જલ્સા કરોને જેંતીલાલ

જમવામાં કાચી ડુંગળી ખાવાથી કેટલીક ઘાતક બીમારીઓ થાય છે દૂર…

જમવામાં ડુંગળીનો સમાવેશ કરીએ તો શરીરને માટે ઘણી રીતે તે ફાયદાકારક છે. કાચી ડુંગળી ફક્ત લૂથી જ બચાવે છે એવું નથી પણ તેના સેવનથી શરીરમાં થતા અનેક રોગો અટકાવે છે. ઘણા સંશોધનોમાંથી એવું પરિણામ મળ્યું છે કે કાચી ડુંગળીમાં સ્વાસ્થ્ય વર્ધક ઔષધીય ગુણધર્મો રહ્યા છે. કાચી ડુંગળી ખાવાથી એ કેન્સર, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ અને હૃદયરોગના હુમલા જેવા જીવલેણ રોગોથી બચાવે છે.


આ ઉપરાંત, કાચી ડુંગળી ત્વચા માટે પણ ફાયદાકારક છે. કાચી ડુંગળીને સલાડ તરીકે ખાવાથી, કેન્સરના કોષો શરીરમાં વધતા નથી. ડુંગળીમાં સલ્ફર સંયોજનો હોય છે, જે આપણી બ્લડ શુગર પર સકારાત્મક અસર કરે છે. પાચન પ્રક્રિયા સારી રહે છે. પાચન સાથે સંકળાયેલી જૂની સમસ્યાઓ ડુંગળી ખાવાથી દૂર થાય છે. કાચી ડુંગળીના સદગુણો વિગતવાર સમજીએ.


કાચી ડુંગળી ખાવાથી કેન્સર સામે રાક્ષણ મળે છે. કાચી ડુંગળી ખાવાથી તે શરીરમાં જઈ કેન્સરના કોષને નાશ કરે છે. કાચી ડુંગળી ખાવાથી તે કેન્સર સેલ્સ શરીરમાં ડેવલપ થવા જ નથી દેતા. ભોજનમાં નિયમિત રીતે કાચી ડુંગળી લેવાથી શરીરના કોઈપણ ભાગમાં કેન્સરનો ભય ઘટે છે.


કાચી ડુંગળી ખાવાથી હાર્ટએટેકનો ભય દૂર થાય છે. હ્રદયના સ્વાસ્થ્ય માટે કાચી ડુંગળી ખૂબ ઉપયોગી છે. નિયમિત સેવનથી હ્રદયના હૂમલાનો ભય ઘટે છે. લોહી ઘટ્ટ ન થવા દઈને પાતાળું રાખે છે જેથી હાઈ બ્લડ પ્રેશરની તકલીફની બીક પણ ન રહે.


બ્લડ શુગરની બીમારીમાં ફાયદાકારક હાઈ બ્લ્ડ શુગરની તકલીફમાં નિયમિત કાચી ડુંગળી ખાવાથી ખૂબ જ ફાયદાકાર રહે છે. શરીરમાં શર્કરાનું સ્તર ઘટાડીને ડાયાબિટીઝની સામે દવા તરીકે કામ કરે છે. છેલ્લા ઘણાં સમયથી બ્લડ શુગરની સમસ્યા સ્ત્રીઓમાં ખાસ રહે છે તેથી બહેનોએ ડુંગળીનો ઉપયોગ વધુ કરવો જોઈએ. કાચી ડુંગળીમાં સલ્ફરના તત્વો રહેલા હોય છે. જેથી તે લોહીમાં ભળીને શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. કાચી ડુંગળીથી પેટમાં પાચનતંત્રને પણ મદદ મળે છે જેથી પેટના રોગોમાં પણ ખૂબ લાભદાયી નીવડે છે. પાચનને લગતી સમસ્યાઓ દૂર થાય છે.


આંખોની તકલીફોમાં રાહત આંખોની વિવિધ તકલીફોમાં કાચી ડુંગળી ખાવાથી રાહત મળે છે. નિયમિત કાચી ડુંગળી ખાવાથી તેમાંથી ગ્લૂટેથિયોન તત્વ મળે છે. આ ગ્લૂટેથિયોન તત્વ આંખોમાં થતું પ્રોટિન તત્વ છે. જે આંખોનું તેજ વધારે છે. જેને લીધે આંખોથી જોડાયેલ સામાન્ય સમસ્યાઓ દૂર થાય છે.


શક્તિવર્ધક છે કાચી ડુંગળી કાચી ડુંગળીમાં વિટામિન સી રહેલું છે. દરરોજ જમવામાં ભલે એક સમય બપોરે ખાસ કરીને પણ કાચી ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જેથી ચેપી રોગ થવાની બીક રહેતી નથી. કાચી ડુંગળીમાં પ્રોટિન અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલું છે. વાળ, ચામડી અને નખની ચમક તથા મજબૂતી માટે પણ કાચી ડુંગળીનું સેવન ખૂબ જ લાભદાયી છે. ઉનાળાની ગરમીમાં લૂ ન લાગે તે માટે તેનો રસ પણ બહુ જ ઉપયોગી છે. તાવ અને શરદી થઈ હોય ત્યારે પણ કાચી ડુંગળી ગુણકારી છે.

Exit mobile version