ઘરનો મુખ્ય દ્વાર દરેક ઘર માટે ખુબ જ મહત્વ ધરાવે છે. ઘરના મુખ્ય દ્વાર માંથી દિવસ દરમિયાન ઘણી બધી વ્યક્તિઓની અવર જવર થતી રહે છે.
ઉપરાંત આ જ મુખ્ય દ્વાર માંથી આપના ઘરમાં સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો રહે છે. એટલા માટે ઘરના મુખ્ય દ્વાર માટે પણ વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપના ઘરમાં સુખ- સમૃદ્ધિ અને ઉન્નતિને જાળવી રાખવા માટે દરવાજા સાથે જોડાયેલ વાસ્તુ શાસ્ત્રના કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. જો આપ તેનું પાલન નથી કરી રહ્યા તો આપને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપના ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અંદરની તરફ ખુલવો જોઈએ કેમ કે, જો મુખ્ય દરવાજો બહારની તરફ ખુલે છે તો તેને શુભ માનવામાં આવતો નથી.
ઘરના દરવાજા સાથે જોડાયેલ કેટલીક બાબતો.:
-વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપના ઘરનો મુખ્ય દરવાજો વચ્ચે હોવો જોઈએ નહી. એવું કહેવામાં આવે છે કે, ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ સ્તંભ, ઝાડ કે પછી કોઈ દીવાર હોવી જોઈએ નહી અને નહી જ ઘરની પર કોઈ સ્તંભ, ઝાડ કે પછી કોઈ દીવારનો પડછાયો પડવો જોઈએ નહી.
–વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપના ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશા કે પછી ઉત્તર દિશામાં હોવો જોઈએ. એટલું જ નહી, આપે આપના ઘરના મુખ્ય દરવાજાની સામેની તરફ સીડીઓ ક્યારેય હોવી જોઈએ નહી અને આપે ધ્યાન રાખવું જોઈએ કે, આપના ઘરનો મુખ્ય દરવાજો રોડ કરતા ઉંચો હોવો જોઈએ.
-જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આપના ઘરના મુખ્ય દ્વારની સામે કચરાને ભેગો થવા દેવો જોઈએ નહી. જો આપના ઘરના મુખ્ય દરવાજાની સામે કચરો ભેગો થવા લાગે છે તો આ વસ્તુ આપના પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. ઉપરાંત આવી રીતે કચરાનું એકઠું થવું આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે.
-જ્યોતિષ શાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજા માટે એવું પણ જણાવાયું છે કે, આપના ઘરની સામેની તરફ કે પછી મુખ્ય દરવાજાની ઉપર અરીસો લગાવવો જોઈએ નહી. આવું એટલા માટે કેમ કે, જો આપના ઘરના મુખ્ય દ્વારની સામેની તરફ કે પછી મુખ્ય દ્વારની ઉપર અરીસો હોય છે તો અરીસો આપના ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. અરીસો આપના ઘરના સભ્યોની પ્રગતિમાં અડચણ ઉત્પન્ન કરે છે.