આ ચાર રાશિઓના લોકોનું બદલાઇ જશે ભાગ્ય, જાણો તમારો નંબર છે કે નહિં આમાં..

બુધએ બદલી ચાલ, આ ચાર રાશિઓના લોકોનું બદલી જશે ભાગ્ય

image source

બુધ ગ્રહએ રાશિ પરિવર્તન કર્યું છે. હવે બુધ 7 એપ્રિલ સુધી મિત્ર ગ્રહ શનિની રાશિમાં રહેશે. આ સમય વચ્ચે બુધ ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી વક્રી અવસ્થામાં રહેશે.

બુધ ગ્રહને જ્યોતિષ શાસ્ત્રમાં સંચાર, બુદ્ધિ, ગણિત અને વાણીનો કારક માનવામાં આવે છે. બુધના આ ગોચરનો પ્રભાવ દરેક રાશિ પર પડશે. તો ચાલો જાણીએ કે બુધના આ ગોચરથી કઈ રાશિ પર કેવો પ્રભાવ પડશે.

મેષ

તમારી ક્ષમતામાં વધારો થશે અને તમારી કાર્ય કુશળતા વધશે. તમે તમારા પ્રયત્નોથી તમારી આવક વધારશો અને આવકની બાબતમાં આ ગોચર તમારા માટે શુભ છે. તમારી આવકમાં વધારો થવાની સંભાવની પ્રબળ સંભાવના છે.

વૃષભ

આ ગોચર તમારા કાર્યક્ષેત્રમાં ઉન્નતિ લાવનાર સાબિત થશે. તમે તમારા જ્ઞાન અને બુદ્ધિના આધારે કાર્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠમાં પ્રદર્શન કરશો. લાભ પ્રાપ્ત થશે. વેપારનો વિસ્તાર થશે.

મિથુન

ભાગ્ય ચમકશે. પ્રોપર્ટીની બાબતોમાં લાભ થશે. કેટલાક લોકો ઘર બદલવામાં સફળ થશો અને માન સમ્માન વધશે. ધાર્મિક યાત્રા પર જવાનું થશે.

કર્ક

સંઘર્ષ વધશે, અથાગ પ્રયત્નો પછી પણ ઓછી સફળતા મળે. આ દરમિયાન ખર્ચો પણ વધશે. કારણ વિના યાત્રા થઈ શકે છે.

સિંહ

લગ્ન જીવન ખુશહાલ રહેશે. જીવનસાથી સાથે નીકટતા વધશે. એક બીજા સાથે મુક્તમને ચર્ચા થશે. એકબીજા વચ્ચેના મતભેદ દૂર થશે. આકર્ષણ વધશે.

કન્યા

આ સમય તમને મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયે થોડી પણ બેદરકારી દાખવવી નહીં. સ્વાસ્થ્યને અવગણશો તો મોટી મુસીબતમાં મુકાઈ જશો. તમારી મહેનત રંગ લાવશે.

તુલા

ઉચ્ચ શિક્ષામાં સારું પરીણામ મળશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં મધુરતા વધશે. પ્રિયતમ સાથે રોમાંસ કરવાના અવસર મળશે.

વૃશ્ચિક

સુખના સાધનો વધશે. સંસાધનોને વધારે સારી રીતે ઉપયોગમાં લઈ શકશો અને તેનાથી સુખ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન સામાજિક સંબંધો મજબૂત થશે. પારિવારિક જીવનમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળશે.

ધન

તમારા માટે યાત્રાઓ સુખ, સુવિધા અને આનંદ વધારનાર સાબિત થશે. ઘરમાં નાના ભાઈ- બહેનો સાથે સંબંધ સુધરશે. તમારા કાર્યોમાં તમારા મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે.

મકર

તમને આર્થિક રીતે લાભ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. ભાગ્યનો સંપૂર્ણ સહકાર મળશે. તમારા અટકેલા કામ થવા લાગશે અને યાત્રા પણ લાભકારી સાબિત થશે.

કુંભ

આધ્યાત્મિક વિષયોમાં રસ વધશે. સંશોધનોમાં સારા પરીણામ મળશે. તમારા વિચારોમાં ઊંડાણ આવશે. તમે વાસ્તવિક સ્થિતિને જાણી અને તેના પર પોતાનો મત વ્યક્ત કરવાનું પસંદ કરશો.

મીન

આ સમય દરમિયાન તમારા ખર્ચમાં વધારો થશે. જેની અસર તમારા ખિસ્સા પર પડશે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ અસ્થિર થઈ જશએ. કેટલાક લોકોને વિદેશ જવામાં સફળતા પ્રાપ્ત થશે. કેટલાક જાતકો ઘર સિવાય અન્ય મિલકત ઊભી કરવાની દિશામાં આગળ વધશે અને તેમને સફળતા પણ પ્રાપ્ત થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ