મહેન્દ્રગઢના ગાગડવાસ ગામના યુવકે ગળામાં વરમાળા લગાવવાને બદલે ગળામાં ફાંસીનો ફંદો નાંખી લેતા ઘરની ખુશી માતમાં ફેરવી દીધી હતી. શૈલેન્દ્રના પુત્ર રામસિંહના લગ્ન 10 ડિસેમ્બરના રોજવ નક્કી થયા હતા. 8 ડિસેમ્બરે લગ્ન સમારોહનો કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ મંગળવારે સવારે નાંગલ હરનાથની સીમમાં મૃતદેહ લટકતો હોવાની માહિતી મળતાં પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દરેક વ્યક્તિ લગ્નને લઈને ખુશ હતા અને તે બધું નિરાશામાં ફેરવાઈ ગયું. યુવકે શા માટે આ પગલું ભર્યું એ સામે આવ્યું નથી.
પરિવારના જણાવ્યા મુજબ મૃતક સોમવારે સાંજે તેના મોટા ભાઈનો કોટ પહેરેલો હતો. જ્યારે મોટા ભાઈએ કોટ પહેરવાનો વાંધો ઉઠાવ્યો હતો ત્યારે યુવકે કોટ કાઢી નાંખ્યો અને ઘરની બહાર ગયો હતો. પરિવારજનો સમજી ગયા કે થોડા સમય પછી ગુસ્સો ઠંડી પડ્યા પછી ઘરે પાછો આવશે.
પરિવારજનો પણ તેના આગમનની રાહ જોઈ નહીં. તેને સવારે આ ઘટનાની જાણ થઈ. મૃતક 24 વર્ષીય શૈલેન્દ્ર બારમા ધોરણ પછી આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકનો અભ્યાસ કરતો હતો. નોંધપાત્ર વાત એ છે કે યુવકે સોમવારે ફાંસો ખાઇને જીવનનો અંત લાવી દીધો હતો. મંગળવારે પોલીસે પરિવારના સભ્યોના નિવેદન પર કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પરિવારજનોને સોંપી દીધું હતું.
ઉત્તર પ્રદેશમાં પણ એક આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં દિલ્હીની નજીક આવેલ ગાઝિયાબાદમાં એક નવ વિવાહિત કપલે રહસ્યમય સંજોગોમાં લગ્નના 4 જ દિવસ બાદ આત્મહત્યા કરી. જો કે બંનેએ શા માટે આત્મહત્યા કરી તેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અમારી હિન્દી ન્યુઝવેબસાઈટ નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ લગ્નના ચોથા દિવસે પહેલા યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી ત્યારબાદ પત્નીએ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી. જેનાથી બંનેના પરિવારને દુઃખનો ઊંડો આઘાત લાગ્યો છે.
અહેવાલ મુજબ ગાઝિયાબાદના ગોવિંદપુરમમાં કોચિંગ સેન્ટર ચલાવનારા શિક્ષક અને નોઈડાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્ચ પદ ઉપર કાર્યરત યુવતીના લગ્ન 29 જૂનના દિવસે થયા હતા. આ ઘટનાથી બંને પરિવાર ઉપર શોકનો માહોલ છવાયો છે. હજી સુધી નવદંપતિનું આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર શિક્ષકનું નામ વિશાલ અને તેમની પત્નીનું નામ નિશા છે. વિશાલ પ્રજાપતિ અને નિશા પહેલાથી એકબીજાના ઓળખતા હતા. તેમની વચ્ચે છેલ્લા 4 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને ખૂબ સારા મિત્ર હતા. બંને વચ્ચેના પ્રેમ સંબંધ અગે જાણીને અલગ અલગ જ્ઞાતિના હોવા છતાં બંનેના પરિવારોની સહમતિથી 29 જૂનના રોજ લગ્ન થયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ