મે મહિનાઓમાં આટલા રાજ્યોમાં કડક પ્રતિબંધ લાગુ કરવાનો કેન્દ્ર સરકારનો આદેશ, જુઓ નવી ગાઈડલાઈન શું કહે છે?

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશમા ભારે ભરખમ નુકસાની થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ સાડા ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જે બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને કડક પ્રતિબંધ લાદવાની સૂચના આપી છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે 31 મે સુધી કોરોના માર્ગદર્શિકા પણ જાહેર કરી છે, ત્યારબાદ ઘણાં રાજ્યોમાં કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

image source

કેન્દ્ર સરકારે કોરોનાના બીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એવા જિલ્લાઓની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું છે જ્યાં 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. આ ઉપરાંત એવા જિલ્લાઓને ઓળખવાની પણ સૂચના આપવામાં આવી છે જ્યાં હોસ્પિટલોના 60 ટકા બેડ કોરોના દર્દીઓથી ભરેલા છે.

image source

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યોને આવા જિલ્લાઓની ઓળખ કરવા અને ત્યાંના કેન્ટોનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગુ કરવા કહેવામાં આવ્યું છે. આ રાજ્યોમાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ જેવા રાજ્યો શામેલ છે. આ રાજ્યોમાં લોકડાઉન જેવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, તેમજ નાઇટ કર્ફ્યુના નિયમો ઘણા ભાગોમાં લાગુ કરવામાં આવ્યા છે.

image source

મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા માટે 15 મી મે સુધી મીની લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ આ સંદર્ભે આદેશો જારી કર્યા છે. મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં કોરોના ચેપના ફેલાવાને રોકવા માટે તમામ પ્રયાસ કરી રહી છે.

image source

યુપીમાં પણ કોરોના ઝડપથી વિકાસ પામી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. જે બાદ સરકારે અનેક તબક્કામાં લોકડાઉન નિયમો લાગુ કર્યા છે. યુપીમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને જ મુક્તિ આપવામાં આવશે. આ ઉપરાંત યુપીના દરેક જિલ્લામાં દરરોજ સવારે આઠ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.

image source

બિહારમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે નીતીશ કુમાર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારે સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ આપવાની ઘોષણા કરી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એટલું જ નહીં, તમામ પ્રકારની દુકાનોને સાંજના 4 વાગ્યાથી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, રાજ્યમાં 50 થી વધુ લોકોના લગ્નમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે જ સમયે, અંતિમવિધિ સમયે ફક્ત 20 લોકો જ એકત્રિત થઈ શકે છે.

image source

રાજસ્થાનની ગેહલોત સરકારે કોરોનાના કેસ વધતા જોઈને વીકએનન્ડ કર્ફ્યુ જાહેર કર્યો છે. શુક્રવારે રાત્રે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી રાજ્યમાં કર્ફ્યુ રહેશે. રાજસ્થાનમાં શનિવાર અને રવિવારે દુકાનો સંપૂર્ણપણે બંધ રહેશે. દરમિયાન રાજ્ય સરકાર કેટલાક અન્ય નિયંત્રણો લાદવાની વિચારણા કરી રહી છે.

image source

મધ્યપ્રદેશમાં પાટનગર ભોપાલ સહિત 5 શહેરોને સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યું છે. ભોપાલ ઉપરાંત છિંદવાડા, રતલામ, સાગર અને જબલપુરમાં સંપૂર્ણ લોકડાઉન થઈ ગયું છે. ભોપાલ સિવાય અન્ય શહેરોમાં તા.1 મે સુધી લોકડાઉન ચાલુ રહેશે. તમિલનાડુના ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુની પણ જાહેરાત કરવામાં આવી છે.

image source

ગુજરાતની સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો શુક્રવારે રાજ્યમાં 14,605 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 10,180 લોકો સાજા થયા અને 173 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધી 5 લાખ 67 હજાર 777 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4 લાખ 18 હજાર548 લોકો સાજા થયા છે, જ્યારે 7,183 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,42,046 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!