જાપાનના લોકોની સૌથી ખાસ વાત એ હોય છે કે. તેઓની ત્વચા બેદાગ અને દમકતી રહે છે.
પરંતુ શું આપે ક્યારેય પણ આના વિષે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે તેમની ત્વચામાં આટલી ચમક કેમ રહે છે. જો આપનો જવાબ ના હોય, તો આજે અમે આપને આ સિક્રેટ વિષે જણાવીશું. જાપાની લોકોની દમકતી ત્વચાનું સિક્રેટ છે ઘણી બધુ પાણી.
જાપાનમાં પાણી પીવાની એક થેરપી છે, જેને ‘જાપાની વોટર થેરપી’ના નામથી જાણવામાં આવે છે.
જાપાની વોટર થેરપીમાં જાપાની લોકો સવારે ઊઠતાની સાથે જ ૨ થી ૩ ગ્લાસ નોર્મલ પાણી પીવે છે. જાપાની લોકોનું માનવું છે કે ઠંડા પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી અને ઠંડા પાણીના સેવનથી તેની અસર પાચન તંત્ર પર પણ થાય છે. હવે જાણીશું જાપાની વોટર થેરપી વિષે વિસ્તારથી..
જાપાની લોકો સવારે ઉઠયા પછી બ્રશ કર્યા વગર પહેલા પાણી પીવે છે. આ પાણી રૂમ ટેમ્પરેચર પર કે હળવું ગરમ પાણી પીવે છે. આ પાણી પીધાના ૪૫ મિનિટ પછી જ જાપાનીસ લોકો નાસ્તો કરે છે. સૌથી ખાસ વાત એ છે કે તે લોકો એક મીલ દરમિયાન ફક્ત ૧૫ મિનિટ સુધી જ ખાય છે અને બીજા મીલની વચ્ચે ઓછામાં ઓછું ૨ કલાકનું અંતર જરૂર રાખે છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ જાપાની વોટર થેરપી કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે. આખો એક મહિનો જો આ ટ્રીક અપનાવવામાં આવે તો હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેમજ આ થેરપી થી ટાઈપ-૨ ડાયાબિટીસમાં પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. હવે જાણીશું જાપાની વોટર થેરપી થી થતાં આપના સ્વાસ્થ્યના ફાયદાઓ વિષે..
બ્લડપ્રેશર નિયંત્રણ અને વજન ઘટાડવામાં:
આ થેરપી દરમિયાન શરીરની કેલરી એકદમ ઓછી થવા લાગે છે. જાપાની વોટર થેરપીને નિયમિત કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. શરીરમાં પાણીની ઉણપ ના થવાના કારણ થી મગજના ફંક્શન વધારે સારી રીતે ચાલવા લાગે છે, એનર્જી લેવલ વધારે વધારે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
કબ્જની સમસ્યામાં:
પાણીનું વધારે સેવન થી શરીરને કેટલાક ફાયદા થાય છે, જેવા કે, કબ્જમાં રાહત, પથરીમાં આરામ અને માથાના દુખાવાથી છુટકારો મળે છે. કેટલાક લોકો પોતાની તરસ છિપાવવા માટે કેટલાક પ્રકારના પીણાંઓ પીવે છે પરંતુ આમ કરવાથી શરીરમાં પાણીની પૂરતી નથી કરી શકાતી. જાપાની વોટર થેરપીથી શરીરમાં પાણીની પૂરતી સરળતાથી થઈ જાય છે.
આ થેરપી દરમિયાન ક્યારેય પણ એક લિટરથી વધારે પાણી પીવું જોઈએ નહિ. કેમકે એક સ્વસ્થ મનુષ્યની કિડની એક્વારમાં આટલું જ પાણી સાંભળી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ