આપણ એ સવાલ થાય કે આપણા વ્યક્તિત્વને અલગ ગેટપ આપતું જીન્સ નુકસાન કારક હોઈ શકે? પણ સંશોધનના અંતે નીકળેલા તારણ મુજબ ટાઈટ જીન્સ પહેરવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે.
આજકાલ જીન્સ યુવાનોની પહેલી પસંદ છે .એમાં પણ ખાસ કરીને ફિગર બતાડવાની ઘેલછાને કારણે ટાઈટ કપડાં પહેરવાની એક ફેશન ચાલી છે. મહિલાઓને જીન્સ પહેરવા વધુ પસંદ છે એટલા માટે પણ છે કે એમાં દુપટ્ટો સાચવવાની ઝંઝટ રહેતી નથી તેમજ સગવડદાયક રીતે મુક્ત રહી શકાય છે.
low waist jeans high waist jeans આકર્ષક અને સ્માર્ટ લુક આપી શકે છે પરંતુ તે સાથે સાથે બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે.
ટાઈટ કપડા અથવા તો ટાઈટ જીન્સ પહેરવાથી સૌથી પહેલા તો ચાલવામાં કે દોડવામાં તકલીફ પડે છે .એટલું જ નહીં શરીરનું પોશ્ચર પણ લાંબા ગાળે બગાડવા માંડે છે.
પેટ ઓછું દેખાય તેવા આશયથી પણ પહેલા અતિશય ટાઈટ કપડાને કારણે પણ બેસવા, ઊઠવા કે ચાલવામાં તકલીફ થાય છે. એટલું જ નહીં શરીરની અંદરના અવયવ સતત દબાયેલા રહેવાને કારણે તેમાં બ્લડ સર્ક્યુલેશનમાં ઘટાડો થવાને કારણે નુકસાન થઈ શકે છે.
ટાઈટ જીન્સને કારણે બેસવા ઊઠવામાં પડતી તકલીફને પરિણામે કરોડરજ્જુ પર પણ દબાણ આવે છે અને કરોડરજ્જુની સમસ્યા સર્જાઇ શકે છે.
ટાઈટ કપડા શરીરને સતત જકડી રાખતા હોવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સર્જાતી ખામીને કારણે શરીરને અંદરથી તો નુકસાન થાય છે પરંતુ લાંબો સમય ફીટ કપડાં પહેરવાને કારણે શરીરનો શેપ પણ ધીરે ધીરે બગડે છે અને શરીર બેડોળ બનવા લાગે છે.
સતત જીન્સ પહેરી રાખવાથી ત્વચાની સમસ્યાઓ પણ થઈ શકે છે. જીન્સનું કપડું જાડું હોવાને કારણે ત્વચાને ચપોચપ રહેતું હોવાને કારણે ત્વચાને મળતા ઓક્સિજનમાં પણ ખામી સર્જાય છે એટલું જ નહીં પરસેવાને સુકાવા ની જગ્યા પણ રહેતી નથી.
ટાઈતા કપડાને કારણે બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય નહીં થવાને પરિણામે ફંગલ ઇન્ફેક્શન, ચકામાં પડવા, ખૂબ ખંજવાળ આવવી, અને ત્વચા શુષ્ક પડી જવા જેવી ત્વચા સંબંધી બીમારીઓ પણ સર્જાય છે.
બ્લડ સર્ક્યુલેશનની અનિયમિતતાને કારણે શરીરનો તેમજ માથાનો દુખાવો પણ થઈ શકે છે. લાંબા ગાળા સુધી ચાલતી કોઈપણ સમસ્યાનુ નિદાન ન કરવામાં આવે તો એમાંથી ગંભીર બીમારી ઉભી થવાનું જોખમ પણ રહેલું છે.
આપણે એવું નથી કહેતા કે જીન્સ પાશ્ચાત્ય પોશાક છે અને ન પહેરવો જોઈએ ,પરંતુ જ્યારે કોઈપણ કપડાંની પસંદગી કરીએ ત્યારે તે આપણા શરીરને અનુરૂપ છે કે નહીં એ પહેલા ચકાસવું જોઈએ. હંમેશા ફેશનમાં આવતા કપડા અનુકૂળ હોય જ એવું બનતું નથી હોતું.
અત્યારની વિચારસરણી મુજબ કુર્તા પાયજામા, પંજાબી સૂટ કે સાડી જૂના જમાનાની ફેશન ગણાય છે ,પરંતુ આ કપડા પ્રમાણમાં થોડા ખુલતા હોવાથી આપણા શરીરમાં મળવી જોઇતી હવાની આવનજાવન માટે વિશેષ સગવડદાયક છે.એટલું જ નહીં થોડા ખુલતા હોવાથી પરસેવો સુકાઈ જવાને પણ અવકાશ રહે છે અને ચામડીના રોગથી પણ બચી શકાય છે.
કહેવાનો આશય એ નથી કે પાશ્ચાત્ય ઢબના કપડા ન પહેરવા કે તે નુકસાનકારક જ હશે. એવી સંસ્કૃતિને અનુલક્ષીને કપડાની કોઈ સરખામણી નથી પરંતુ કહેવાનુ તાત્પર્ય એ જ કે અતિશય -અતિશય ફીટ આઉટફિટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ટોપ અને જીન્સ પણ અત્યંત ટાઈટ પહેરવાને બદલે ચાલવા, બેસવા ,ઊઠવા જેવી શારીરિક ક્રિયા માં કમ્ફર્ટેબલ રહે તે રીતે પસંદ કરવા જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ