બાળકોમાં ઇમ્યુનિટી સિસ્ટમનો ઓવર એક્ટીવેશન જીવલેણ નીવડી શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણી ઇમ્યુનિટી આપણા આરોગ્ય ને નિયંત્રિત કરે છે.ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ.આપણા શરીરની આંતરીક રચના જ એવી થયેલી છે કે કુદરતી રીતે આપણા શરીર ના કોષો જ કેટલાક રોગના જીવાણુના આક્રમણની સામે લડત આપી તેને ખતમ કરે છે અને શરીરની કુદરતી અમુક રોગોથી બચાવે છે.વ્યક્તિ વ્યક્તિએ આ રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ હોય છે.આપણે સૌ જાણીએ છીએ કે વધુ પડતું કશું જ સારું નથી હોતું. એવી જ રીતે આ રોગ પ્રતિકારક શક્તિમાં પણ થઈ જતો વધુ પડતો વધારો પણ આરોગ્ય માટે નુકસાનકારક નીવડે છે.બાળકોના પ્રશ્ને તો ઇમ્યુનિટી સિસ્ટમનું વધુ પડતું એક્ટિવ થવું જીવલેણ પણ સાબિત થાય છે .માટે બાળકો સંદર્ભે ઇમ્યુનિટી સિસ્ટમ વિશે માહિતગાર થવું જરૂરી છે.
બાળકોમાં ઇમ્યુનિટી સિસ્ટમ કેવી રીતે ઓવર એક્ટિવેટ થાય છે એની ખાસ જાણકારી મેળવીએ.
ઇમ્યુનિટી સિસ્ટમ શરીરના કોષ, ટિસ્યુ અને અંગ વચ્ચેનું જટિલ નેટવર્ક છે.કેટલીકવાર આ નેટવર્ક હાનિકારક માઇક્રોબ્સની સામે લડતા એક્ટિવ થઈ જાય છે ત્યારે માઇક્રોબ્સ તેને નુકસાન પહોંચાડે છે અને શરીરમાં વાયરલ તથા બૅક્ટેરિયલ ઇન્ફેક્શન ફેલાઈ જાય છે.આવા સમયે શરીરના લડાયક ઓશો વધુ પડતા સક્રિય થઈ જાય તો તે અનિયમિત બને છે અને વધુ પડતી સક્રિય થયેલી રોગ પ્રતિકારક શક્તિ શરીરના સ્વસ્થ સેલ અને ટિસ્યુ પર આક્રમણ કરે છે.જેને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર થાય છે.ઓટો ઇમ્યુન વિકાર મોટેભાગે નોન રિફ્લેક્ટ table. જોકે આપણા દેશમાં ક્લિનિકલ ઇમ્યુનોલોજી અંગેનું સંશોધન હજી પાયાની અવસ્થામાં છે એ તે અંગેની વિશેષ જાણકારી હજી સુધી પ્રાપ્ત થઈ શકતી નથી.
ઓટો ઇમ્યુન બિમારીઓનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથીઓટો ઇમ્યુન બીમારી કોઈ એવા કારણથી ઉદભવે છે જે રોગપ્રતિકારક શક્તિ સાથે સમૂહ લગ્ન નથી માટે ડોક્ટરો માટે પણ ઓટો ઇમ્યુન બીમારીનું ચોક્કસ કારણ આપવું અને તેનું નિદાન કરવું પણ જટિલ સમસ્યા સાબિત થાય છે.જોકે અંગેના કારણો ઓછા કરવા માટે પણ ઘણા બધા પરીક્ષણો જરૂરી છે.
બાળકોમાં ઇમ્યુન સિસ્ટમ વધુ પડતી એક્ટિવ હોવાના કેટલાક લક્ષણો અભ્યાસના આધારે તારવવામાં આવ્યા છે. જેમાં તાવ પાંસળીમાં દુખાવો થાક લાગવો વજન ઘટવું ચામડી પર ચકામાં સાંધા જકડાઈ જવા વાળ ખરવા તેમજ આંખ અને ચહેરો નિસ્તેજ થઈ જવાના લક્ષણો જણાયા છે.
રોગ પ્રતિકારક શક્તિ શરીરના સ્વાસ્થ્ય અને રક્ષા માટે છે .પરંતુ જો પ્રતિકારક શક્તિ નબળી પડે અથવા તો રોગ પ્રતિકારક શક્તિ ની સિસ્ટમમાં જ સમસ્યા ઉભી થાય તો તે શરીરના કોઈપણ અવયવો પર હુમલો કરી શકે છે જેના માટે અલગ-અલગ પ્રકારના ઉપચાર ની રણનીતિ અપનાવવી આવશ્યક છે .
ઓટો ઇમ્યુન ડિસીઝ બે પ્રકારે થઈ શકે છે .એક તો કોઈ એક ખાસ અવયવોમાં અને બીજું શરીરના સેલ્સ અને ટીશ્યુ માં.
- ઈમેલ સિસ્ટમ વધુ પડતી સક્રિય થવાથી બાળકોમાં થતી બીમારીઓ.
- બાળકોને એડિસન ગ્રંથીઓ પર પ્રભાવ પડી શકે છે તેથી એડિસન ગ્રંથિઓ સાથે સંકળાયેલા રોગ બાળકોને થઈ શકે છે.
- ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ પણ થઈ શકે છે જે લીવરને ખરાબ કરે છે.
- બાળકોની નર્વસ સિસ્ટમ પર વિશેષ અસર પડી શકે છે.
- બાળકો ડાયાબિટીસનો ભોગ પણ બની શકે છે.
- બાળકોમાં ગેસ અને પથરીની સંભાવના વધે છે.
- ઇમ્યુન સિસ્ટમ વધુ પડતી સક્રિય થવાને કારણે બાળકોમાં હોર્મોન સ્ત્રાવ કરતી ગ્રંથિઓ ,સાંધાની ચામડીની તેમજ ફેફસાની સમસ્યા પણ સર્જાઇ શકે છે.
- બાળકોમાં કિડની રદય તેમ જ મગજની બીમારી પણ થઈ શકે છે.
વારંવાર બાળકોનું સ્વાસ્થ્ય કથળતું હોય તો ડોક્ટરની સલાહ લેવી અને જરૂરી નિદાન કરાવવું આવશ્યક છે જેનાથી બાળકની જિંદગી બચાવી શકાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ