જલ્સા કરોને જેંતીલાલ

જાણો કુશલ પંજાબીએ સ્યુસાઇડ કર્યુ તેની આગલી રાત્રે શું બન્યુ હતુ તેની સાથે…

કુશલ પંજાબીએ ૨૭ ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી હતી. કુશલના આ પગલાંથી તેનો પરિવાર એકદમ તૂટી ગયો છે. તેમજ કુશલના પિતાએ જણાવ્યું કે એક રાત પહેલા તેમના ઘરમાં શુ શુ થયું હતું?

image source

ટીવી અને બોલિવુડ એમ બન્નેમાં જાણીતો અભિનેતા કુશલ પંજાબીએ ૨૭ ડિસેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી હતી. આ ચોંકાવનારા સમાચારે ઇન્ડસ્ટ્રીને હલાવી દીધી છે. ત્યાંજ કુશલના માતાપિતા તો એકદમ તૂટી જ ગયા છે. નજીકના મિત્રોને પણ ભરોસો ના થયો કે હમેંશા હસતો જોવા મળતો કુશલ આવું પગલું પણ ભરી શકે છે. કુશલ પંજાબીની મૃત્યુ પછી તેની સાથે જોડાયેલી કેટલીક વાતો સામે આવી છે. માનવામાં આવી રહ્યું છે કે કુશલ પંજાબીના લગ્ન જીવનમાં તકલીફ હોવાથી તે પરેશાન રહેતો હતો. ત્યાં જ કુશલ પંજાબીના પિતાએ જણાવ્યું કે આત્મહત્યાથી એક રાત પહેલા શુ થયું હતું?

image source

કુશલ પંજાબી આત્મહત્યા કરતા પહેલા પાર્ટીમાં પણ સામેલ થયો હતો. ત્યાં જ સ્પોટબોયના જણાવ્યા મુજબ કુશલના પિતાએ જણાવ્યું કે આત્મહત્યાની એક રાત પહેલા તે બિલકુલ ઠીક હતો. તેમને જણાવ્યું કે કુશલે તેમની સાથે ડિનર અને ડ્રિંક પણ લીધા હતા અને તે બિલકુલ ઠીક હતો. અમારી વચ્ચે ખાસ કોઈ વાતચીત નથી થઈ, એવી જ વાતો થઈ જેવી એક બાપ દીકરા વચ્ચે થાય છે. કુશલના પિતાએ કુશલની સિરિયસ ઈંજરી વિશે પણ જણાવ્યું છે.

image source

તેમણે જણાવ્યું કે ‘કુશલ સર્કિટ રેસ દરમિયાન ઘાયલ થઈ ગયો હતો. તેના ખભાની સર્જરી થવાની હતી અને એમાં તેને કેટલાક સમય સુધી ખભાને બિલકુલ હલાવવાનો નથી.’ આની પહેલા કુશલના મિત્ર કુશલ ટંડનને તેની માતા વિશે પણ જણાવ્યું હતું કે ‘તેમણે મને પૂછ્યું કે તારું નામ પણ કુશલ છે ને? મારી પાસે બેસો. તેમને મારો હાથ પકડીને પૂછવા લાગી કે તે તમારી લોકો સાથે પાર્ટીમાં પણ ગયો હતો. કેવો હતો તે?

image source

જણાવીએ કે કુશલના નજીકના મિત્ર ચેતન હંસરાજને ફોન કરીને જણાવ્યું હતું કે કુશલના ફ્લેટનો દરવાજો ખુલી રહ્યો નથી, ત્યારપછી ચાવીવાળા પાસે તાળું ખોલાવ્યું હતું તો જીવ મળ્યું કે કુશલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ચેતન હંસરાજે ખુલાસો કર્યો કે કુશલના લગ્ન જીવનમાં તકલીફો આવી રહી હતી. તેની પત્ની દીકરાને લઈને ફ્રાન્સના શાંઘાઈ શહેરમાં અલગ રહેતી હતી. કુશલ તેના દીકરાને ખૂબ પ્રેમ કરતો હતો. કુશલ પંજાબીએ પોતાની પ્રોપર્ટીના પણ બે ભાગ કરી દીધા છે. જેમાં ૫૦% કુશલે તેના માતાપિતાના નામે અને ૫૦% દીકરાના નામે કરી દીધી છે.

image source

કુશલ પંજાબીએ ૩૭ વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. કુશલનો અંતિમ સંસ્કાર શનિવારના રોજ મુંબઈમાં કરવામાં આવ્યો હતો. કુશલને અંતિમ વિદાય આપવા માટે પરિવારના સભ્યોની સાથે કુશલના નજીકના મિત્રો ચેતન હંસરાજ અને કિરણસિંહ બોહરા પણ જોવા મળ્યા હતા. ઉપરાંત ટીવી હોસ્ટ અર્જુન બીજલાની, સુશાંત સિંહ, બખત્યાર ઈરાની અને તેમની સાથે તનાઝ, ડેલનાઝ, એઝાઝ ખાન, દ્રષ્ટિ ધામી અને ડિરેકટર કેન ઘોષ સહિત અનેક ટીવી સ્ટાર કુશલ પંજાબીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

image source

મહત્વપૂર્ણ વાત છે કે કુશલના લગ્ન નવેમ્બર ૨૦૧૫ યુરોપિયન ગર્લ ફ્રેન્ડ આડ્રે ડોલે સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન જીવનમાં તકલીફ આવવાથી બન્ને અલગ રહેતા હતા. તેમછતાં કુશલે પોતાની સ્યુસાઇડ નોટમાં એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. ઉપરાંત કુશલે તેની આત્મહત્યા માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી.

image source

કુશલના પિતા તેના અંતિમ સંસ્કાર સમયે હાથમાં તુલસીનો છોડ લઈને પહોંચ્યા હતા. જો કે દીકરાના અચાનક મૃત્યુથી તેઓ ખૂબ આહત હતા અને કુશલની માતાએ રડી રડીને પોતાના હાલ બેહાલ કરી દીધા હતા. ત્યારે કુશલના મિત્રોએ સાંત્વના આપીને કુશલના મતપિતાને સાંભળ્યા હતા.

image source

કુશલ પંજાબીએ ફિલ્મ જગતમાં ડાન્સર અને મોડલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ કુશલે સલામ એ ઇશ્ક, ધન ધના ધન ગોલ, કાલ જેવી ફિલ્મો અને ટીવીમાં લવ મેરેજ, દેખો મગર પ્યાર સે, ડોન જેવી સીરિયલમાં કામ કર્યું છે. બસ આ બધી ફિલ્મો અને સિરિયલ સિવાય અન્ય કોઈ ફિલ્મમાં કે સિરિયલમાં જોવા મળશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version