મિત્રો, શનિવારનો દિવસ એ સંપૂર્ણપણે શનિદેવને સમર્પિત છે. સૂર્યપુત્ર શનિદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા તથા વિધિ-વિધાનપૂર્વક તેમની પૂજા કરવા માટે શનિવારનો દિવસ એકદમ શ્રેષ્ઠ ગણવામા આવે છે. જો શનિ તમારા જીવનમા રોજગાર સંબંધિત કોઈ અવરોધ કે સમસ્યા પેદા કરી રહ્યો છે તો આ દિવસે અમુક ઉપાયો દ્વારા તેને દૂર કરી શકાય છે.
શનિનો સીધો જ સંબંધ તમારા જીવનમા તમામ પ્રકારના કર્મ અને તેના ફળ સાથે મળે છે. શનિ એ પણ નિશ્ચિત કરે છે કે, વ્યક્તિ કેવા પ્રકારની ક્રિયાઓ કરશે? જો શનિ સાનુકુળ હોય તો કર્મક્ષેત્રમા તમને અભૂતપૂર્વ સફળતા મળે છે પરંતુ, શનિની નકારાત્મકતા તમારા રોજગારમા અડચણો પણ લાવી શકે છે.
આ ઉપરાંત શનિના સરળ પગલાઓ તમારી નોકરીની દરેક સમસ્યાઓને દૂર કરી શકે છે અને તમને તમામ દોષમાંથી પણ મુક્તિ અપાવી શકે છે. આ સિવાય જો નોકરી મેળવવામા તમને કોઈપણ પ્રકારની સમસ્યા થતી હોય તો શુક્રવારના રોજ કાળા ચણા લો અને તેમને શનિવારે ફક્ત સરસવના તેલમા રાંધો. ન તો તેમા મસાલા ઉમેરો કે ન તો મીઠું. શનિવારે તે કોઈ પ્રાણીને ખવડાવો. જો તમે ત્રણ શનિવાર સુધી આ ઉપાય અજમાવો છો તો તમને તમારા રોજગાર સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.
આ સિવાય શનિવારે સાંજે એક બાઉલમાં સરસવનું તેલ લો અને ડાબા હાથની વચલી આંગળી ઉમેરો અને શનિમંત્રનો જાપ કરો. ત્યારપછી તે જ તેલમાં પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો તો તમારા રોજગાર ક્ષેત્રે સંકળાયેલી તમામ સમસ્યાઓનો અંત આવે છે.
જો નોકરી આગળ ના વધી રહી હોય તો તમારે શનિવારના રોજ કીડીઓને લોટ ખવડાવો અને માછલીઓને લોટની ગોળીઓ ખવડાવી. આ સિવાય આ દિવસે મીઠી વસ્તુઓ ના ખાશો. શનિવારના રોજ આ પ્રયોગ કરવાથી તમારી રોજગારની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
આ સિવાય જો તમે નોકરીમાં ઇચ્છિત સ્થાન બદલવા માંગો છો તો દર શનિવારની સાંજે ઘરના મુખ્ય દ્વાર પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવ્યા પછી દીવાની બાજુમાં ઊભા રહો અને એકવાર શનિ ચાલીસાનું લખાણ કરો. આ ઉપાય નિરંતર ત્રણ શનિવાર સુધી અજમાવો.
જો તમે શનિવારના રોજ પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ શનિમંત્રનો ૧૦૮ વાર જાપ કરો અને અગિયાર શનિવાર સુધી આ ઉપાય અજમાવો તો તમને રોજગાર ક્ષેત્રે તમામ કાર્યોમા સફળતા મળશે અને તમારા ઘરમા સુખ-સમૃદ્ધિ પણ બની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,