વાસ્તુ
મોટાભાગના લોકો પૈસા રાખવા માટે પોતાની પાસે પર્સ રાખે છે. પર્સમાં લોકો પૈસાની સાથે સાથે પોતાની જરૂરી વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકોની એવી ફરિયાદ હોય છે કે આ દિવસોમાં પૈસા ખૂબ જ વધારે ખર્ચ થઈ રહ્યા છે. આવક ઓછી થતી જઈ રહી છે. જો આપની સાથે પણ આવું જ કઈક થઈ રહ્યું છે તો અમે આપના પર્સમાં પણ કેટલાક દોષ હોઈ શકે છે.
અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કેટલાક ખાસ ઉપાયો જે અપનાવવાથી ક્યારેય પણ પૈસાની કમી નહિ થાય, આ સાથે જ સમૃધ્ધિ પણ આવશે. ચાલો જાણીએ એ ખાસ ઉપાયો વિષે..
પર્સમાં નાનું નારિયેળ રાખો:
જો આપ ઈચ્છો છો કે આપને ધનની ક્યારેય પણ કમી ના થાય તો એવામાં આપ પોતાના પર્સમાં નાનું નારિયેળ રાખો. જો આ આપના નાના પર્સમાં નથી આવી રહ્યું તો આપ તેને મોટા પર્સમાં રાખી શકો છો.
પીપળાનું પાન:
જો પર્સ માંથી પૈસા વધારે ખર્ચ થઈ રહ્યા છે તો આપ આપના પર્સમાં એક પીપળાનું પાન વાળ્યા વગર રાખવું. આમ કરવાથી આપના પર્સમાં ક્યારેય પણ પૈસાની કમી નહિ થાય.
ગોમતી ચક્ર:
પોતાના પર્સમાં વિષમ સંખ્યામાં ગોમતી ચક્રને રાખો. એનાથી આપને ક્યારેય પણ પૈસાની કમી નહિ થાય. આપ માનસિક રૂપથી પણ મજબૂત રહેશો. ભવિષ્યમાં પણ આપની આર્થિક સ્થિતિ સુદ્રઢ રહેશે.
ઓવલ વ્હાઇટ સ્ટોન:
ઓવલ વ્હાઇટ સ્ટોન પોતાના પર્સમાં રાખો. આમ કરવાથી હમેશા ખુશી મહેસુસ થશે આ સાથે જ આપ આપના કામને લઈને સકારાત્મક રહેશો. જો આપ ખુશ રહેશો તો આપની પ્રગતિ થવી નક્કી છે.
લાલ રંગનો કાગળ:
આ એક અચૂક ઉપાય છે. એટલા માટે એક લાલ કાગળ જોઇશે. આ લાલ કાગળ પર પોતાની ઈચ્છા લખીને તેને રેશમી ધાગાથી બાંધીને અને પોતાના પર્સમાં રાખી લો. આમ કરવાથી આપની ઈચ્છા જરૂરથી પૂરી થઈ શકે છે.
ચોખા:
શાસ્ત્રોમાં અનાજ અને ધન બન્ને એક સમાન કહેવામાં આવ્યા છે. જો આપ આપના પર્સમાં ચપટીભર રાખો લેશો, તો આપના બિનજરૂરી ખર્ચને ઓછા કરવામાં મદદ કરે છે.
માતા લક્ષ્મીનો ફોટો:
આપે આપના પર્સમાં માતા લક્ષ્મીજીનો એ જ ફોટો રાખવો જોઈએ જેમાં તેઓ બેઠેલી મુદ્રામાં હોય. માતા લક્ષ્મીની આવી ફોટો રાખવાથી આપને ક્યારેય પણ ધનની કમીનો સામનો નહી કરવો પડે.
ચાંદીનો સિક્કો:
જો આપના પર્સમાં કોઈ ચાંદીનો સિક્કો હોય તો આ સિક્કાને આપે પોતાના પર્સમાં જ રાખવો જેનાથી આપને ઘણા લાભ થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખવું કે કોઈ પણ સોના કે ચાંદીનો સિક્કો પર્સમાં રાખતા પહેલા તે સિક્કાને ઘરના મંદિરમાં માતા લક્ષ્મીના ચરણોમાં મુકવો જરૂરી છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપ આપના પર્સમાં નાનો કાચનો ટુકડો કે એક નાનું ચાકુ પણ રાખી શકો છે.
આપે આપના પર્સમાં રુદ્રાક્ષ રાખશો તો તેનાથી આપની દરિદ્રતા તો દુર થશે જ ઉપરાંત ધન વૃદ્ધિ પણ થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ