કમી – લગ્ન પાંચ વર્ષ પછી પણ કોઈ સારા સમાચાર નથી મળી શક્યા… કોનામાં છે કમી જાણીને તમે પણ ચોંકી જશો…

કમી

” જાવેદ , ઇસ્લામ મેં પાંચ નિકાહ હલાલ હે ! તુજે સલમા કો નહીં છોડના તો ના સહી , લેકિન સમીમાં સે નિકાહ કર લે મેરે બચ્ચે . મેને અનવર ભાઈજાન કો જબાન દી થી કી સમીમાં કો મેં તેરી દુલ્હન બનાકર ઇસ ઘર મેં લાઉન્ગી .”

ફરી થી જાવેદ ની વિધવા અમ્મી એ દરરોજ ની જેમજ જમવાના સમયેજ એજ પુનરાવર્તિત ચર્ચા છેડી. જે શબ્દો જાવેદ હજાર વાર સાંભળી ચુક્યો હતો. સલમા સાથે જાવેદ ના પ્રેમ લગ્ન થયા પછી એના અમ્મીના જીવન નો જાણે એકજ હેતુ બચ્યો હતો ,જાવેદ ના બીજા લગ્ન કરાવી પોતાની પસંદગી ની વહુ ઘરે લઇ આવવી. સલમા પ્રત્યે ના એમના અણગમા ને દ્રેષ આમજ તીખા શબ્દો માં નીતરતા જાવેદ અને સલમા ના પ્રેમજીવન ને અશાંત બનાવી મુકતા . જાવેદ સલમા ને ખુબજ ચાહતો. પરંતુ પોતાની અમ્મી પ્રત્યે ના માન સન્માન ને હામી ના પહોંચે એની પણ તકેદારી રાખતો. ઇસ્લામ નું જ્ઞાન એને એજ શીખવતું કે મા જેવી પણ હોય મા હોય. એના વિચારો કે અભિપ્રાયો જો સમાંતર ન હોય તો પણ બાળકે પોતાનો દ્રષ્ટિકોણ એની આગળ પ્રેમ અને સમજણ પૂર્વક ,સારી અને નમ્ર ભાષા શૈલી માંજ રજૂ કરવો. માતા પિતા ઉપર અવાજ ઊંચો કરવાની પરવાનગી એનો ધર્મ આપતો ન હતો. પોતાના ધર્મ ને અનુસરતા ઘણી વાર આગળ પણ રજૂ કરી ચુકેલો પોતાનો એજ ઉત્તર એણે અત્યંન્ત ધીરજ અને ધૈર્ય થી રજૂ કર્યો.

” મુજે પતા હે અમ્મી. ઇસ્લામ પાંચ નિકાહ કો મંજુર તો કરતા હે લેકિન ઇસ મંજૂરી કી નીવ મેં બોહત સી વાજીબ વજહ બયાન કી ગયી હે ! ઇસ્લામ કેહતા હે બિવિ ઘર કી રાની હોતી હે ઔર ઉસકા એહતેરામ રાની કી તરહ કરના સોહર કી ફરઝ હે ….માફ કરના લેકિન ખુદગર્ઝી કે લિયે , અપને નિજી ફાયદે કે લિયે મેં અપને મઝહબ કા ગલત ઇસ્તીમલ કભી નહીં કરૂંગા !”

સામે બેઠી સલમા ની આંખો ધડ ધડ કરતી વહી રહી હતી. જાવેદ પ્રત્યે નો અનન્ય પ્રેમ એના જીવન નું સાચું સુખ હતું. પરંતુ પોતાનો આ પ્રેમ એક મા અને દીકરા વચ્ચે ના કજિયા નું કારણ બનતા જોઈ એજ પ્રણય મન ની પીડા નું કારણ બની રહેતું. આમ તો જાવેદ ના અમ્મી ના હૃદય ને જીતવા એણે અથાક પ્રયત્નો આદર્યા હતા . એનું નોકરી કરવું એમને ન ગમતું તો નોકરી પણ છોડી દીધી. ઘર ના બધાજ કામ એમની પસંદગી અનુરૂપ કરવા થી લઇ રાત્રે ઊંઘતી સાસુ ના પગ દબાવવા સુધી,જ્યાં પણ મોકો મળતો સલમા એમના હૃદય ને જીતવા દિલોજાન લગાવી દેતી. જાવેદ આ પ્રયત્નો ને જોઈ પોતાના પ્રેમ ઉપર અપાર ગર્વ અનુભવતો. છતાં સલમા પ્રત્યે ના પોતાની અમ્મી ના ખરાબ વલણ ને વર્તન થી એટલીજ શરમ પણ અનુભવતો . એકાંત માં સલમા ની માફી પણ માંગતો .

” સલમા વોહ કુછ ભી કહે , કુછ ભી કરે , હમારી અમ્મી હે. ઇન્શાલ્લાહ વો એક દિન જરૂર સમજેગી . મા કે પેરો કે નીચે અલ્લાહ ને જન્નત રખી હે . તુમ્હારી અચ્છી નિયત ઔર સાફ દિલ સે કી હુઈ ખિદમત ખુદા ઝાયા નહિ હોને દેગા .”

પતિ ના સાથ અને સમજણ થી સલમા ને અશક્યતા માં પણ શક્યતા ના રંગો દ્રષ્ટિમાન થતા . જ્યાં સલમા અને જાવેદ એકબીજાનો સાથ આપી અમ્મી ના હૃદય ને જીતવા પ્રયત્નો કરી રહ્યા હતા ત્યાંજ એ વૃદ્ધ આંખો ફ્ક્ત એક કારણ ની શોધ માં હતી જે સલમા અને જાવેદ ના સંબંધ ને મૂળ માંથીજ કાપી નાખે . થોડા વર્ષો ની પ્રતીક્ષા ને અંતે આખરે એ કારણ આંખે ચઢીજ ગયું .


લગ્ન ના પાંચ વર્ષો પછી પણ ઘર માં કોઈ શુભ સમાચાર આવ્યા નહીં . સલમા તરફ થી એમને પોતાના કબીલા નો વારસદાર મળશે નહીં , એ વાત ની ખાતરી સાથે એમણે જાવેદ ના નિકાહ સમીમાં સાથે રચવા ના પોતાના જૂના સ્વપ્ન ને ફરીથી મન માં સચેત કર્યું . ” જાવેદ મેરે લિયે નહિ તો ઇસ ખાનદાન કો આગે બઢાને કે લિયે હી સહી …” ” અમ્મી મેરા ખાનદાન સલમા સે શુરુ હોતા હે ઑર ઉસીપે ખતમ …”

જાવેદે ખુબજ અલ્પ શબ્દો ના પ્રયોજન થી પોતાનો આખરી નિર્ણય સ્પષ્ટ અને સચોટ છતાં સંપૂર્ણ માન જાળવી રાખી એમને જણાવી દીધો . એ દિવસે સલમા ને ખાતરી થઇ ગઈ કે કઠોર પરિસ્થિતિ માં એનો હાથ થામી ઉભો રહેલો જાવેદ ખુદા તરફ થી એને મળેલી એક બક્ષીશ જ હતી , પ્રેમ ની બક્ષીશ !

પણ પ્રેમ ની આ કસોટી અહીજ સમાપ્ત ન થઇ. પ્રેમ ની કસોટીઓ સમાપ્ત થતી હોય છે ખરી ? એ દિવસે જાવેદ ના દૂર ના ચાચા અનવર ને ત્યાં એમની મોટી દીકરી ની ગોદભરાઈ ની દાવત હતી. સમીમાં ની મોટી બહેન ના જીવન ની સૌથી મોટી ખુશી ના પ્રસંગે દાવત પણ ખુબજ મોટી રાખવામાં આવી હતી. સમાજ ના અગ્રણી વ્યક્તિત્વો સહિત મોટાભાગ ના લોકો આમન્ત્રિત હતા. ગોદભરાઈ ની રસમ નિપટાવ્યા પછી જાવેદ ની અમ્મી અને ચાચા અનવર ની પૂર્વ નિર્ધારિત મીલીભગત ના પરિણામ સ્વરૂપ દાવત માં હાજર લોકો આગળ સમીમાં અને જાવેદ ના નિકાહ ની ઘોષણા કરવામાં આવી. જાવેદ નું લોહી ઉકળી રહ્યું :

” યે સબ ક્યા હે અમ્મી ? મેં આપકો કિતની બાર કહું કે મેરી ઝીંદગી મેં સલમા કે સિવા ઔર કિસી કી જગહ નહીં !” ” બાવજૂદ ઇસકે કે વોહ કભી માં નહીં બન સકતી …મેરા ખાનદાન આગે બઢાને વાલા વારિસ નહીં દે સકતી …એક બાંઝ હૉકેભી મૂંહ ઉઠાકે ઇસ ગોદભરાઈ કે પાક મોકે પે ચલી આયી…મનહુન્સ કહી કી…પીછા કયો નહીં છોડતી મેરા ઔર મેરે બચ્ચે કા ???….”

સમાજ ની વચ્ચે થયેલા અપમાન થી સલમા તૂટી પડી. જ્યાં ઉભી હતી એજ ભોંય પર પછડાઈ પડી. એકજ ક્ષણ માં આ સંબંધ ને જોડવા મારેલા અનેકાનેક ટાંકાઓ જાણે બધા ની સામે ઉઘડી ગયાં . હવે કશુંજ બચ્યું ન હતું. જાવેદ ના પ્રેમ વિના જીવવા ની કે એને અન્યકોઈ નો બની જતા નિહાળવા ની એના અસ્તિત્વ ની ક્ષમતા જ ન હતી. ધ્રુસકે ધ્રુસકે રડી રહેલી સલમા નું દરેક અશ્રુ જાવેદ ના હૃદય ને વીંધી રહ્યું હતું. છતાં પોતાના ક્રોધ નો જ્વાળામુખી મા પ્રત્યે ના માન ની મર્યાદા ના ઓળંગી જાય એનું સક્રિય ભાન જાળવતો એ અનવર ચાચા તરફ ફર્યો. દાવત માં હાજર દરેક વ્યક્તિ ના કાન જાવેદ ના શબ્દો ઉપર ધ્યાન થી મંડાયા .

” વક્ત આ ગયા હે કી મેં આપ લોગો કો સબ સચ બતા દુ ઔર સચ યહી હે કી કમી મુજ્મે હે. મેં કભી બાપ નહીં બન સકતા .લેકિન ઇસ બાત સે મુજે કોઈ શરમ મહસૂસ નહીં હોતી. ક્યોંકિ ખુદા ને મુજે ઇસ કમી સે નવાજા હે…ઔર વો જો ભી કરતા હે બન્દે કે હક મેં વહી બેહતર હોતા હે…બોલીયે અનવર ચાચા ક્યા આપ અબ ભી સમીમાં કા નિકાહ મુજસે કરવાયેંગે ? ”

અનવર ચાચા સમીમાં નો હાથ થામી પાછળ હટી ગયા. જાવેદ ની અમ્મી પાસે ના સોફા ઊપર ફસડાઈ પડ્યા . ઉપસ્થિત બધીજ નજરો વિસ્મય થી પહોળી થઇ ચુકી હતી. આજ પહેલા સમાજ ના કોઈ પુરુષે આમ ખુલ્લેઆમ પોતાની કમી સ્વીકારી ન હતી. ફક્ત બાળક ને જન્મ આપવા થી એક પુરુષ ‘મર્દ ‘ તરીકે અહીં સ્વિકારાતો હતો ..પણ એક સ્ત્રી નું માન સન્માન જાળવી એનો હક એને આદર થી આપી રહેલ આવો ‘મર્દ ‘ તો એમણે પહેલીવાર જ જોયો! સલમા પહેલેથી પણ વધુ આવેગ માં રડી રહી હતી. સલમા ને ઉઠાવી પોતાના બાહુઓ નો ટેકો આપતો જાવેદ એની અમ્મી નજીક ઉભો રહ્યો :

” એક બાંઝ ઔરત ગોદભરાઈ કી પાક રસમ મેં નહિ રહ સકતી તો એક ‘બાંઝ આદમી ‘ ભી નહિ રહ સકતા ….” જાવેદ સલમા ને લઇ ગાડી મા ઘર ભણી ઉપડ્યો . ગાડી ના એકાંત માં સલમા જાવેદ ભણી અચંભા થી નિહાળી રહી : ” આપ ને જૂઠ ક્યોં બોલા જાવેદ ? ” ” મેને જૂઠ કહા બોલા ?”


” લેકિન હમ તો અભી તક જાનતે ભી નહિ કી …..” સલમા આગળ બોલતા અચકાઈ . ” કે કમી કિસમે હે ?” સલમા નો ચ્હેરો પોતાના હાથ માં લેતો જાવેદ આગળ બોલ્યો …” મુજે જાનના ભી નહિ હે સલમા ! કમી ન તો ‘તુમ્હારી’ હે ન તો ‘મેરી ‘…યે ‘હમારી ‘ કમી હે ..ઔર હમ દોનો સાથ મિલકે ઇસકા સામના કરેંગે …જૉ કમિયોં સે હાર જાયે વોહ પ્યાર હી ક્યા ?…”


સલમા ના ચ્હેરા ઉપર ની ઉદાસી દૂર કરતો જાવેદ નો પ્રેમ શબ્દો માં ઉતરતો હજી આગળ વધ્યો : ” ઉપરવાલે કે ઘર મેં દેર હે લેકિન અંધેર નહિ ..સલમા , યાદ રખના ‘ કૂન ફ – ય – કૂન ‘ માની વોહ સિર્ફ ફરમાતા હે, હો જા ! ઔર બસ વો ચિઝ વજૂદ મેં આ જાતી હે ….” જાવેદ ના રૂહાની શબ્દો થી સલમા ના અંતર માં આશા ની એક નવી જ્યોત સળગી ઉઠી જેના પ્રકાશ માં શક્ય- અશક્ય વચ્ચે ની મર્યાદા રેખા ટીપે ટીપે પીગળી રહી … બન્ને ના જીવન ની ‘કમી ‘ એમના પ્રેમ ની અતૂટ શક્તિ માં પરિણમી ચુકી …..

લેખક : મરિયમ ધુપલી

દરરોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ