મોઢાના તાળવા પર માત્ર એક મીનીટ અડાડી રાખો જીભ, ફાયદા જાણી ચોંકી જશો ! દીવસમાં માત્ર એક જ મિનિટ જીભને અડાડો તાળવા પર અને થોડા સમયમાં ચહેરા પરની કરચલીઓ થઈ જશે દૂર !
ભારતના પૌરાણિક ગ્રંથોમાં શરીરની લગભગ બધી જ સમસ્યાઓ માટે ઉપાયો આપેલા છે. તે પછી યોગ હોય, આયુર્વેદ હોય કે પછી એક્યુપ્રેશર હોય. એક્યુપ્રેશરમાં તમારા શરીરના કેટલાક પોઇન્ટને દબાવવાથી વિવિધ જાતના શારિરિક ફાયદા થતાં હોય છે. તેવી જ રીતે તમે તમારા શરીરને કેટલીક મુદ્રાઓમાં રાખો અથવા શરીરના અંગો પાસે કેટલીક મુદ્રા કરાવો તો તમને અદ્ભુત ફાયદા થઈ શકે છે.
એવી જ એક મુદ્રા અમે તમારા માટે લઈને આવ્યા છે જે ખાસ કરીને મહિલાઓ માટે છે કારણ કે વ્યસ્ત જીવન, રોજિંદા કામો તેમજ અવ્યવસ્થિત લાઇફસ્ટાઇલના કારણે સ્ત્રીઓ તેમની ઉંમર કરતાં વહેલી જ વૃદ્ધ થવા લાગી છે. અને તેની આ ઉંમરની ચાડી તેના ચહેરા પરની કરચલીઓ જ કરી દે છે.
સ્ત્રીઓ પોતાના ચહેરા પરની કરચલીઓ તેમજ અસ્વસ્થતાં દૂર કરવા માટે વિવિધ પ્રકારના કોસ્મેટિક્સ તેમજ બ્યુટિપાર્લરનો સહારો લે છે. પણ આજની અમારી આ નાનકડી એક્સરસાઇઝ તમારા ચહેરા પરની કરચલીઓ જાદુઈ રીતે દૂર કરી દેશે. તેને તમારે દીવસમાં માત્ર એક જ મિનિટ કરવાની હોય છે. અને આ નાનકડી એક્સરસાઇઝ માત્ર તમારા ચહેરાની કરચલીઓ જ દૂર નહીં કરે પણ તમને કેટલીક બીમારીઓથી પણ દૂર રાખશે.
કેવી રીતે કરશો આ એક્સરસાઇઝ ?
- સ્ટેપ 1 – આ વ્યાયામ કરવા માટે તમારે સૌ પ્રથમ પોતાની જીભને વાળીને તાળવા પર અડાડવી.
- સ્ટેપ 2 – હવે આ જ સ્થિતિમાં રહીને તમારે નાકથી ધીમે ધીમે શ્વાસ લેવાનો છે અને ત્યાર બાદ પાંચ સેકન્ડ માટે શ્વાસ રોકી લેવો.
- સ્ટેપ 3 – પાંચ સેકન્ડ સુધી ગણવું શ્વાસ રોકવો હવે સાથે સાથે મોઢાને પણ શ્વાસથી ફુલાવીને 10 સુધી ગણતરી કરવી.
- સ્ટેપ 4 – હવે દસની ગણતરી સુધી શ્વાસને રોકી રાખ્યા બાદ તે જ સ્થિતમાં સિટિ વગડાતા હોવ તે રીતે શ્વાસને ધીમે ધીમે બહાર છોડવો.
- સ્ટેપ 5 – આ જ પ્રક્રિયાને તમારે સતત એક મિનિટ સુધી પુનરાવર્તિત કરતાં રહેવી. રોજ આ રીતે એક મિનિટની આ નાનકડી એક્સરસાઇઝ કરવાથી. તમારા શરીરને ઘણી બધી રીતે ફાયદા પહોંચે છે.
આ એક્સરસાઇઝને તમે ચાર વાર પુનાર્વતિત કરી શકો છો. જો તમે આ એક્સરસાઇઝ એક પણ દિવસ ચૂક્યા વગર સતત ચારથી પાંચ મહિના સુધી ચાલુ રાખશો તો તમને તેનો ચોક્કસ ફાયદો જોવા મળશે. અને તમારા શરીરમાં અનેક પ્રકારના હકારાત્મક ફેરફારો તમે જોઈ શકશો. તેનાથી તમારી પાચનક્રિયા પણ નિયમિત બનશે અને તમારું બ્લડપ્રેશર પણ સંતુલિત રહેશે.
ચાલો જાણીએ એક મિનિટની આ એક્સરસાઇઝ કરવાના લાભોઃ
ચહેરા પરની કરચલીઓથી મળે છે છૂટકારો
ઉંમર પહેલાં જ જો તમારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ હોય તે તેને દૂર કરવા માટે આ એક્સરસાઇઝ ઉત્તમ છે. રોજ માત્ર એક મિનિટ આ નાનકડી એક્સરસાઇઝ કરવાથી તમારા ચહેરાની કરચલીઓ તો દૂર થશે જ પણ સાથે સાથે ચહેરા પરના ડાઘ પણ દૂર થશે. આ એક્સરસાઝથી તમાચા ચહેરાની સંપુર્ણ કસરત થઈ જાય છે અને ચહેરાના મસલ્સનો પણ વ્યાયામ થઈ જશે.
પાચનશક્તિ બને છે મજબૂત
જો તમને હંમેશા કબજિયાત કે અપચા, ગેસ, એસિડિટી વિગેરેની ની સમસ્યા રહેતી હોય અથવા હંમેશા પેટમાં ગડબડ રહેવાની ફરિયાદ રહેતી હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે તાળવે જીભ અડાડવાની નિયમિત એક્સરસાઇઝ કરવાથી તમારી આ સમસ્યા દૂર થાય છે. આ એક્સરસાઝથી ધીમે ધીમે તમારા પેટને લગતી આ સમસ્યાઓ દૂર થવા લાગશે.
માનસિક તાણથી દૂર રાખે છે
બદલાઈ રહેલી લાઇફસ્ટાઇલ તેમજ દેખાદેખીવાળું જીવન તેમજ કામકાજમાં હરીફાઈનો માહોલ વ્યક્તિને હંમેશા માનસિક સ્ટ્રેસ નીચે રાખે છે. જેમાંથી ક્યારેક રીલેક્સેશન મળે છે અને ક્યારેક નથી મળતું અને તેના કારણે માણસના ખોરાક, તેના ઉંઘવા તેના આરામ પર પણ તેની અસર પડે છે.
પણ જો ઉપર જણાવેલી એક્સરસાઇઝને તમે નિયમિત રીતે કરશો તો તે તમને કુદરતી રીતે જ તાણથી મૂક્ત થવામાં મદદ કરશે. આ એક્સરસાઇઝથી તમે તમારી નર્વસ સિસ્ટમને કુદરતી રીતે જ સુધારી શકશો અને તમને માનસિક શાંતિની સાથે સાથે શારીરિક રાહત પણ આપશે.
શ્વાસોચ્છ્વાસની સમસ્યાને દૂર કરે છે
ઘણી સ્ત્રીઓને સુતી વખતે શ્વાસોચ્છ્વાસની સમસ્યા થતી હોય તેમણે આ એક્સરસાઇઝ નિયમિત કરવી જોઈએ. તેનાથી તમારી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સરળ બનશે અને તમને શ્વાસ લેવામાં તકલીફ પણ નહીં પડે. અને માટે જ આ એક્સરસાઇઝ હૃદયરોગીઓ માટે પણ લાભપ્રદ રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ