જલ્સા કરોને જેંતીલાલ

સુરત મહિલા PSI કેસમાં એકદમ નવો વળાંક, પોલીસ પતિના આડાસંબંધ, વૈભવની સુરતમાં હાજરી અને અમિતાનું ફાટેલું ટીશર્ટ….

કેટલાક દિવસ પહેલાં એક ભયંકર સમાચાર સામે આવ્યા હતા કે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ પેટમનાં ગોળી મારીને જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારબાદ ઘણા તર્કો વિતર્કો સામે આવ્યા અને તપાસ ચાલતી રહી. ત્યારે હવે આ મામલે એક મોટો ઘટસ્ફોટ થયો છે અને કોઈએ ન ધાર્યો હોય એવો વળાંક સામે આવ્યો છે. જેના કારણે સોપો પડી ગયો છે. તો આવો જાણીએ કે આખરે આ કેસમાં કયો વળાંક આવ્યો. ઉલ્લેખનીય છે કે સુરતમાં ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ 5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ત્યારે આ કેસમાં 3 વસ્તુ સામે આવી છે કે પોલીસ કોન્સ્ટેબલ પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ફાટેલું ટીશર્ટ.

image source

આ બધી જ આશંકા અને પુરાવા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. હાલમાં અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો પિતાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારૂ નામ બાબુભાઈ શાંતિલાલ જોશી. રહે. ધારી, જિલ્લો અમરેલી.મારી દીકરી અમિતા 2011માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી. 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તળાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા.

image source

આગળ ફરિયાદમાં પિતા લખાવે છે કે, વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 3-એપ્રિલ-2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ જૈમિન છે. અમિતાની સુરત બદલી થતા તે ફાલસાવાડીમાં ક્વાટર્સમાં રહેતી હતી. ત્યારે તેના સસરા જીતેશ, સાસુ હર્ષાબેન,નણંદ અંકિતા ધવન મહેતા અને મનિષા હરદેવ ભટ્ટ અમિતાને ત્યાં આવ્યા હતા. તેના સાસુ-સસરા-નણંદ સુરતથી જતા ત્યારે જૈમિનને સાથે લઈ જતા હતા. અમિતા ફોન પર મારી બીજી દીકરી કાજલ( અમિતાની નાની બહેન)ને વૈભવના બહારના આડાસંબંધો અને સાસરિયા દ્વારા તેના આખા પગારની માંગણી કરતા હોય અને જૈમિનને પણ પોતાની સાથે ન રાખતા હોય એવી વાતો કરતી હતી.

image source

પિતા પરિસ્થિતિની વાત કરતાં ફરિયાદમાં આગળ લખે છે કે, મારી દીકરીએ પોતાના નામે ફ્લેટ તેમજ બ્રિઝા કાર ખરીદી કરેલ તે બાબતે પણ સાસુ-સસરા,નણંદ તથા વૈભવ વારંવાર કેમ તે તારા નામે આ બધું કરી લીધું છે. વૈભવના નામે કેમ કાંઈ નથી લેતી તેમ કહી હેરાન કરતા હતા. વૈભવના આડાસંબંધોના કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલા મારી દીકરી કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે તેમજ જૈમિનને રાજકોટ મુકી જાવ અને મારી પણ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી. મહિધરપુરા પોલીસમાં અમિતાએ આપઘાત કર્યાની જાણ થઈ હતી. ગોળી વાગી મોત થવું અને જીતુભાઈએ મને જાણ કરેલી તેના પરથી ફલીત થાય છે કે વૈભવની હાજરી સુરતમાં હોય તેવી મને શંકા છે.

image source

આ સાથે જ પિતાએ ચોંકાવનારી વાત લખાવી કે મારી દીકરીએ પહેરેલ ટીશર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું. તે ટીશર્ટ પહેલા અગાઉના દિવસે મારી દીકરી કાજલ સાથે વીડિયો કોલમાં એક્સરસાઇઝ કરેલ ત્યારે ફાટેલ જણાયેલ ન હતું. અમારા કુટુંબમાં એ બાબતે શંકા છે કે અમિતાએ આત્મહત્યા કરેલ નથી પરંતુ આનું મોત કરેલ કે કરાવેલ છે તેવી શંકા છે. બસ આટલા શબ્દો પિતાએ તેની ફરિયાદમાં લખાવ્યા અને હવે એક નવો જ વળાંક સામે આવ્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું તે તપાસમાં હવે શું સામે આવે છે અને ગુનેગારોને સજા થાય છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version