સામાન્ય રીતે લોકો જયારે ખુબ જ ખુશ હોય છે તે સમયે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે ડાન્સ કરતા હોય છે. આપણે મોટાભાગે લોકોને કોઈની બર્થ ડે પાર્ટી કે પછી લગ્ન પ્રસંગમાં પોતાની ખુશીથી કે પછી શોખથી ડાન્સ કરતા જોવા મળી જાય છે. પરંતુ શું આપ જાણો છો કે, દુનિયા એવી પણ જગ્યા છે જ્યાં લોકો કોઈ વ્યક્તિના મૃત્યુ થઈ જાય છે તો તે સમયે ડાન્સ કરે છે.
-અહિયાં રહેતા લોકો મૃતદેહને દફનાવતા પહેલા કરે છે ડાન્સ.
-જયારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો ડાન્સ કરવાનો છે રીવાજ.
-જે વ્યક્તિ મૃત્યુ પામે છે તેના પૈતૃક સભ્યોના પણ મૃતદેહને બહાર કાઢવામાં આવે છે.
આપે ક્યારેય એવું સાંભળીયુ છે કે, જયારે કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય છે તે સમયે લોકો ડાન્સ કરે છે? કેવી વિચિત્ર વાત છે ને! હા વાત વિચિત્ર છે પરંતુ આ વાત સાચી છે. દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં આવી પરંપરાનો અમલ કરવામાં આવે છે, અહિયાં જયારે કોઈ વ્યક્તિનું અવસાન થઈ જાય છે તો તે વ્યક્તિની શબયાત્રામાં પરિવારના સભ્યો કબ્રસ્તાન પહોચી જાય છે.
મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર સમયે ડાન્સ કરવા લાગે છે લોકો.
એક પ્રાપ્ત થતા સમાચાર મુજબ, મેડાગાસ્કરમાં રહેતા માલાગાસી નામની જનજાતિના લોકો અંતિમ સંસ્કાર વિધિ સમયે ડાન્સ કરવા લાગે છે. મેડાગાસ્કરમાં રહેતી માલાગાસી જનજાતિના લોકો જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તે વ્યક્તિની શબયાત્રા કાઢવા દરમિયાન લોકો ડાન્સ કરતા કરતા મૃતદેહને સ્મશાન સુધી લઈને જાય છે. જે ફેમાડીહાનામાં અમલમાં મુકવામાં આવેલ પરંપરાનો એક ભાગ છે. આ પરંપરા મુજબ, જે પરિવારની વ્યક્તિ મૃત્યુ પામી હોય છે તે પરિવારના તેની પહેલા મૃત્યુ પામેલ સભ્યોને પણ તેમની કબર માંથી બહાર કાઢવામાં આવે છે.
સંગીત પણ વગાડવામાં આવે છે.
ફેમાડીહાનાની પરંપરા હેઠળ અહિયાં મૃતદેહોની દફન વિધિ કરવા માટે જયારે સ્મશાનમાં લઈ જવામાં આવે છે તે સમયે મૃતદેહને નવા કપડામાં વીંટાળવામાં આવે છે અને તે વ્યક્તિના મકબરાની ચારે તરફ મ્યુઝીક વગાડવામાં આવે છે અને મકબરાની આસપાસ ઉભેલ વ્યક્તિઓ મૃત વ્યક્તિને ડાન્સ કરતા કરતા અલવિદા કહી દેવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગી હશે કે, દુનિયામાં એવી પણ જગ્યાઓ છે જ્યાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાથી અવસર જેવું વાતાવરણ જોવા મળે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong