકારોનું જોખમ વધારે છે.

સુતી વખતે જાડું અને મુલાયમ ઓશીકાનો ઉપયોગ કરવો.:

image source

મોઢાં માંથી લાળ નીકળવાની સમસ્યાથી રાહત મેળવવા માટે આપે સુતી વખતે માથાની નીચે ઉંચો તકિયો કે ઓશિકાનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે આપ આજે જ કેટલાક જાડા અને મુલાયમ તકિયા ખરીદી લેવા જોઈએ.

વજન કરો ઓછું.:

વજન વધવાથી પણ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. એનાથી આપની ઊંઘ પણ પ્રભાવિત થઈ શકે છે. કેટલાક અધ્યયનમાં આ વાતની પુષ્ટિ કરાઈ છે કે જાડાપણાથી પીડિત લોકોને શ્વાસથી જોડાયેલ તકલીફો થઈ શકે છે. જેનું મુખ્ય કારણ નસકોરા આવવું છે. એટલા માટે આપે પોતાનું વજન ઓછું કરવું જોઈએ.

આ વાતનું ખાસ ધ્યાન રાખો:

image source

જો આપ પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ઉપર જણાવવામાં આવેલ ઉપાયો અજમાવવા જોઈએ. તેમછતાં એનાથી જો આપને આરામ નથી મળી રહ્યો, તો આપે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version