આપણી ભારતીય સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા બંનેમાં કિન્નરોનું પહેલેથી મહત્વા વધારે છે. તેમાં ખાસ કરીને કિન્નરોને તો માતાજીના ભક્ત કહ્યા છે ત્યારે તેમની હાજરી પણ પ્રસંગોમાં શુભ મનાય છે. રામાયણમાં એક ઉલ્લેખ મુજબ જ્યારે શ્રી રામને વનવાસ થયો હતો ત્યારે આખી અયોધ્યાની પ્રજા સાથે કિન્નરો પણ તેમની પાછળ તેમને વળાવવા ગયા હતા. અને ચૌદ વર્ષે પરત ફર્યા ત્યારે પણ કિન્નરો તેમની સાથે આવ્યા હતા. કિન્નર સમાજ વિશે સામાન્ય રીતે આપણને સૌને એક ખાસ પ્રકારની જિજ્ઞાસા રહેતી હોય છે. તેમનો પહેરવેશ, તેમની વેશભૂષા; અવાજ અને ખાસ કરીને તેમની તાળીઓના અવાજ લોકોને વિસ્મય પમાડતા હોય છે.
એકબીજાની ઓળખ : આ ખાસ પ્રકારે પડાતી તાળીઓ દ્વારા, કિનાર સમુદાયના લોકો ઓળખી જાય છે કે તેમના સમુદાયનો કોણ છે અને કોણ નથી. સામાન્ય રીતે આપણે સાડી અથવા સલવાર સુટ્સમાં કિન્નરોને જોયા છે. પરંતુ પેઇન્ટ-શર્ટમાં હોય તેવા લોકો, તેઓ તેમની ઓળખ છુપાવે છે અને એ ખાસ પ્રકારનો તાબોટો પાડીને પોતાના કિન્નર હોવાના પુરાવા આપે છે. જાણે કે ‘તાલી’ એ તેમના સમૂદાયના હોવાની આગવી ઓળખ છે.
દરેક પ્રસંગે ખાસ પ્રકારની તાળી…
એવું નથી કે કિન્નરો માત્ર આનંદમાં હોય ત્યારે જ તાળીઓ પાડે છે. તેઓ આનંદ અને દુ:ખ જેવી લાગણીઓ વ્યક્ત કરવા અથવા લડાઈ અને ઝઘડા દરમિયાન પણ મોટા અવાજો સાથે તાબોટા કરે છે. કિન્નરોના કહેવા અનુસાર, તેઓ દરેક પ્રસંગે ‘તાળી’ઓનો ઉપયોગ કરે છે.