વૈષ્ણો દેવી ઉત્તર ભારતના સૌથી પૂજાનીય અને પવિત્ર સ્થળોમાંથી એક છે. આ મંદિર ત્રિકૂટ પહાડ પર સ્થિત છે જેના કારણે તેની ભવ્યતા અને સુંદરતાના કારણે તે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. વેષ્નો દેવીએવા સ્થળોમાનું એક છે જેને માતાનું સ્થાન માનવામાં આવે છે. આ મંદિર, 5,200 ફીટની ઊંચાઈ પર અને કતરાથી આશરે 14 કિ.મી. દૂર સ્થિત છે.
અહી દર વર્ષે લાખો શ્ર્દ્ધાળુઓ દર્શન અર્થે આવે છે અને માતાના દર્શન કરે છે. આ ભારતમાં તિરુમલા વેનકેશ્વર મંદિર પછી બીજા ક્રમનું સૌથી વધુ ધાર્મિકમાનું એક સ્થળ છે. આ મંદિરની પાસે જ ભૈરવ મંદિર પણ આવેલું છે. એવી માન્યતા છે કે માતાના દર્શન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે ભૈરવના પણ દર્શન કરવામાં આવે છે.
શ્રી માતા વૈષ્ણોદેવી ધામની આસપાસ ત્રિકુટ પહાડોની હરિયાળીને વધારવા માટે શ્રાઈન મિશન ગ્રીન અભિયાન શરૂ કરવાનું છે. તેના માટે બોર્ડ વિભિન્ન પ્રજાતિઓનાં લગભગ બે લાખ છોડ લગાવશે.
શ્રાઈન બોર્ડનાં સીઈઓ સિમરનદીપ સિંહે જણાવ્યું કે આ વર્ષે ૧.૧૦ લાખ જંગલી પ્રજાતિઓ અને ૦.૯૦ લાખ સજાવટી અને મોસમી છોડને લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગરમીની મોસમમાં પાણીની કમી પણ મુખ્ય ચિંતાઓમાંથી એ ક છે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !