આવતા સમયમા મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. આ દિવસે ભગવાન શિવને અમુક વસ્તુ ચડાવાથી તમારા જીવનમા ચાલતી દરેક સમસ્યાનો અંત આવે છે. એમ કહેવામા આવે છે કે આ દિવસે ભોલેનાથ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલે કે આ દિવસે તેઓના લગ્ન થયા હતા. તેથી આ દિવસને બધા લોકો ખુબ મોટા ઉત્સવની જેમ ઉજવે છે. આમ આ દિવસે આમની આરધના કરવાથી મોટામા મોટી બીમારી પણ દુર થાય છે.
આ દિવસે વિધિથી મહાદેવની પુજા કરવામા આવે છે. ઘણા લોકો આ દિવસે ઉપવાસ અને વ્રત રાખે છે. આમ કરવાની માન્યતા એવી છે કે આ દિવસે આમ કરવાથી તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે. તમે ભોળેનાથને એક લોટો પાણી ચડાવીને પણ ખુશ કરી શકો છો. પરંતુ તેમની વિશેષ કૃપા મેળવવા માટે નીચે જણાવેલ નવ વસ્તુ ચડાવવી જોઇએ.
આ દિવસ સાથે જોડાયેલ માન્યતા પણ છે :
બધા લોકો એમ કહે છે કે જો તમારા જીવનમા ખુબ જ વધારે મુશ્કેલીઓ આવે છે તો તમારે શિવજીના ચરણોમા જવુ જોઇએ. આમ કરવાથી તમારા જીવનનીબધી જ સમસ્યાઓ દુર થશે. આ દિવસે શિવજીનો અભિષેક કરવો જોઇએ અને તેમને દુધ, ઘી, ભાંગ, મધ, કેસર, દહિં, જળ અને ચન્દન જેવી ઘણી બધી વસ્તુઓ અર્પિત કરી શકો છો. આમ કરવાનુ ખુબ જ સારુ મહત્વ છે. તો આજે આપણે જાણીશુ કે શિવલિંગ પર કઇ કઇ વસ્તુઓ ચડાવવી જોઇએ.
જળ :
શિવરાત્રીના દિવસે સવારમા સ્નાન કરીને શિવ મંદીરે જઇને મ્નત્રના ઉચ્ચારણ સાથે શિવલિંગ પર જળ ચડાવવુ જોઇએ. આમ કરવાથી તમારા સ્વભાવમા સુધારો આવે છે અને તે શાંત થાય છે.
બિલિપત્ર :
ભારતમા બિલિપત્રને ખુબ જ વધારે મહત્વ આપવામા આવે છે. શાસ્ત્રોમા આને ભોળેનાથની ત્રીજી આંખ ગણવામા આવી છે. શિવજીની દરેક પુજામા આનો ઉપયોગ કરવામા આવે છે. આના વગર તેમની બધી જ પુજા અધુરી ગણવામા આવે છે. આ દિવસે બિલિપત્ર સાથે પુજા કરવાથી તમારી બધી જ મનોકામના પુરી થાય છે. આમ કરવાથી અનેક જાતની બીમારીઓ પણ દુર થાય છે.
ખાંડ :
આનો અભિષેક શિવજી પર કરવાથી તમારા ઘરમા સુખ, શાંતી અને સમૃદ્ધી મળે છે. આમ કરવાથી તમારા જીવનમા ચાલતી ગરીબી દુર થાય છે. તેથી આનો ખુબ જ વધારે ઉપયોગ કરવો જોઇએ.
દુધ :
ભોળેનાથને દુધ ખુબ જ પ્રિય છે. તેઓને દુધ ચડાવવાથી તમારી તબિયત સારી રહે છે. તમારી મોટી બીમારીઓ દુર થાય છે. આ દિવસે શિવજીને ગાયનુ દુધ ચડાવવુ જોઇએ. આમ કરવાથી તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે.
મધ :
શિવજીને મધ ચડાવાથી તમારી વાણી મીઠી થાય છે. આમ કરવાથી તમારા બધા જ રોગો દુર થાય છે.
દહિં :
દહિં ચડાવાથી તમારો સ્વભાવ સુધરે છે અને જીવનમા ચાલતી બધી જ સમસ્યાઓ દુર થાય છે.
કેસર :
કેસર શિવજીને ખુબ જ પ્રિય છે. તેથી દુધમા કેસર ભેળવીને તેનો અભિશેક કરવો જોઇએ. આમ કરવાથી તમારી બધી જ ઇચ્છાઓ પુરી થાય છે. જે લોકોને લગ્નમા સમસ્યા થાય છે તે સમસ્યા દુર થાય છે. આમ કરવાથી તમને સૌમ્યતા પ્રાપ્ત થાય છે.
ઘી :
શિવજીને ઘી ચડાવવાથી તમારી તાકતમા વધારો થાય છે. તમારી નબડાઇ અને કમજોરીને દુઇર કરવા માટે આને ચડાવવુ જોઇએ.
ભાંગ :
શિવજીને ભાંગ ચડાવાથી તમારા જીવનમા ચાલતી બધી જ જાતની ખામીઓ દુર થાય છે. આ ભોળેનાથને ખુબ જ પ્રિય હોય છે. આ પાન કે આનો લેપ બનાવીને ચડાવાથી તમારા જીવનમા ચાલતી નકારાત્મકતા દુર થાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,