ભલભલા બાહુબલીનેય તેનો ઉપયોગ આખા દિવસમાં ઓછામાં ઓછો એકવાર તો કરવો જ પડે છે… જેને આયુર્વેદમાં ત્રિદોષ નાશક કહેવાય છે તેવા કાળાં મરી સદીઓથી વપરાય છે અને તેનો અનેકવાર વિવિધ ઔષધિઓમાં તેનો ઉલ્લેખ કરાય છે. તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ ભારતીય રસોડામાં એક મહત્વનાં તેજાનાં તરીકે થતો આવ્યો છે. અને આ એ જ મરી મસાલા છે જેને લીધે ભારતની ધરતી પર વિદેશી શાસકો આકર્ષાઈને આવી પહોંચ્યા હતા. આપણા પૂર્વજોએ સદીઓથી મરી-મસાલા અને તેજાનાંનો યોગ્ય માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય તેવા ઉપચારો બતાવ્યા છે. આપણા શરીરના બંધારણમાં વાત્, પિત્ત અને કફ આવેલ છે. તે ત્રણયને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય છે. સ્વાદે તીખા પરંતુ એ શરીરને ઠંડક આપે છે.