આ નમકપારા મગ ની દાળ અને ઘઉં ના લોટ ને મિક્ષ કરી બનવા માં આવે છે. બાળકો અને મોટા બેય ને પસંદ આવે એવો આ નાસ્તો સ્વાદિષ્ટ અને બનવા માં બહુ સરળ છે .
ચા / કોફી સાથે કે બાળકો ને સ્કૂલ ટીફીન માં કે ગરમ દાળ-ભાત સાથે ખાવાની મજા આવશે .
આપ આ સક્કરપારા માં બારીક સમારેલી કોથમીર કે પાલક પણ ઉમેરી શકો . કાળા તલ થી ઉઠાવ વધુ આવશે. મેં અહી વધેલી બાફેલી દાળ લીધી છે . આપ જાડી વઘારેલી દાળ પણ વાપરી શકો પણ એમાંથી ટામેટા , લીમડા ના પાન વગેરે કાઢી લેવું .
નોંધઃ
મગ દાળ ને બાફતી વખતે પાણી પ્રમાણ માં જ લેવું..
લોટ બાંધ્યા બાદ 20 મિનિટ સુધી ઢાંકી ને સાઈડ પર રાખી લો. આમ કરવા થી મસાલો સરસ ચડી જશે..
હંમેશા આ નમકપારા મધ્યમ આંચ પર જ તળો.
સામગ્રી :
૧ વાડકો બાફેલી મગ ની દાળ
૨.૫ થી ૩ વાડકા ઘઉં નો લોટ
૫-૬ ચમચી તેલ
૨ ચમચી સફેદ તલ
૧ ચમચી ચાટ મસાલા
૧/૨ ચમચી આમચૂર
૧/૨ ચમચી હળદર
૧ ચમચી લાલ મરચું
૧/૨ ચમચી હિંગ
મીઠું
તળવા માટે તેલ
રીત :
તળવા માટે ના તેલ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી થોડો નરમ લોટ બાંધો . આ લોટ ને 15 થી 20 min સુધી ઢાંકી ને રાખી દો .
લોટ માંથી એક લુવું લઇ મોટી પાતળી રોટલી વણી લો . મનગમતા આકાર માં કાપી લો . ફોર્ક થી કાણા પાડી લો.
તેલ માં માધ્યમ આંચ પર તળી લો . ઠંડા પડે એટલે ડબ્બા માં ભરી દો. ..
રેસિપી નો વિડિઓ પણ અવશ્ય જોશો..
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો...જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે...
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ - રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
- તમારો જેંતીલાલ