કહેવાય છે ને કે દરેક માણસના દરેક દિવસ એક સરખા હોતા નથી, અનેક વાર સમય તમારા પક્ષમાં હોતો નથી અને કોઈ કામ પણ પૂરું થઈ શકતું નથી. કામની શરૂઆત ભલે તમે સારી રીતે કરી હોય પણ તમને તેમાં સફળતા મળતી નથી. તો જાણો આવું શા માટે થાય છે અને તેનાથી બચવા માટે તમારે શું કરવું જોઈએ.
અનેક વાર એવું બને છે કે ગ્રહ તમારા કામને અનુકૂળ હોતા નથી, એવામાં માતા લક્ષ્મી અને સરસ્વતી પણ તમારો સાથ છોડી દે છે. તંત્ર સાધના કહે છે કે એવા જાતકને તંત્ર અને મંત્રની મદદ લેવી જોઈએ જેનાથી તેમનું જીવન સુખમય બને. કેટલાક નાના અને ખાસ પ્રયાસ કરવાથી તમે પ્રતિકુળ ગ્રહોને અનુકૂળ બનાવી શકો છો અને તમારા ખરાબ સમયને તમારા પક્ષમાં કામ કરતા કરી શકો છો.
જ્યારે જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગે ત્યારે થોડી પણ રાહ જોયા વિના તમે જે પાણીથી સ્નાન કરો છો તેમાં 100 ગ્રામ કાળા તલ નાંખો અને તેનાથી સ્નાન કરો. આ ઉપાય કરવાથી તમને 21 કે 42 દિવસમાં ફરક અનુભવાશે અને તમામ સ્થિતિ તમને અનુકૂળ બનશે.
જીવનમાં અનેક એવી સમસ્યાઓ સામે આવે છે જેમાં હતાશ થવાના બદલે કોઈ પણ અમાસના દિવસે કોઈ ગરીબને ભોજન કરાવવાથી અને તેને વસ્ત્ર તથા દક્ષિણા આપવાથી માથા પર પિતૃદોષ હશે તો તે ઉતરી જશે અને પરલોકમાંથી પિતૃઓા આર્શિવાદથી તમે સંપન્નતા મેળવી શકશો.
વાસ્તુ અનુસાર પરિવાર કે કોઈ કુળના કુળદેવી હોય છે. કેટલાક લોકો તેમની અવગણના કરે છે અને ત્યાં સુધી કે તેઓ તેમને તહેવારના દિવસે પણ યાદ કરતા નથી. કોઈ પણ કામ પર જતાં પહેલાં તેમની પૂજા કરવાથી પણ કામ સફળ થાય છે અને સાથે જ સફળતાનો રસ્તો ખૂલે છે.
વાસ્તુ અનુસાર ઘાબા પર અને ઈશાન દિશામાં કામમાં ન આવનારી વસ્તુઓ ન રાખો. ઈશાન દિશાનું ખાસ મહત્વ છે, અને તેમાં જો કોઈ વસ્તુ રાખવી હોય તો દક્ષિણ દિશામાં રાખો, આમ કરવાથી બાધાઓ ઘટે છે અને સાથે લાભની સ્થિતિ પણ બને છે.
ઘરની સુખ શાંતિ બની રહે તે માટે કાળા કૂતરો જે ભગવાન ભૈરવનું વાહન છે તેને સરસોના તેલની રોટલી અને તેમાં થોડા કાળા અડદના દાણા મિક્સ કરીને ખવડાવો. સમય તમારો સાથ આપશે. યાદ રાખો આ ઉપાય શનિવારે કરવાથી તમને વધારે લાભ મળી શકે છે.
મંગળવારે વાંદરાને ચણા ખવડાવવાથી ઘરની સુખ શાંતિ કાયમ રહે છે અને સંપન્નતા આવે છે.
જો તમે સૂતી સમયે તમારું માથું પૂર્વ દિશાની તરફ અને પગ પશ્ચિમ દિશાની તરફ રાખો છો તે આધ્યાત્મિક રીતે અનુકૂળ છે. આ સાથે માથું દક્ષિણમાં અને પગ ઉત્તર દિશામાં હોય છે તો લાભની શક્યતાઓ વધી જાય છે. આ સિવાય તમે જો ઉંધા સૂઓ છો તો માનસિક ચિંતામાં વધારો થાય છે.
જો ઘરની બહાર નીકળો તો કોઈ એક મહિલા એક મુઠ્ઠી કાળા અડદ કે રાઈને તે વ્યક્તિના માથા પર 3 વાર ફેરવીને જમીન પર નાંખે તો જે કામ માટે જઈ રહ્યા છો તેમાં સફળતા મળવાના ચાન્સ 100 ટકા વધી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ