પૂત્રવધુનું પરિવારમાં પૂત્ર કરતાં પણ વધુ મોટો દરજ્જો હોય છે, તેથી જ તો તેને પૂત્રવધુ કહેવાય છે. કોઈના ઘરના આંગણાંમાં રમતી દીકરી જ્યારે અન્ય પરિવારમાં વહુ થઈને આવે ત્યારે તે બંને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારી હોય તેવું સહુ કોઈ ઇચ્છતાં હોય છે. તે કુલવધુ પણ કહેવાય છે. તે તમારા કુળને વારસદાર આપીને પરિવારને વધારે છે.
પૂજાપાઠ કરે : તમારી નવવધુ ભલે બહુ પ્રમાણમાં વ્રત કે અનુષ્ઠાન ન કરે પરંતુ ઘરમાં રાખેલ મંદિરમાં દરરોજ ધૂપ –દીપ- નૈવેદ્ય ધરાવતી હોય અને મંત્રોચ્ચાર સાથે સવારે સ્નાનાદિ પતાવીને દર્શન કરીને રસોઈ અને દિવસની શરૂઆત કરવાની ટેવ રાખતી હોવી જોઈએ. પૂત્રવધુના હાથે દીવાબત્તી થવાથી બરકત રહે છે. એ ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.
તુલસીને ક્યારે જળઃ એમાં બે મત નથી કે પૂજાપાઠ કરતી વહુને તુલસી ક્યારે પાણી ચડાવવાની આદત ન હોય. આની સાથે તે સૂર્ય અર્ગ્ય પણ આપે તો તેનામાં કુદરતી શક્તિનો સંચાર થાય છે. જે ઊર્જા તેને પરિવારને પ્રેમ અને નિષ્ઠાથી જોડી રાખવા ઉપયોગી થશે.
ખર્ચમાં વિવેકઃ એક સંપૂણ ગૃહિણીનું આ પહેલું લક્ષણ હોવું જોઈએ. તેના પતિએ આપેલ ઘર ખર્ચમાંથી પણ તે યોગ્ય બચત પણ કરે અને સૌની દેખરેખ પણ એ બખૂબી કરી લે. જે સુશીલ વહુમાં જો આ ૫ ગુણ રહેલા હોય તો તે જે ઘરમાં પરણીને આવી હોય ત્યાં ધન, લક્ષ્મી ઐશ્વર્ય અને સમૃદ્ધિનો વાસ થયા વિના ન રહે…