જલ્સા કરોને જેંતીલાલ

તમારા બાળકમાં દેખાય છે આ ટાઇપના લક્ષણો, તો રિપોર્ટમાં આવી શકે છે ડાયાબિટીસ…

શું તમારા બાળકોને ડાયાબીટીસ તો નથી ? જાણો તેના જોખમો, લક્ષણો અને ઉપાયો

બાળકોને ડાયાબીટીસના જોખમથી આ રીતે બચાવો !, આ ટીપ્સ અપનાવી બાળકોને ડાયાબીટીસના જોખમથી જોજનો દૂર રાખો !

image source

આજે સમગ્ર ભારતમાં વયસ્ક લોકોના 7.25 કરોડ કરતાં પણ વધારે લોકો ડાયાબીટીસથી ગ્રસ્ત છે. ડાયાબીટીસનું જેટલું જોખમ વયસ્કોને છે તેટલું જ જોખમ બાળકોમાં પણ રહેલું છે. આજની અસ્વસ્થ, અસ્થિર તેમજ અનિયમિત લાઇફ સ્ટાઇલના કારણે બાળકો ઘણી નાની ઉંમરે ડાયાબીટીસનો શિકાર બને છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે શાળાએ જતાં બાળકોમાં 1 ટકા બાળકોને ડાયાબીટીસ હોય છે.

ડાયાબીટીસની બાળકો પર ખરાબ અસરો

સામાન્ય રીતે બાળકોમાં ડાયાબીટીસ વારસાગત હોય છે પણ તેમ છતાં આજે ઘણા બધા નવા કેસ ડાયાબીટીસના આવવા લાગ્યા છે જેમના બેકગ્રાઉન્ડમાં ક્યાંય પણ કોઈને ડાયાબીટીસનો રોગ હોવાનું જોવામાં નથી આવતું. કારણ કે ડાયાબીટીસ વારસાગત રોગની સાથે સાથે ખરાબ લાઇફસ્ટાઇલનું પણ પરિણામ છે.

જો બાળપણથી જ બાળકોના ખોરાકનું ધ્યાન ન રાખવામાં આવે તો તેમના પર ટાઇપ 1 તેમજ ટાઇપ 2નું જોખમ તોળાતું રહે છે. નાના બાળકોમાં જો ડાયાબીટીસ જોવા મળે તો તે તેમની આંખો તેમજ કીડનીઓ પર ખરાબ અસર કરે છે અને જો બાળપણથી જ તેની કેર કરવામાં ન આવે તો આગળ જતાં સ્થિતિ વકરી શકે છે.

બાળકોને કયા કારણોસર ડાયાબીટીસ થઈ શકે છે ?

– જે બાળકો સુસ્ત જીવન જીવતા હોય એટલે કે જે બાળકો પોતાના શરીરને સામાન્ય શારીરિક શ્રમ ન આપતા હોય. આખો દીવસ ઘરમાં રહીને ટીવી જોતા હોય, મોબાઈલ પર ગેમ રમતા હોય કે પછી બેઠા રહેતા હોય ટુકંમા જે બાળકો પોતાના શરીરને જરૂરી યોગ્ય વ્યાયામ ન કરાવતા હોય તેમને ડાયાબીટીસનું જોખમ નડી શકે છે.

બાળકોમાં ડાયાબીટીસના લક્ષણો આ પ્રમાણે હોઈ શકે છે

image source

ડાયાબિટીસ એટલે કે મધુમેહ એક પ્રકારનો ચયાપચય સંબંધીત બીમારીઓનો સમુહ છે જેમાં શરીરમાંના લોહીની શર્કરાનું સ્તર અસામાન્ય રીતે વધી જાય છે. અને આમ થવાથી શરીર તરત જ તમને કેટલાક સંકેતો પહોંચાડે છે. તો જાણી લો તેના સંકેતો.

બાળકોમાં ડાયાબીટીસને કેવી રીતે દૂર કરવો ?

image source

ડાયાબીટીસ એટલે કે શીરરના લોહીમાં શર્કરાનું વધવું. તેનો એક ઉત્તમ ઉપાય હોય તો તે છે ઇન્સુલીન વાટે સારવાર. નાની ઉંમરમાં જો ડાયાબીટીસ થાય તો તેની સારવાર ઇન્સુલીનને ઓછી માત્રામાં આપીને કરવામા આવે છે.

– ભોજન-નાશ્તા વિગેરે નિયમિત સમયે લેવાની આદત પાડવી. અને સ્વસ્થ તેમજ પોષક તત્ત્વોથી ભરપુર ભોજન બાળકને આપવું.

માતાપિતાએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બાળકો પણ પોતાને થયેલા ડાયાબીટીસને ગંભીરતાથી લે અને પોતાની યોગ્સ સંભાળ લે. જો કે સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે બાળકો પોતાની જાતને અલગ કે પછી એકલા ન અનુભવે. માટે તેમની સાથે ઘરના અન્ય બાળકોની જેમ સામાન્ય વ્યવહાર જ કરવો.

image source

ડાયાબીટીસનો એક માત્ર ઇલાજ શરીરમાંના લોહીની શર્કરાને અંકુશમાં રાખવી તે જ છે. તેને તમે સદંતર તમારા શરીરમાંથી દૂર ન કરી શકો. પણ તેમ છતાં જીવનને સામાન્ય લોકોની જેમ જ ખુશખુશાલ રીતે જીવવા માટે હંમેશા બાળકને પ્રેરણા આપતા રહેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version