સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરી લો આ વસ્તુ, જીવનની મુશ્કેલીઓમાં મળશે રાહત

કહેવાય છે ને કે દરેક માણસના દરેક દિવસ એક સરખા હોતા નથી, અનેક વાર સમય તમારા પક્ષમાં હોતો નથી અને કોઈ કામ પણ પૂરું થઈ શકતું નથી. કામની શરૂઆત ભલે તમે સારી રીતે કરી હોય પણ તમને તેમાં સફળતા મળતી નથી. તો જાણો આવું શા માટે થાય છે અને તેનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ.

image source

અનેક વાર એવું બને છે કે ગ્રહ તમારા કામને અનુકૂળ હોતા નથી, એવામાં માતા લક્ષ્મી અને સરસ્વતી પણ તમારો સાથ છોડી દે છે. તંત્ર સાધના કહે છે કે એવા જાતકને તંત્ર અને મંત્રની મદદ લેવી જોઈએ જેનાથી તેમનું જીવન સુખમય બને. કેટલાક નાના અને ખાસ પ્રયાસ કરવાથી તમે પ્રતિકુળ ગ્રહોને અનુકૂળ બનાવી શકો છો અને તમારા ખરાબ સમયને તમારા પક્ષમાં કામ કરતા કરી શકો છો.

image oucre

જ્યારે જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે ત્યારે થોડી પણ રાહ જોયા વિના તમે જે પાણીથી સ્નાન કરો છો તેમાં 100 ગ્રામ કાળા તલ નાંખો અને તેનાથી સ્નાન કરો. આ ઉપાય કરવાથી તમને 21 કે 42 દિવસમાં ફરક અનુભવાશે અને તમામ સ્થિતિ તમને અનુકૂળ બનશે.

image source

જીવનમાં અનેક એવી સમસ્યાઓ સામે આવે છે જેમાં હતાશ થવાના બદલે કોઈ પણ અમાસના દિવસે કોઈ ગરીબને ભોજન કરાવવાથી અને તેને વસ્ત્ર તથા દક્ષિણા આપવાથી માથા પર પિતૃદોષ હશે તો તે ઉતરી જશે અને પરલોકમાંથી પિતૃઓા આર્શિવાદથી તમે સંપન્નતા મેળવી શકશો.

image source

વાસ્તુ અનુસાર પરિવાર કે કોઈ કુળના કુળદેવી હોય છે. કેટલાક લોકો તેમની અવગણના કરે છે અને ત્યાં સુધી કે તેઓ તેમને તહેવારના દિવસે પણ યાદ કરતા નથી. કોઈ પણ કામ પર જતાં પહેલાં તેમની પૂજા કરવાથી પણ કામ સફળ થાય છે અને સાથે જ સફળતાનો રસ્તો ખૂલે છે.

વાસ્તુ અનુસાર ઘાબા પર અને ઈશાન દિશામાં કામમાં ન આવનારી વસ્તુઓ ન રાખો. ઈશાન દિશાનું ખાસ મહત્વ છે, અને તેમાં જો કોઈ વસ્તુ રાખવી હોય તો દક્ષિણ દિશામાં રાખો, આમ કરવાથી બાધાઓ ઘટે છે અને સાથે લાભની સ્થિતિ પણ બને છે.

image soucre

ઘરની સુખ શાંતિ બની રહે તે માટે કાળા કૂતરો જે ભગવાન ભૈરવનું વાહન છે તેને સરસોના તેલની રોટલી અને તેમાં થોડા કાળા અડદના દાણા મિક્સ કરીને ખવડાવો. સમય તમારો સાથ આપશે. યાદ રાખો આ ઉપાય શનિવારે કરવાથી તમને વધારે લાભ મળી શકે છે.

મંગળવારે વાંદરાને ચણા ખવડાવવાથી ઘરની સુખ શાંતિ કાયમ રહે છે અને સંપન્નતા આવે છે.

image source

જો તમે સૂતી સમયે તમારું માથું પૂર્વ દિશાની તરફ અને પગ પશ્ચિમ દિશાની તરફ રાખો છો તે આધ્યાત્મિક રીતે અનુકૂળ છે. આ સાથે માથું દક્ષિણમાં અને પગ ઉત્તર દિશામાં હોય છે તો લાભની શક્યતાઓ વધી જાય છે. આ સિવાય તમે જો ઉંધા સૂઓ છો તો માનસિક ચિંતામાં વધારો થાય છે.

image source

જો ઘરની બહાર નીકળો તો કોઈ એક મહિલા એક મુઠ્ઠી કાળા અડદ કે રાઈને તે વ્યક્તિના માથા પર 3 વાર ફેરવીને જમીન પર નાંખે તો જે કામ માટે જઈ રહ્યા છો તેમાં સફળતા મળવાના ચાન્સ 100 ટકા વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ