બૉલીવુડ એકટર કાર્તિક આર્યનના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળતી જઈ રહી છે. પહેલા કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2 એ પછી શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસમાં બનતી ફિલ્મ ફ્રેડી. આ બન્ને ફિલ્મોમાંથી કાર્તિક આર્યનને કાઢી મુકવામાં આવ્યા છે. અસલી કારણ શું છે એ સામે નથી આવી રહ્યું. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોનું માનવું છે કે કાર્તિક વિરુદ્ધ કેમ્પઈન ચલાવવામાં આવી રહ્યું છે.
ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હા પછી લેખક અપૂર્વ અસરાનીએ પણ અભિનેતા કાર્તિક આર્યનના સમર્થનમાં વાત કરી છે. અભિનેતાને કથિત રીતે અમુક ફિલ્મોમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને એમના પ્રશંસકો ચિંતિત છે કે શું એમને મોટા ફિલ્મ નિર્માતા દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહી છે. અપૂર્વએ કાર્તિક આર્યનના સમર્થનમાં બોલવા માટે ટ્વીટરનો સહારો લીધો અને એ પણ જણાવ્યું કે કેવી રીતે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતને પણ એમના કરિયરમાં નિશાનો બનાવવામાં આવ્યા હતા.
અપૂર્વએ ટ્વીટ કર્યું છે કે હું કાર્તિક આર્યન વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને લઈને અનુભવ સિન્હાની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું. એક વર્ષ પહેલાં મેં સુશાંત સિંહ રાજપૂત વિશે બ્લોગ લખ્યો હતો. અને જો કે મને ઘણા પત્રકારો દ્વારા એ માટે બ્લેકમેલ કરવામાં આવ્યો. એ પહેલાં અનુભવ સિન્હાએ ટ્વીટ કર્યું હતું કે જ્યારે નિર્માતા કોઈ અભિનેતાને ફિલ્મમાંથી કાઢી મૂકે છે કે એકટર ખુદ ફિલ્મ છોડે છે તો એ આ વિશે વાત નથી કરતા. આવું દર વખતે થાય છે. કાર્તિક આર્યન વિશે અહીંયા ઘણી વાતો થઈ રહી છે. મને લાગે છે કે એમના વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હું એમના મૌનનું સમ્માન કરું છું.
ગયા મહિને કરણ જોહરના ધર્મા પ્રોડક્શનએ ટ્વીટ કર્યું હતું કે એમની ફિલ્મ દોસ્તાના 2, જેમાં કાર્તિકે જાહ્નવી કપૂર સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી એને ફરી બનાવવામાં આવશે. આવું ત્યારે થયું જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે કાર્તિકની ફિલ્મના નિર્દેશક કૉલીન ડી કુન્હા સાથે અસહમતી હતી. ધર્માએ પોતાના બયાનમાં કહ્યું કે પ્રોફેશનલ રિઝનથી ફિલ્મને ફરી બનાવવામાં આવશે.
એ સિવાય કાર્તિક અભિનેતા શાહરુખ ખાનની રેડ ચીલીઝ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ગુડબાય ફ્રેડીમાંથી પણ બહાર થઈ ગયા છે. એવું કહેવામાં આવે છે કે આર્યન ઇચ્છતા હતા કે ફિલ્મની સ્ક્રીપટમાં એમની જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવે. સેક્સન 375 બનાવનાર નિર્દેશક અજય બહલ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા હતા. જેમાં કેટરીના કેફ પણ છે.
ગયા મહિને પણ ખબર સામે આવી હતી કે કાર્તિકને આનંદ એલ રાયની ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યા છે. જો કે આનંદે કહ્યું કે કાર્તિક સાથે કંઈપણ ઔપચારિક નહોતું અને કહ્યું કે એક પ્રોડક્શન હાઉસ તરીકે અમે ઘણી સ્ક્રીપટ પર કામ કરીએ છીએ અને એમને અભિનેતાઓ માટે દર્શવીએ છીએ, આ પ્રક્રિયા છે. અભિનેતા એકમેકને મળતા રહે છે, તમે એમને જણાવતા રહો છો કે તમે શેના પર કામ કરી રહ્યા છો, એ સહયોગ કરવાની ઈચ્છા દર્શાવે છે અને પછી વિષયના આધારે તમે નક્કી કરો છો કે તમારે એમને સંપર્ક કરવો જોઈએ કે નહીં પણ એનો અર્થ એ નથી કે તમે એમને સાઈન કરી લીધા છે. કાર્તિકે હજી સુધી આ બાબતમાં કઈ જ નથી કહ્યું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong