મિત્રો, જીવનમા ઘણીવાર એવી અનેકવિધ ઘટનાઓ ઘટતી હોય છે જ્યારે આપણે અથાગ પરિશ્રમ કરીએ છીએ પરંતુ, તેમછતા તેના યોગ્ય પરિણામો આપણને પ્રાપ્ત થતા નથી. આપણે કોઈ વ્યક્તિ વિશે સારુ વિચારીએ છીએ પરંતુ, તેના બદલામા તે વ્યક્તિ તરફથી આપણને દુ:ખ મળે છે.
જ્યારે આપણે મુશ્કેલીમા હોઈએ છીએ ત્યારે આપણે આપણી સર્વસ્વ જાત ને ભૂલી જતા હોઈએ છીએ અને આવી જ અન્ય અનેકવિધ સમસ્યાઓ આપણા જીવનમા આવતી હોય છે તો તે સંકેત હોય શકે છે કે, તમારી કુંડળીમા કોઈ ત્રુટી છે. આજે આ સ્થિતિને ધ્યાનમા રાખીને આપણે આ લેખમા જીવનની કઇ પરિસ્થિતિઓ છે, જે તમારી કુંડળીમા કાલસર્પ ખામી દર્શાવે છે તેના વિશે માહિતી મેળવીશુ સાથે-સાથે તેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશુ.
કુંડળીમા કાલસર્પયોગ આપે છે આ અનિષ્ટ પરિણામો :
જો તમે તમારા જીવનમા દરેક કાર્યો ખૂબ જ વિચારપૂર્વક અને તમારા પૈસા અને સમય નુ યોગ્ય રોકાણ કરીને કરી રહ્યા છો પરંતુ, તેમ છતા પણ જો તમને યોગ્ય પરિણામ મળતુ નથી તો પછી સમજજો કે તમારી કુંડળીમા બેઠેલ કાલસર્પ દોષ તમારી સફળતા ને અવરોધે છે. આ સિવાય જો તમે તમારા જીવનસાથીને તેના ખરાબ સમયમા ચીટ કરો છો અને સમસ્યાઓનો સામનો કરવા માટે તેમને એકલા છોડી દો છો તો તે પણ કાલસર્પ દોષ ની નિશાની હોય શકે છે.
જો તમે કોઈ વ્યક્તિનુ ભલુ કરો છો પરંતુ, તેના બદલામા તમને ફક્ત પીડા જ મળે છે તો તે કાલસર્પ દોષ નુ પરિણામ હોય શકે છે. અ સમય દરમિયાન સફળતા મેળવવી ખુબ જ મુશ્કેલ સાબિત થઇ શકે છે. આ સિવાય જે લોકોની કુંડળીમા કાલસર્પ ખામી હોય છે તેમના માટે લગ્નજીવન પણ ખુબ જ મુશ્કેલી થી ભરેલુ સાબિત થઇ શકે છે. જો તમે સપનામા પોતાની જાતને ડૂબતો જોવો છો અથવા તો પોતાની જાતને રડતો જોવો છો અથવા તો વિધવા સ્ત્રીને રડતા જોવો છો તો તે ઘટના તમારી કુંડળીમા કાલસર્પ યોગ હોવાનુ સૂચવે છે.
આ રીતે મેળવો કાલસર્પ દોષમાંથી મુક્તિ :
આ કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે ચાંદીના નાગ-નાગિન ના જોડાને પવિત્ર પાણીમા વહેડાવી દો. આ સિવાય દરરોજ તમારા દાંત ને ગૌમૂત્રથી સાફ કરો તો પણ તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સિવાય કોઈ એવું મંદિર શોધો કે જ્યાં શિવલિંગ પર કોઈ સાપ ના હોય ત્યા જઈને પૂજા પાઠ કરો જેથી આ દોષમાંથી મુક્તિ મળે. આ સિવાય મહાદેવ ને ચંદન અર્પણ કરી પોતે પણ આ ચંદન લગાવો જેથી, આ કાલસર્પ દોષમાંથી તમને મુક્તિ મળે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ