આજથી એટલે કે 14 માર્ચથી મળમાસની શરૂઆત થઈ છે. આજે એટલે કે 14 માર્ચ અને રવિવારે સાંજે 6.03 વાગ્યેસૂર્યદેવ બૃહસ્પતિની રાશિ મીનમાં પ્રવેશ કરશે અને 14 એપ્રિલની રાત 2.33 સુધી આ રાશિ એટલે કે મીન રાશિમાં જ નિવાસ કરશે. સૂર્યના આ રાશિ પરિવર્તનને ખરમાસ એટલે કે મળમાસ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાઓએ તેને મીન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે.
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર જ્યારે મળમાસ કે ખરમાસ શરૂ થાય છે ત્યારથી શુભ કામનો નિષેધ લાગે છે. ખરમાસમાં કોઈ સારા કામ કરી શકાતા નથી. હિંદુ ધર્મમાં તેને દુષ્ટ માસ પણ કહેવાચ છે. આ મહિનામાં વિવાહ કાર્ય, મુંડન, ભૂમિ પૂજન, યજ્ઞોપવિત, ગૃહ પ્રવેશ, નવો વેપાર કે અન્ય કોઈ માંગલિક કામો કરી શકાતા નથી. દરેક કામને માટે ગુરુ બૃહસ્પતિના બળની જરૂર રહે છે. સૂર્યના ગુરુની રાશિમાં જવાથી ગુરુનું બળ ઘટે છે આ માટે કોઈ પણ શુભ કાર્ય ફલિત થઈ શકતા નથી.
જાણો મળમાસમાં શું કરશો અને શું નહીં
હિંદુ ધર્મમાં જણાવ્યા અનુસાર ખરમાસ કે મળમાસના સમયે સૂર્યદેવની ઉપાસનાનું ખાસ મહત્વ છે. સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરી લો. પછી ચઢતા સૂરજને અર્ધ્ય આપો. આમ કરવાથી તમને તેનું શુભફળ મળી શકે છે. જેનાથી સૂર્યદેવની કૃપા પણ તમારા પર કાયમ રહેશે. મળમાસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. જ્યારે લક્ષ્મી માતા ઘરમાં નિવાસ કરે છે ત્યારે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને સાથે જ ધનનો વાસ પણ થાય છે. મળમાસની વાત કરીએ તો આ સમયે સાધુઓ અને ગુરુઓની સેવાનું પણ ખાસ મહત્વ છે.
આમ કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે. આ મહિને ગૌશાળામાં જાઓ અને સાથે ગાયને ગોળ અને લીલા ચણા ખવડાવો. આ મહિને ગાયની પૂજા કરો. આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર પ્રસન્ન થશે. ખરમાસમાં જરૂરિયાતમંદને અને ગરીબોને શક્ય તેટલું દાન કરો. તેનાથી ચમને લાભ થશે. આ સિવાય આ મંત્રોનો જાપ કરવાથી પણ તમને શુભફળ મળી શકે છે.
આ મંત્રનો કરી લો જાપ
गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणम्।
गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम् ।।
ओम नमो भगवते वासुदेवाय नमः ।।
ओम नापायणआय विध्महे वासुदेवाय धीमही तन्नो विष्णु प्रचोदयात् ।।
ખરમાસ એટલે કે મળમાસમાં તમે ઉપરની તમામ વાતોનું ધ્યાન રાખી લેશો તો તમને પણ સમૃદ્ધઇ અને ભગવાનની કૃપા અચૂક મળે છે.તો આજથી આવનારી 14 એપ્રિલ સુધી દરેક કાર્યોમાં સાવધાની રાખો તે જરૂરી છે.