મીરાએ પોતાના શાહિદ સાથેના રોમાંચક ફોટો શેર કર્યો, તેમના ચાહકોએ કહ્યું, ખૂબ સુંદર દંપતી (ખૂબસૂરત જોડી).
બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કોઈ બોલિવૂડ સેલિબ્રિટીથી જરાય ઓછી અંકાય એમ નથી. તે હંમેશાં તેના જિમ લુકને કારણે અને સોશ્યલ મીડિયા પર ફોટા શેર કરવાના કારણે સમાચારોમાં ચર્ચાતી રહે છે. મીરાનો આવો જ એક ફોટો ફરીથી ચર્ચામાં છે. આ ફોટાને માત્ર બે જ કલાકમાં 2 લાખથી વધુ લાઇક્સ મળી છે.
તાજેતરમાં, મીરાએ પતિ શાહિદ સાથે બ્લેક એન્ડ વ્હાઇટમાં એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. તેની આ તસવીરમાં મીરા શાહિદને પાછળથી ગળે લગાવી હગ કરતી જોઇ શકાય છે.
આ ફોટામાં શાહિદ ટ્રેક પેન્ટ પહેરીને સ્વેટશર્ટના ખિસ્સામાં હાથ રાખી ઉભો રહ્યો છે, જ્યારે મીરા રાજપૂત કપૂરે સ્પોર્ટ્સ બ્રા અને જીમ પેન્ટ પહેર્યા છે.
ચાહકોને પણ આ બંનેનો ફોટો ઘણો પસંદ આવી રહ્યો છે. બે કલાકમાં, અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ આ ફોટો જોયો અને ટિપ્પણી પણ કરી અને લખ્યું – બ્યુટીફૂલ કપલ એટલે કે, ખૂબસૂરત જોડી.
મીરા રાજપૂત ઘણીવાર તેના બાળકો જૈન અને મીશા સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. ચાહકોને પણ તેમની આ તસવીરો ખૂબ પસંદ આવતી હોય છે.
તાજેતરમાં જ મીરાના એક ફોટોશૂટની તસવીરો અચાનક થીજ વાયરલ થઈ હતી. આમાં તે લોન્ગ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મીરા અને શાહિદ વચ્ચેના સંબંધો વિશે વાત કરવામાં આવે તો તેઓ બંને વચ્ચે ખૂબ જ લાંબા અંતરનું અંતર છે. બંનેનું વિવાહિત જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે.
શાહિદ કપુર અને તેની પત્નિ મીરા રાજપુત બોલિવુડના સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ્સ તરીકે છે. બંને જ્યારે પણ સાથે નજરે પડે છે ત્યારે ફેન્સ તેમને ખુબ પસંદ કરે છે. મીરા શાહિદ કપુરની સાથે ફેશન શો અને ફેમિલી ઇવેન્ટસ્માં પણ સાથે નજરે પડે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ સામાન્ય રીતે મીરા શાહિદની સાથે ફોટો શેયર કરતી રહે છે.
હવે મીરા રાજપુતે શાહિદ કપુર સાથે તેના લગ્ન જીવનના મામલે કેટલીક રોચક વાત કરી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે શાહિદ કપુર અને મીરા રાજપુત વચ્ચે વયમાં ૧૪ વર્ષનો અંતર છે. અહેવાલ મુજબ મીરા રાજપુતે કહ્યુછે કે તે ક્યારેય અરેન્જ મેરિજને એક પડકાર તરીકે લેતી નથી.
મીરાએ એમ પણ કહ્યુ છે કે દિલ્હી થી મુંબઇ આવ્યા બાદ તે ભારે ખુશ છે. તેને કોઇ પરેશાની થઇ રહી નથી. તેને સાઉથ મુંબઇ વધારે પસંદ છે.
શાહિદ અને મીરા એક ફેશન મેગેઝિનને આપેલી મુલાકાતમાં કેટલાક વિષય પર વાત કરી રહી હતી. બંને જુદા જુદા સોશિયલ સર્કલમાંથી આવે છે. શાહિદે કહ્યુ છે કે બંનેના પરિવાર એક સંગઠન રાધા સ્વામી સત્સંગ સાથે જાડાયેલા છે. જેથી બંને વેજિટેરિયન છે. કોઇ પણ પ્રકારના નશા કરતા નથી.
આની આગળ મીરા રાજપુતે એમ પણ કહ્યુ છે કે તે શાહિદ કપુરને પહેલા એક સામાન્ય માનવી તરીકે મળી હતી. તે સ્ટાર તરીકે શાહિદને મળી ન હતી. તમામ લોકો આ બાબત પણ સારી રીતે જાણે છે કે મીરા અને શાહિદ બે બાળકોના માતાપિતા બની ચુક્યા છે.
સામાન્ય રીતે પરિવારના તમામ સભ્યો સાથે નજરે પડે છે. શાહિદ કપુરની છેલ્લે કબીર બોલિવુડની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ તરીકે જાહેર થઇ છે. લાંબા સમય બાદ શાહિદ કપુર ફરી સુપરહિટ થઇ ગયો.
મીરા રાજપુતે તે બંને વચ્ચે એક ઉંમરને લઇને કહ્યું કે, જીવનના તમામ પડકારને પાર કરવો છે, જેમાં આ બાબતે હું વાસ્તવમાં નથી વિચારતી. અમે બંનેએ કોલાબા ના એક રેસ્ટોરન્ટમાં ડિનર કરીને પોતાના લગ્રની વર્ષગાંઢ મનાવી હતી. મીરાએ આગળ કહ્યું કે, મેં જીવન જીવવાની રીત ને પસંદ કરી છે, જેથી મે આને બદલ્યો પણ છે. લગ્ન બાદ મેં પહેલીવાર રિપ્ડ જીન્સ પહેરી હતી.
શાહિદ કપુરની વાત કરતા કરતા મીરા કહે છે, કે તે શાહિદ લાંબી ઉંમર સુધી જીવે, તેમના અનુભવનો ફાયદો મને પણ મળી શકે છે, અને મારા અનુભવનો ફાયદો તેમને મળી શકે છે. જેથી ઉંમરનો આ તફાવત કોઇ મહત્વનો નથી.
શાહિદ અને મીરા પણ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ ક્યૂટ કપલ્સ છે. તે બંને એકબીજા સાથે પરફેક્ટ લાગે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ