શિયાળાની ઋતુમાં ગર્ભવતી મહિલાએ પોતાની ડાયટમાં કેટલાક એવા વિશેષ આહારને સામેલ કરવા જોઈએ, જેનાથી પ્રેગ્નેટ મહિલાને સ્વસ્થ રહેવા, શિશુના સારા વિકાસ થવાની સાથે સાથે શિયાળાની ઋતુમાં થનારી તકલીફોથી પણ બચવામાં મદદ મળી શકે છે.
તો આવો હવે એવી જ એક વસ્તુ વિષે જણાવવાના છીએ. જેના સેવનથી શિયાળાની ઋતુમાં ગર્ભવતી મહિલાએ જરૂર સામેલ્ કરવી જોઈએ અને તે વસ્તુ છે દૂધ અને કેસર. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષકતત્વો રહેલા હોય છે, અને કેસરમાં પણ પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં સામેલ હોય છે.
એવામાં કેસર અને દૂધને એકસાથે ભેળવી પીવાથી તેના ફાયદા વધારે વધી જાય છે.
શિયાળામાં કેસર દૂધ પીવાના ફાયદા ગર્ભવતી મહિલા અને ભ્રૂણ માટે
મોટાભાગે પ્રેગ્નેટ મહિલાઓને કેસર દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે કેમકે એનાથી પ્રેગ્નેનસી દરમિયાન ઘણા બધા ફાયદા મળે છે. પરંતુ કેસર દૂધના સેવન કરતી વખતે પ્રમાણનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સાથે જ ઉનાળાને બદલે શિયાળાની ઋતુમાં કેસર દૂધનું સેવન કરવું વધારે ફાયદાકારક હોય છે. તો હવે વિસ્તારથી જાણીશું કે શિયાળાની ઋતુમાં કેસર દૂધ પીવાથી કયા કયા ફાયદા મળે છે.
ઠંડીથી બચાવે છે:
-કેસરની તાસીર ગરમ હોય છે.
-એવામાં દૂધમાં કેસરને સારી રીતે ઉકાળીને તેને હુંફાળું કરીને પીવાથી સારું રહે છે.
-એટલા માટે ગર્ભવતી મહિલા જો આનું સેવન કરે છે તો એનાથી પ્રેગ્નેટ મહિલા અને ભ્રૂણ બંનેને ઠંડીના કારણે થનારી તકલીફો જેવી કે શરદી, કફ, ખાંસી વગેરેથી બચવામાં મદદ મળે છે.
શિયાળામાં કેસર દૂધ પીવાથી નોર્મલ રહે છે બ્લડપ્રેશર:
-પ્રેગ્નેસી દરમિયાન ઘણી બધી મહિલાઓને બ્લડ પ્રેશરની સમસ્યાથી હેરાન થઈ શકે છે.
-એવામાં કેસર દૂધનું સેવન કરવાથી પ્રેગ્નેટ મહિલાને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
શિયાળામાં કેસર દૂધ પીવાથી મૂડ સારો રહે છે.
-ગર્ભવતી મહિલાના શરીરમાં થનાર હોર્મોનલ બદલાવના કારણે પ્રેગ્નેટ મહિલાને મૂડ સ્વિંગસની સમસ્યા થઈ શકે છે.
-એવામાં જો મહિલા કેસર દૂધનું સેવન કરે છે ટો એનાથી મૂડ કરવામાં મદદ મળે છે.
-જેનાથી મહિલાને ગુસ્સો, ચીડિયાપણું વગેરેથી રાહત મેળવવામાં મદદ મળે છે.
માંસપેશીઓમાં મજબૂતી:
-ઠંડીના કારણે માંસપેશીઓ અકડાઈ શકે છે.
-જેના કારણે મહિલા આળસ, થાકનો વધારે અનુભવ કરી શકે છે.
-આવામાં કેસર દૂધનું સેવન કરવાથી માંસપેશીઓને મજબૂતી મળે છે.
-જેનાથી પ્રેગ્નેટ મહિલાને એક્ટિવ અને ફિટ રહેવામાં ફાયદા થાય છે.
વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે.:
-કેસરમાં એંટી ઓક્સિડેંટ ગુણ રહેલ હોય છે જે શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે.
-જો પ્રેગ્નેટ મહિલા કેસર દૂધનું સેવન કરે છે તો એનાથી બ્લડ અને લિવરમાં રહેલ વિષાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદ મળે છે.
-જેનાથી પ્રેગ્નેટ મહિલા અને ગર્ભમાં રહેલ બાળકને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે..
શિયાળામાં કેસર દૂધ પીવાથી થાય છે પાચન ક્રિયા રહે છે તંદુરસ્ત:
-શિયાળાની ઋતુમાં પ્રેગ્નેટ મહિલાને થોડું ચટપટું ખાવાની ઈચ્છા વધારે થઈ શકે છે.
-પરંતુ પ્રેગ્નેટ મહિલાને વધારે ચટપટું ખાવાથી પાચન ક્રિયા પર ખરાબ અસર પડી શકે છે.
-પરંતુ જો પ્રેગ્નેટ મહિલા કેસર દૂધનું સેવન કરે છે તો એનાથી પાચન ક્રિયાને દુરસ્ત રાખવામાં મદદ મળે છે.
નોર્મલ ડિલિવરી:
-એવું પણ માનવમાં આવે છે કે જો પ્રેગ્નેટ મહિલાને ત્રીજી ત્રિમાસીમાં જો કેસર દૂધનું સેવન કરે છે, તો એનાથી પ્રસવ સરળ બનવાની સાથે નોર્મલ ડિલિવરીના ચાંસ વધારવામાં પણ મદદ મળે છે.
શિશુ માટે છે સારું.
-ભ્રૂણ માટે પણ કેસર દૂધ ખૂબ ફાયદેમંદ હોય છે.
-કેસર દૂધમાં રહેલ પોષકતત્વો ણા ફક્ત બાળકને સારા વિકાસમાં મદદ કરે છે પરંતુ એનાથી ભ્રૂણની મુવમેન્ટને વધારવામાં પણ મદદ મળે છે.
-જેનાથી ગર્ભમાં રહેલ બાળક એક્ટિવ થાય છે.
શિશુની ત્વચાનો રંગ.
– એવું પણ કહેવાય છે કે પ્રેગ્નેટ મહિલા જો કેસર દૂધનું સેવન કરે છે તો એના ગર્ભમાં રહેલ શિશુની રંગતને નિખારવામાં મદદ મળે છે.
-જેનાથી બાળક ગોરું થાય છે.
કેસરનું સેવન કેટલા પ્રમાણમાં કરવું જોઈએ?
પ્રેગ્નેટ મહિલાએ એક ગ્લાસ દૂધમાં બે થી ત્રણ રેશા જેટલું જ કેસર નાખવું જોઈએ, કેમકે એટલું જ કેસર આપના માટે ફાયદેમંદ હોય છે. વધારે પ્રમાણમાં કેસરનો ઉપયોગ પ્રેગ્નેટ મહિલા અને શિશુ માટે નુકસાનદાયક પણ હોઈ શકે છે. કેસરનો ઉપયોગ દૂધમાં કરવાની સાથે સાથે અન્ય ખાવાની ગળી વસ્તુ જેવી કે ખીર, હલવો વગેરેમાં પણ કરી શકાય છે. પરંતુ એમાં પણ યોગ્ય પ્રમાણમાં જ કેસરનો ઉપયોગ કરવો જોઈએ.
તો આ છે કેટલાક ખાસ ફાયદાઓ જે પ્રેગ્નેટ મહિલા અને શિશુને કેસર દૂધના સેવન કરવાથી મળે છે. જો ગર્ભવતી મહિલા શિયાળાની ઋતુમાં આનું સેવન કરે છે. તો જો આપ પણ ગર્ભવતી છો અને શિયાળાની ઋતુ છે તો આપે પણ કેસર દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. પરંતુ ધ્યાન રાખવું કે કેસર સારી ક્વોલિટી અને સારી જગ્યાથી લીધેલ હોવું જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ