આજના સમયમાં દરેક વ્યક્તિને રૂપિયાની જરૂર રહે છે. રોજના જીવનમાં કામમાં આવનારા રૂપિયા વિના તમારું કોઈ કામ થઈ શકતું નથી. આ કષ્ટને દૂર કરવા માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરતો રહે છે.
ઘરમાં આવેલા રૂપિયા કેવી રીતે આવ્યા અને સાથે ઘરમાં આનંદનું વાતાવરણ કેવી રીતે રાખવું તેને માટે પણ વાસ્તુશાસ્ત્રમાં અનેક ઉપાયો કહેવામાં આવ્યા છે. જેમાંથી એક ઉપાય અમે આજે આપને જણાવી રહ્યા છીએ. આ ઉપાય અપનાવીને તમે ઘરને ફરીથી આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જઈ શકો છો.
સૌ પહેલાં તો અમે તમને એક એવા છોડ વિશે વાત કરી રહ્યા છીએ જેને ધનનું સૂચક માનવામાં આવે છે. અથવા તો વાસ્તુ શાસ્ત્રમાં આ વાતનું વર્ણન કરાયું છે કે જે ઘરમાં આ છોડ હશે તેની પર દેવી લક્ષ્મીની કૃપા તે ઘર પર કાયમ બની રહે છે. આ છોડ મની પ્લાન્ટનો છે. અનેક લોકોને આ વાતની ફરિયાદ રહે છે કે તેઓએ પોતાના ઘરમાં અનેક વર્ષોથી મની પ્લાન્ટનો છોડ લગાવ્યો છે. તેનાથી રૂપિયાની તકલીફો દૂર થઈ શકે છે. જો કે ખરેખર તો મની પ્લાન્ટના કેટલાક નિયમો હોય છે. જો તેના નિયમોનું પાલન નહીં કરો તો તમને તેના ફાયદા મળી શકશે નહીં.
જો તમે મની પ્લાન્ટ લગાવો છો તો ધ્યાન રાખો કે તમે ઘરમાં તેને કઈ દિશામાં લગાવો છો. ધ્યાન રાખો કે આ છોડ ઘરમાં ઉત્તર દિશામાં લગાવવામાં આવે. આ દિશા તેને માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જ્યારે ઘરમાં બનેલા શૌચાલયની પાસે પણ આ છોડને ભૂલથી ન રાખો, આ વાત તો મની પ્લાન્ટને રાખવાની દિશાની થઈ. હવે જાણો કે શું કરવાથી આ મની પ્લાન્ટનું ફળ વધારે મેળવી શકાય છે.
જો તમે તેનું બમણું ફળ મેળવવા ઈચ્છો છો તો તમારે તેના પર લાલ રંગની રિબિન બાંધી લેવી જોઈએ. જો તમે આવું કરો છો તો તમારા ઘરમાં રૂપિયા અને સમૃદ્ધિ તો આવે છે અને સાથે ઘરમાં આનંદનું વાતાવરણ પણ કાયમ રહે છે.
તો હવે તમારા ઘરમાં મની પ્લાન્ટ છે તો તમે આ ખાસ ઉપાય કરો અને ધનલાભ મેળવો. જો ઘરમાં આ પ્લાન્ટ નથી તો તેને આજે જ ખરીદી લાવો અને અને સાથે આ કામ પણ કરી લો. જેનાથી તમારી પ્રગતિ બમણી રીતે થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,